ETV Bharat / bharat

Satish Kaushik Death Case: સતીશ કૌશિકના મૃત્યુ અંગે દિલ્હી પોલીસે આપ્યો મહત્વપૂર્ણ ખુલાસો

author img

By

Published : Mar 12, 2023, 10:36 AM IST

દિવંગત અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુ અંગે દિલ્હી પોલીસે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. પોલીસે તેના મૃત્યુ પહેલા સમગ્ર ઘટના, ક્યારે અને શું કર્યું તે જણાવ્યું છે.

Satish Kaushik Death Case: સતીશ કૌશિકના મૃત્યુ અંગે દિલ્હી પોલીસે આપ્યો મહત્વપૂર્ણ ખુલાસો
Satish Kaushik Death Case: સતીશ કૌશિકના મૃત્યુ અંગે દિલ્હી પોલીસે આપ્યો મહત્વપૂર્ણ ખુલાસો

નવી દિલ્હી: દિલ્હીના ફાર્મ હાઉસમાં પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક સતીશ કૌશિકના મૃત્યુને લઈને દિલ્હી પોલીસે શનિવારે મોડી સાંજે તપાસની સંપૂર્ણ વિગતો શેર કરી છે. એડિશનલ ડીસીપી રાજીવ કુમારે જણાવ્યું કે, સતીશ કૌશિક હોળીના દિવસે સવારે 10 વાગ્યે મેનેજર સંતોષ રોય સાથે દિલ્હી આવ્યા હતા. આ પછી તે કપાસેરાના બિજવાસનમાં તેના મિત્ર વિકાસ માલુના પુષ્પાંજલિ ફાર્મ હાઉસ પર પહોંચ્યા. અહીં તેઓ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી હોળીની ઉજવણીમાં સામેલ થયા હતા.

આઈપેડ પર મૂવી જોઈ: તે પછી આરામ કરવા ગયા અને સાંજે કે રાત્રે કોઈ પાર્ટી નહોતી. તેણે રાત્રે 9 વાગ્યે ડિનર લીધું અને પછી ફરવા ગયા અને તેના આઈપેડ પર મૂવી જોઈ. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ, તેણે બાજુના રૂમમાં રહેતા મેનેજર સંતોષ રોયને ફોન કર્યો અને કહ્યું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આના પર તેને તાત્કાલિક ફોર્ટીસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મોત નીપજ્યું હતુ.

Pragya Thakur on Rahul Gandhi: વિદેશી મહિલાથી જન્મેલો પુત્ર ક્યારેય દેશભક્ત ન બની શકે, પ્રજ્ઞા ઠાકુરની અપમાનજનક ટિપ્પણીથી રાજકારણ ગરમાયુ

ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા : તપાસ દરમિયાન ફાર્મ હાઉસ ખાતે સ્પેશિયલ ક્રાઈમ ટીમે જરૂરી પુરાવા એકઠા કર્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી નથી. તે જ્યાં રોકાયો હતો તે જગ્યા અને જે રૂમમાં તે આરામ કરી રહ્યો હતો. ત્યાં પણ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. તે દરમિયાન હાજર રહેલા તમામ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમાં પણ કંઈ મળ્યું ન હતું.

Kanpur Dehat: ઝૂંપડામાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકો દાઝી ગયા

12 વાગે તબિયત બગડી: હોળીના દિવસે ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીમાં 20 થી 25 મહેમાનોએ હાજરી આપી હતી. જ્યાં સતીશ કૌશિકે તેના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી અને પછી રાત્રે લગભગ 9.30 વાગ્યે સૂઈ ગયો હતો. લગભગ 12 વાગ્યે તેમની તબિયત બગડતાં તેમણે મેનેજરને ફોન કર્યો અને શ્વાસ લેવામાં તકલીફ વિશે જણાવ્યું. લ9 માર્ચે ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થયું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોલીસ સતીશ કૌશિકના પરિવારના સંપર્કમાં છે અને તેઓએ પણ કોઈ શંકા વ્યક્ત કરી નથી.

નવી દિલ્હી: દિલ્હીના ફાર્મ હાઉસમાં પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક સતીશ કૌશિકના મૃત્યુને લઈને દિલ્હી પોલીસે શનિવારે મોડી સાંજે તપાસની સંપૂર્ણ વિગતો શેર કરી છે. એડિશનલ ડીસીપી રાજીવ કુમારે જણાવ્યું કે, સતીશ કૌશિક હોળીના દિવસે સવારે 10 વાગ્યે મેનેજર સંતોષ રોય સાથે દિલ્હી આવ્યા હતા. આ પછી તે કપાસેરાના બિજવાસનમાં તેના મિત્ર વિકાસ માલુના પુષ્પાંજલિ ફાર્મ હાઉસ પર પહોંચ્યા. અહીં તેઓ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી હોળીની ઉજવણીમાં સામેલ થયા હતા.

આઈપેડ પર મૂવી જોઈ: તે પછી આરામ કરવા ગયા અને સાંજે કે રાત્રે કોઈ પાર્ટી નહોતી. તેણે રાત્રે 9 વાગ્યે ડિનર લીધું અને પછી ફરવા ગયા અને તેના આઈપેડ પર મૂવી જોઈ. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ, તેણે બાજુના રૂમમાં રહેતા મેનેજર સંતોષ રોયને ફોન કર્યો અને કહ્યું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આના પર તેને તાત્કાલિક ફોર્ટીસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મોત નીપજ્યું હતુ.

Pragya Thakur on Rahul Gandhi: વિદેશી મહિલાથી જન્મેલો પુત્ર ક્યારેય દેશભક્ત ન બની શકે, પ્રજ્ઞા ઠાકુરની અપમાનજનક ટિપ્પણીથી રાજકારણ ગરમાયુ

ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા : તપાસ દરમિયાન ફાર્મ હાઉસ ખાતે સ્પેશિયલ ક્રાઈમ ટીમે જરૂરી પુરાવા એકઠા કર્યા હતા અને ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા હતા. જો કે અત્યાર સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી નથી. તે જ્યાં રોકાયો હતો તે જગ્યા અને જે રૂમમાં તે આરામ કરી રહ્યો હતો. ત્યાં પણ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. તે દરમિયાન હાજર રહેલા તમામ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તેમાં પણ કંઈ મળ્યું ન હતું.

Kanpur Dehat: ઝૂંપડામાં આગ લાગવાથી એક જ પરિવારના 5 લોકો દાઝી ગયા

12 વાગે તબિયત બગડી: હોળીના દિવસે ફાર્મ હાઉસમાં આયોજિત પાર્ટીમાં 20 થી 25 મહેમાનોએ હાજરી આપી હતી. જ્યાં સતીશ કૌશિકે તેના મિત્રો સાથે હોળીની ઉજવણી કરી હતી અને પછી રાત્રે લગભગ 9.30 વાગ્યે સૂઈ ગયો હતો. લગભગ 12 વાગ્યે તેમની તબિયત બગડતાં તેમણે મેનેજરને ફોન કર્યો અને શ્વાસ લેવામાં તકલીફ વિશે જણાવ્યું. લ9 માર્ચે ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થયું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. પોલીસ સતીશ કૌશિકના પરિવારના સંપર્કમાં છે અને તેઓએ પણ કોઈ શંકા વ્યક્ત કરી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.