ETV Bharat / bharat

Delhi High Court: પત્ની દ્વારા સતત તિરસ્કાર પુરુષ માટે ભારે માનસિક પીડા- દિલ્હી હાઈકોર્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 1:46 PM IST

દિલ્હી હાઈકોર્ટે એક કેસમાં આદેશ આપતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનુઈ એક મહત્વનું અવલોકન છે છે કે આત્મહત્યાની ધમકીને કારણે સતત ડરાવવું એ ક્રૂરતા સમાન ગણાય છે. કારણ કે આવા જીવનસાથી સાથે રહેવું નુકસાનકારક છે. આવી ધમકીઓ માનસિક શાંતિને અસર કરે છે. જેના કારણે મન પર અસર પડે છે અને જેની વિપરીત અસર નોકરી સાથે ઘર પરિવારમાં પડે છે.

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે કહ્યું- પત્ની દ્વારા સતત દરેક વાતનો અસ્વીકાર, પુરુષ માટે ભારે માનસિક પીડા
Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે કહ્યું- પત્ની દ્વારા સતત દરેક વાતનો અસ્વીકાર, પુરુષ માટે ભારે માનસિક પીડા

નવી દિલ્હી: લગ્ન પરસ્પર વિશ્વાસ અને આદર ઉપર નિર્ભર હોય છે. આ તમામ વસ્તુઓ બન્ને સાથીદારોએ ધ્યાનમાં રાખવી પડે છે. દિલ્હી હાઈકોર્ટે 2011 થી અલગ રહેતા દંપતીને સમાધાનની કોઈ શક્યતા ન હોવાથી છૂટાછેડાને માન્ય રાખ્યા છે. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની બેંચે તેના પતિની વિનંતી પર છૂટાછેડા આપવાનો ફેમિલી કોર્ટના આદેશ સામે પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી.

પતિ માટે મોટી માનસિક વેદના: પતિએ કોર્ટને જણાવ્યું હતું કે તેણીએ એવું કહીને કરવા ચોથનું વ્રત રાખવાની ના પાડી હતી કે તેણી અન્ય કોઈને તેનો પતિ માને છે અને તેણીના માતા-પિતાએ તેણીની મરજી વિરુદ્ધ મારી સાથે તેના લગ્ન ગોઠવી દીધા હતા. કોર્ટે કહ્યું કે આ પ્રકારનું અલગ થવું અને કોઈપણ સંબંધનો સતત અસ્વીકાર કરવો અથવા પ્રતિવાદીને પતિ તરીકે સ્વીકાર ન કરવો એ પતિ માટે મોટી માનસિક વેદના છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે લગ્નનો સંબંધ પરસ્પર વિશ્વાસ, આદર અને સાથીદારી પર આધારિત છે.

ભાવનાત્મક સંબંધથી વંચિત: કોર્ટે પત્નીની વૈવાહિક સંબંધ રાખવાની ભારે અનિચ્છાની નોંધ લીધી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઘણી સમજાવટ પછી બંને પક્ષો વૈવાહિક સંબંધ વિકસાવવામાં સક્ષમ હતા. જે સંપૂર્ણપણે કોઈપણ ભાવનાત્મક સંબંધથી વંચિત હતા. મુખ્ય ન્યાયાધીશ, કૌટુંબિક અદાલતે યોગ્ય તારણ કાઢ્યું હતું કે બંને પક્ષો ઓક્ટોબર, 2011 થી અલગ રહેતા હતા અને તેમની વચ્ચે કોઈ વૈવાહિક સંબંધ નથી અને પરિવારો દ્વારા પ્રયત્નો કરવા છતાં સમાધાનની કોઈ શક્યતા નથી.

છૂટાછેડા માટે હકદાર: કોર્ટે કહ્યું કે મહિલાના પતિને ભારે માનસિક પીડા અને ક્રૂરતા હતી, જેના કારણે તે છૂટાછેડા માટે હકદાર હતો. વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેને અને તેના પરિવારને ક્રૂરતાના અસફળ ગુનાહિત કેસમાં ફસાવવા ઉપરાંત તેની પત્નીએ કરવા ચોથ ઉપવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તે બીજાને પ્રેમ કરતી હતી. આ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પત્ની તેને કે તેના પરિવારના સભ્યોને માન આપતી નથી અને તેણે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી.

આવા જીવનસાથી સાથે રહેવું નુકસાનકારક: કોર્ટે આદેશમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું છે કે આત્મહત્યાની ધમકીને કારણે સતત ડરવું એ ક્રૂરતા સમાન છે. કારણ કે, આવા જીવનસાથી સાથે રહેવું નુકસાનકારક હશે. આવી ધમકીઓ માનસિક શાંતિને અસર કરી શકે છે. માનસિક અને પારિવારિક રીતે અન્ય પક્ષ પર નકારાત્મક અસર કરી શકે છે. અદાલતે યોગ્ય રીતે કહ્યું કે પત્નીનું વર્તન અત્યંત ક્રૂરતાનું કૃત્ય હતું. કોર્ટે કહ્યું કે મહિલા એ સાબિત કરવામાં પણ નિષ્ફળ રહી કે તેની પાસેથી દહેજની કોઈ માંગણી કરવામાં આવી હતી. અથવા તેણીને હેરાન કરવામાં આવી હતી. વધુમાં, આવા અપ્રમાણિત આરોપ તેના પતિને માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડાનો દાવો કરવા સક્ષમ બનાવે છે.Delhi Crime News: દિલ્હી હાઈકોર્ટે ખાખા કેસમાં સુઓમોટો કરીને પોલીસ અને બાળ વિકાસ વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો

  1. Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે પારદર્શકતા જાળવવા માટે સ્ટાન્ડરાઈઝ્ડ ઓનલાઈન ફાઈલિંગ સિસ્ટમ મુજબ કાર્યવાહી કરવા જિલ્લા અદાલતોને આદેશ કર્યો

નવી દિલ્હી: લગ્ન પરસ્પર વિશ્વાસ અને આદર ઉપર નિર્ભર હોય છે. આ તમામ વસ્તુઓ બન્ને સાથીદારોએ ધ્યાનમાં રાખવી પડે છે. દિલ્હી હાઈકોર્ટે 2011 થી અલગ રહેતા દંપતીને સમાધાનની કોઈ શક્યતા ન હોવાથી છૂટાછેડાને માન્ય રાખ્યા છે. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની બેંચે તેના પતિની વિનંતી પર છૂટાછેડા આપવાનો ફેમિલી કોર્ટના આદેશ સામે પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી.

પતિ માટે મોટી માનસિક વેદના: પતિએ કોર્ટને જણાવ્યું હતું કે તેણીએ એવું કહીને કરવા ચોથનું વ્રત રાખવાની ના પાડી હતી કે તેણી અન્ય કોઈને તેનો પતિ માને છે અને તેણીના માતા-પિતાએ તેણીની મરજી વિરુદ્ધ મારી સાથે તેના લગ્ન ગોઠવી દીધા હતા. કોર્ટે કહ્યું કે આ પ્રકારનું અલગ થવું અને કોઈપણ સંબંધનો સતત અસ્વીકાર કરવો અથવા પ્રતિવાદીને પતિ તરીકે સ્વીકાર ન કરવો એ પતિ માટે મોટી માનસિક વેદના છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે લગ્નનો સંબંધ પરસ્પર વિશ્વાસ, આદર અને સાથીદારી પર આધારિત છે.

ભાવનાત્મક સંબંધથી વંચિત: કોર્ટે પત્નીની વૈવાહિક સંબંધ રાખવાની ભારે અનિચ્છાની નોંધ લીધી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ઘણી સમજાવટ પછી બંને પક્ષો વૈવાહિક સંબંધ વિકસાવવામાં સક્ષમ હતા. જે સંપૂર્ણપણે કોઈપણ ભાવનાત્મક સંબંધથી વંચિત હતા. મુખ્ય ન્યાયાધીશ, કૌટુંબિક અદાલતે યોગ્ય તારણ કાઢ્યું હતું કે બંને પક્ષો ઓક્ટોબર, 2011 થી અલગ રહેતા હતા અને તેમની વચ્ચે કોઈ વૈવાહિક સંબંધ નથી અને પરિવારો દ્વારા પ્રયત્નો કરવા છતાં સમાધાનની કોઈ શક્યતા નથી.

છૂટાછેડા માટે હકદાર: કોર્ટે કહ્યું કે મહિલાના પતિને ભારે માનસિક પીડા અને ક્રૂરતા હતી, જેના કારણે તે છૂટાછેડા માટે હકદાર હતો. વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેને અને તેના પરિવારને ક્રૂરતાના અસફળ ગુનાહિત કેસમાં ફસાવવા ઉપરાંત તેની પત્નીએ કરવા ચોથ ઉપવાસ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તે બીજાને પ્રેમ કરતી હતી. આ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પત્ની તેને કે તેના પરિવારના સભ્યોને માન આપતી નથી અને તેણે આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી.

આવા જીવનસાથી સાથે રહેવું નુકસાનકારક: કોર્ટે આદેશમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું છે કે આત્મહત્યાની ધમકીને કારણે સતત ડરવું એ ક્રૂરતા સમાન છે. કારણ કે, આવા જીવનસાથી સાથે રહેવું નુકસાનકારક હશે. આવી ધમકીઓ માનસિક શાંતિને અસર કરી શકે છે. માનસિક અને પારિવારિક રીતે અન્ય પક્ષ પર નકારાત્મક અસર કરી શકે છે. અદાલતે યોગ્ય રીતે કહ્યું કે પત્નીનું વર્તન અત્યંત ક્રૂરતાનું કૃત્ય હતું. કોર્ટે કહ્યું કે મહિલા એ સાબિત કરવામાં પણ નિષ્ફળ રહી કે તેની પાસેથી દહેજની કોઈ માંગણી કરવામાં આવી હતી. અથવા તેણીને હેરાન કરવામાં આવી હતી. વધુમાં, આવા અપ્રમાણિત આરોપ તેના પતિને માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડાનો દાવો કરવા સક્ષમ બનાવે છે.Delhi Crime News: દિલ્હી હાઈકોર્ટે ખાખા કેસમાં સુઓમોટો કરીને પોલીસ અને બાળ વિકાસ વિભાગ પાસે રિપોર્ટ માંગ્યો

  1. Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે પારદર્શકતા જાળવવા માટે સ્ટાન્ડરાઈઝ્ડ ઓનલાઈન ફાઈલિંગ સિસ્ટમ મુજબ કાર્યવાહી કરવા જિલ્લા અદાલતોને આદેશ કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.