ETV Bharat / bharat

WHOના દાવાઓ સાથે મળતા નથી યુપી સરકારનો કોવિડ પરીક્ષણ ડેટા

author img

By

Published : May 18, 2021, 10:05 AM IST

Updated : May 18, 2021, 12:15 PM IST

ઉત્તર પ્રદેશ સરકારે તાજેતરમાં ગ્રામીણ વિસ્તારો માટે પાંચ દિવસીય પરીક્ષણ, સારવાર અને સંપર્ક ટ્રેસીંગ અભિયાન હાથ ધર્યું હતું. તે પછી રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે બરાબર મેળ ખાતા નથી. તેની પુષ્ટિ કરવા ETV Bharatની ટીમે કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યાંના ગ્રામજનો સાથે વાત કરી. તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી એકઠી કરી હતી.

up
up
  • ગામડાંમાં જઈને કરાયેલી તપાસમાં જુદું જ ચિત્ર
  • ગામડામાં જઈને મુલાકાતો કરવામાં આવી તેમાં ટેસ્ટિંગમાં વધારો થયો હોય તેવું દેખાયું નથી
  • અહેવાલમાં જે ગામોનો ઉલ્લેખ હતો તેની ETV Bharatના રિપોર્ટરોએ મુલાકાત લીધી

હૈદરાબાદ/લખનઉ: ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને હરાવવા તાજેતરમાં રાજ્યની યોગી સરકારે પાંચ દિવસીય પરીક્ષણ, સારવાર અને સંપર્ક ટ્રેસિંગ અભિયાન હાથ ધર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝે પણ પોતાના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલમાં પ્રકાશિત ડેટા અને ETV Bharatની ગ્રાઉન્ડ ટીમે તેનું સૂક્ષ્મ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણને આઘાતજનક પરિણામો મળ્યાં. સરકારના દાવા હકિકત કરતા વિરુદ્ધ હોવાનું જણાયું છે.

ગંગા નદીમાં વહેતા મૃતદેહોને કારણે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં રહ્યું

તમને જણાવી દઈએ કે, ગંગા નદીમાં વહેતા મૃતદેહોને કારણે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં રહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પાંચ દિવસીય પરીક્ષણ અભિયાનને ટેકો મળ્યો હતો. 75 જિલ્લામાં 97,941 ગામોને આવરી લેવાની યોજના હતી, પરંતુ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાની દ્રષ્ટિએ, જેટલા દાવાઓ કર્યા હતા તેટલો પરીક્ષણની સંખ્યામાં વધારો થયો ન હતો. આ આંકડા કોવિડ 19India.org પર ઉપલબ્ધ છે. અમારી ટીમે આ વિષય પર ગ્રામજનો, આરોગ્ય કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા અંગેનું ETV BHARAT દ્વારા સાચુ, સચોટ અને સતત કવરેજ

ઉત્તર પ્રદેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડાં નોંધાયા છે, તેમાં ખાસ કોઈ વધારો દેખાયો નથી

WHO ભારત કચેરીએ પાંચ દિવસ માટે આ ઝુંબેશ ચલાવી તેમાં 75 જિલ્લાઓમાં 97,941 ગામડાંને આવરી લેવાના હતા. પરંતુ આ પાંચ દિવસીય ઝુંબેશના સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડાં નોંધાયા છે, તેમાં ખાસ કોઈ વધારો દેખાયો નથી. કેટલાક ગામોની ETV Bharatના પત્રકારોએ મુલાકાત લીધી અને ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમાંથી પણ આંકડાં વિશે શંકા જાગે છે.

ઉત્તર પ્રદેશ કોવિડ-19 રોકવા માટે છેક છેવાડે પહોંચી રહ્યું છે

‘ઉત્તર પ્રદેશ કોવિડ-19 રોકવા માટે છેક છેવાડે પહોંચી રહ્યું છે’ એવા શિર્ષક સાથેના અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકારે 141,610 ટીમો તૈયાર કરી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના 21,242 સુપરવાઇઝરોને જવાબદારી સોંપાઈ હતી કે રાજ્યના સમગ્ર ગ્રામીણ વિસ્તારને આવરી લેવામાં આવે.

WHOના ફીલ્ડ અધિકારીઓએ 2000 આરોગ્ય ટીમો પર નજર રાખી હતી

પ્રથમ દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ફીલ્ડ અધિકારીઓએ 2000 આરોગ્ય ટીમો પર નજર રાખી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આ સંસ્થાએ જણાવ્યું છે કે પ્રારંભના દિવસે 2000 જેટલી સરકારી ટીમોની દેખરેખ WHOના ફિલ્ડ ઓફિસરોએ કરી હતી અને ઓછામાં ઓછા 10,000 ઘરોની મુલાકાત લીધી હતી. જોકે https://www.covid19india.org/state/UP વેબસાઇટ પર પાંચમી મેથી શરૂ થયેલી આ પાંચ દિવસય ઝુંબેશ દરમિયાન આંકડામાં ખાસ વધારો દેખાયો નહોતો.

  • ETV Bharatનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ

અહેવાલમાં જે ગામોનો ઉલ્લેખ હતો તેની ETV Bharatના રિપોર્ટરોએ મુલાકાત લીધી

WHO તરફથી અહેવાલ પ્રગટ થયો તે પછી ETV Bharatના રિપોર્ટરોએ ઉત્તર પ્રદેશના ગામડાંની મુલાકાત લીધી. ગામના સરપંચો, આરોગ્ય કર્મચારીઓ અને સંબંધિત સત્તાવાળાઓ સાથે વાતચીત કરીને વાસ્તવિક સ્થિતિ જાણવાની કોશિશ કરી. બારાબંકી જિલ્લાના સિપાહિયા ગામમાં ગયેલી પોતાની ટીમની તસવીર WHOએ અહેવાલ સાથે પ્રગટ કરી હતી, તે ગામની પણ મુલાકાત લીધી.

ગાઝીપુર જિલ્લાના કાસિમાબાદ તાલુકાના બેન્સડા ગામમાં કોઈ આરોગ્ય ટીમ આવી નથી

ગાઝીપુર જિલ્લાના કાસિમાબાદ તાલુકાના બેન્સડા ગામના લોકોએ ઈટીવી ભારતને જણાવ્યું કે, આરોગ્ય વિભાગની કોઈ ટીમ ગામે આવી નથી. ગ્રામજનો કહે છે કે, ગામમાં સ્થિતિ ખરાબ છે અને ઘરેઘરે લોકો બીમાર પડી રહ્યા છે.

આ પણ વાંચો: બક્સરના ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ

બસ્તી જિલ્લાના ગામોમાં WHOની કામગીરી જોવા મળી નથી

બસ્તી જિલ્લામાં દુબોલિયા તાલુકાના બક્સર અને પેઠિયા લક્શરી ગામોમાં હજી સુધી WHOની કામગીરી જોવા મળી નથી.

સહરાનપુર જિલ્લાના રહેવાસીઓ કહે છે કે તેમને કોઈ કામગીરી જોવા મળી નથી

સહરાનપુર જિલ્લાના ગામોમાં પણ સ્થિતિ સારી નથી. WHOના કાર્યક્રમ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે ઘણા રહેવાસીઓએ જણાવ્યું કે તેમને કશી જાણ નથી. તેઓએ જણાવ્યું કે તેઓ ભગવાન ભરોસે છે અને WHO અથવા આરોગ્ય વિભાગે તેમને કોઈ દવાઓ આપી નથી.

WHOએ જણાવ્યું કે, તેમની મુખ્ય કામગીરી સર્વેલન્સ અને મોનિટરિંગની છે

આ વિશે માહિતી માટે ETV Bharatએ સંપર્ક કર્યો ત્યારે WHOએ ઇમેઇલથી જવાબ મોકલ્યો કે WHOની ભૂમિકા સર્વેલન્સ અને મોનિટરિંગની હોય છે. સમગ્ર દેશમાં ફિલ્ડમાં આ કામગીરી તેઓ કરે છે. તેમના મેડિકલ ઓફિસરોની વધારે મોટી ટીમ ઘણા વર્ષોથી ઉત્તર પ્રદેશમાં કામ કરી રહી છે.

પાંચ દિવસીય ટેસ્ટિંગ ઝુંબેશ માત્ર કાગળ પર

જો કે, સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી તેના પરથી સ્પષ્ટ થાય છે કે સત્તાધીશોએ કરેલા દાવા પ્રમાણે પાંચ દિવસ માટેની ઘરેઘરે જઈને ટેસ્ટિંગ કરવાની WHOની ટેસ્ટિંગ ઝુંબેશનું કોઈ ખાસ પરિણામ આવ્યું નથી.

  • ગામડાંમાં જઈને કરાયેલી તપાસમાં જુદું જ ચિત્ર
  • ગામડામાં જઈને મુલાકાતો કરવામાં આવી તેમાં ટેસ્ટિંગમાં વધારો થયો હોય તેવું દેખાયું નથી
  • અહેવાલમાં જે ગામોનો ઉલ્લેખ હતો તેની ETV Bharatના રિપોર્ટરોએ મુલાકાત લીધી

હૈદરાબાદ/લખનઉ: ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને હરાવવા તાજેતરમાં રાજ્યની યોગી સરકારે પાંચ દિવસીય પરીક્ષણ, સારવાર અને સંપર્ક ટ્રેસિંગ અભિયાન હાથ ધર્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝે પણ પોતાના અહેવાલમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલમાં પ્રકાશિત ડેટા અને ETV Bharatની ગ્રાઉન્ડ ટીમે તેનું સૂક્ષ્મ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણને આઘાતજનક પરિણામો મળ્યાં. સરકારના દાવા હકિકત કરતા વિરુદ્ધ હોવાનું જણાયું છે.

ગંગા નદીમાં વહેતા મૃતદેહોને કારણે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં રહ્યું

તમને જણાવી દઈએ કે, ગંગા નદીમાં વહેતા મૃતદેહોને કારણે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં રહ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પાંચ દિવસીય પરીક્ષણ અભિયાનને ટેકો મળ્યો હતો. 75 જિલ્લામાં 97,941 ગામોને આવરી લેવાની યોજના હતી, પરંતુ ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાની દ્રષ્ટિએ, જેટલા દાવાઓ કર્યા હતા તેટલો પરીક્ષણની સંખ્યામાં વધારો થયો ન હતો. આ આંકડા કોવિડ 19India.org પર ઉપલબ્ધ છે. અમારી ટીમે આ વિષય પર ગ્રામજનો, આરોગ્ય કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા અંગેનું ETV BHARAT દ્વારા સાચુ, સચોટ અને સતત કવરેજ

ઉત્તર પ્રદેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડાં નોંધાયા છે, તેમાં ખાસ કોઈ વધારો દેખાયો નથી

WHO ભારત કચેરીએ પાંચ દિવસ માટે આ ઝુંબેશ ચલાવી તેમાં 75 જિલ્લાઓમાં 97,941 ગામડાંને આવરી લેવાના હતા. પરંતુ આ પાંચ દિવસીય ઝુંબેશના સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોરોના ટેસ્ટિંગના આંકડાં નોંધાયા છે, તેમાં ખાસ કોઈ વધારો દેખાયો નથી. કેટલાક ગામોની ETV Bharatના પત્રકારોએ મુલાકાત લીધી અને ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમાંથી પણ આંકડાં વિશે શંકા જાગે છે.

ઉત્તર પ્રદેશ કોવિડ-19 રોકવા માટે છેક છેવાડે પહોંચી રહ્યું છે

‘ઉત્તર પ્રદેશ કોવિડ-19 રોકવા માટે છેક છેવાડે પહોંચી રહ્યું છે’ એવા શિર્ષક સાથેના અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકારે 141,610 ટીમો તૈયાર કરી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના 21,242 સુપરવાઇઝરોને જવાબદારી સોંપાઈ હતી કે રાજ્યના સમગ્ર ગ્રામીણ વિસ્તારને આવરી લેવામાં આવે.

WHOના ફીલ્ડ અધિકારીઓએ 2000 આરોગ્ય ટીમો પર નજર રાખી હતી

પ્રથમ દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ફીલ્ડ અધિકારીઓએ 2000 આરોગ્ય ટીમો પર નજર રાખી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આ સંસ્થાએ જણાવ્યું છે કે પ્રારંભના દિવસે 2000 જેટલી સરકારી ટીમોની દેખરેખ WHOના ફિલ્ડ ઓફિસરોએ કરી હતી અને ઓછામાં ઓછા 10,000 ઘરોની મુલાકાત લીધી હતી. જોકે https://www.covid19india.org/state/UP વેબસાઇટ પર પાંચમી મેથી શરૂ થયેલી આ પાંચ દિવસય ઝુંબેશ દરમિયાન આંકડામાં ખાસ વધારો દેખાયો નહોતો.

  • ETV Bharatનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ

અહેવાલમાં જે ગામોનો ઉલ્લેખ હતો તેની ETV Bharatના રિપોર્ટરોએ મુલાકાત લીધી

WHO તરફથી અહેવાલ પ્રગટ થયો તે પછી ETV Bharatના રિપોર્ટરોએ ઉત્તર પ્રદેશના ગામડાંની મુલાકાત લીધી. ગામના સરપંચો, આરોગ્ય કર્મચારીઓ અને સંબંધિત સત્તાવાળાઓ સાથે વાતચીત કરીને વાસ્તવિક સ્થિતિ જાણવાની કોશિશ કરી. બારાબંકી જિલ્લાના સિપાહિયા ગામમાં ગયેલી પોતાની ટીમની તસવીર WHOએ અહેવાલ સાથે પ્રગટ કરી હતી, તે ગામની પણ મુલાકાત લીધી.

ગાઝીપુર જિલ્લાના કાસિમાબાદ તાલુકાના બેન્સડા ગામમાં કોઈ આરોગ્ય ટીમ આવી નથી

ગાઝીપુર જિલ્લાના કાસિમાબાદ તાલુકાના બેન્સડા ગામના લોકોએ ઈટીવી ભારતને જણાવ્યું કે, આરોગ્ય વિભાગની કોઈ ટીમ ગામે આવી નથી. ગ્રામજનો કહે છે કે, ગામમાં સ્થિતિ ખરાબ છે અને ઘરેઘરે લોકો બીમાર પડી રહ્યા છે.

આ પણ વાંચો: બક્સરના ગંગા ઘાટમાં 4 ડઝનથી વધુ તરતા મળ્યા મૃતદેહ

બસ્તી જિલ્લાના ગામોમાં WHOની કામગીરી જોવા મળી નથી

બસ્તી જિલ્લામાં દુબોલિયા તાલુકાના બક્સર અને પેઠિયા લક્શરી ગામોમાં હજી સુધી WHOની કામગીરી જોવા મળી નથી.

સહરાનપુર જિલ્લાના રહેવાસીઓ કહે છે કે તેમને કોઈ કામગીરી જોવા મળી નથી

સહરાનપુર જિલ્લાના ગામોમાં પણ સ્થિતિ સારી નથી. WHOના કાર્યક્રમ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે ઘણા રહેવાસીઓએ જણાવ્યું કે તેમને કશી જાણ નથી. તેઓએ જણાવ્યું કે તેઓ ભગવાન ભરોસે છે અને WHO અથવા આરોગ્ય વિભાગે તેમને કોઈ દવાઓ આપી નથી.

WHOએ જણાવ્યું કે, તેમની મુખ્ય કામગીરી સર્વેલન્સ અને મોનિટરિંગની છે

આ વિશે માહિતી માટે ETV Bharatએ સંપર્ક કર્યો ત્યારે WHOએ ઇમેઇલથી જવાબ મોકલ્યો કે WHOની ભૂમિકા સર્વેલન્સ અને મોનિટરિંગની હોય છે. સમગ્ર દેશમાં ફિલ્ડમાં આ કામગીરી તેઓ કરે છે. તેમના મેડિકલ ઓફિસરોની વધારે મોટી ટીમ ઘણા વર્ષોથી ઉત્તર પ્રદેશમાં કામ કરી રહી છે.

પાંચ દિવસીય ટેસ્ટિંગ ઝુંબેશ માત્ર કાગળ પર

જો કે, સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી તેના પરથી સ્પષ્ટ થાય છે કે સત્તાધીશોએ કરેલા દાવા પ્રમાણે પાંચ દિવસ માટેની ઘરેઘરે જઈને ટેસ્ટિંગ કરવાની WHOની ટેસ્ટિંગ ઝુંબેશનું કોઈ ખાસ પરિણામ આવ્યું નથી.

Last Updated : May 18, 2021, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.