- ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14,348 નવા કેસ
- જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,61,334 થઈ
- કોવિડ-19નો રિકવરી રેટ 98.19 ટકા
નવી દિલ્હી: ભારતમાં (India)એક જ દિવસમાં 14,348 લોકો કોરોના વાયરસથી (Corona virus)સંક્રમિત જોવા મળતાં, મહામારીના કુલ કેસોની સંખ્યા વધીને 3,42,46,157 થઈ ગઈ છે જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 1,61,334 થઈ ગઈ છે.
કોરોના વાયરસના દૈનિક કેસ સતત 35માં દિવસે 30,000થી ઓછા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના (Union Ministry of Health)શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીના અપડેટ ડેટા અનુસાર, સંક્રમણ કારણે 805 દર્દીઓના વધુ જીવ ગુમાવવાને કારણે મૃત્યુઆંક વધીને 4,57,191 થઈ ગયો છે. કોરોના વાયરસના દૈનિક કેસ સતત 35માં દિવસે 30,000થી ઓછા અને સતત 124મા દિવસે 50,000થી ઓછા છે.
કુલ કેસો | 3,42,46,157 |
કુલ સક્રિય કેસો | 1,61,334 |
કુલ ડિસ્ચાર્જ | 3,36,27,632 |
કુલ મૃત્યુ | 4,57,191 |
કુલ રસીકરણ | 1,04,82,00,966 |
માર્ચ 2020 પછી સૌથી ઓછી સંક્રમીતોના કુલ કેસોમાં ઘટાડો