ETV Bharat / bharat

India Corona Update: છેલ્લા 24 કલાકમાં 11,466 નવા કેસ, 460 મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં 460 લોકોના મોત થયા છે, જ્યારે કેરળમાં આ સંખ્યા 47 છે.સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,39,683 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.41 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 955નો ઘટાડો થયો છે.

author img

By

Published : Nov 10, 2021, 12:54 PM IST

Corona Update: ભારતમાં 24 કલાકમાં 11,466 નવા કેસ, 460 મોત
Corona Update: ભારતમાં 24 કલાકમાં 11,466 નવા કેસ, 460 મોત

નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં કોવિડ-19(Covid-19)ના 11,466 નવા કેસ નોંધાયા બાદ બુધવારે દેશમાં કોરોના (Corona in the country)વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,43,88,579 થઈ ગઈ છે. તેમજ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 1,39,683 થઈ ગઈ છે, જે 264 દિવસમાં સૌથી ઓછી છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health)દ્વારા બુધવારે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં સંક્રમણને કારણે વધુ 460 લોકોના મોત થયા બાદ, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,61,849 થઈ ગઈ છે. દેશમાં સતત 33 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસો 20 હજારથી ઓછા છે અને 136 દિવસમાં 50 હજારથી ઓછા રોજના નવા કેસ સામે આવી રહ્યા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,39,683 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.41 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 955નો ઘટાડો થયો છે.

સાપ્તાહિક સંક્રમણ દર 1.20 ટકા

ડેટા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક સંક્રમણ દર 0.90 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.20 ટકા છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,87,047 લોકો સંક્રમણમુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 109.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે..

ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ

દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા, આ વર્ષે 4 મેના રોજ બે કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા.

આ પણ વાંચોઃ રેલવે પ્રધાનની મહત્વની જાહેરાત, કોરોના દરમિયાન વધારવામાં આવેલા ભાડામાં થશે ઘટાડો

આ પણ વાંચોઃ સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં અફઘાન સંકટ પર ચર્ચા, બેઠકમાં 8 દેશો લીધો ભાગ

નવી દિલ્હી: ભારતમાં એક દિવસમાં કોવિડ-19(Covid-19)ના 11,466 નવા કેસ નોંધાયા બાદ બુધવારે દેશમાં કોરોના (Corona in the country)વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,43,88,579 થઈ ગઈ છે. તેમજ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 1,39,683 થઈ ગઈ છે, જે 264 દિવસમાં સૌથી ઓછી છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health)દ્વારા બુધવારે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં સંક્રમણને કારણે વધુ 460 લોકોના મોત થયા બાદ, આ મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,61,849 થઈ ગઈ છે. દેશમાં સતત 33 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસો 20 હજારથી ઓછા છે અને 136 દિવસમાં 50 હજારથી ઓછા રોજના નવા કેસ સામે આવી રહ્યા છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા પણ ઘટીને 1,39,683 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.41 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 955નો ઘટાડો થયો છે.

સાપ્તાહિક સંક્રમણ દર 1.20 ટકા

ડેટા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક સંક્રમણ દર 0.90 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.20 ટકા છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,87,047 લોકો સંક્રમણમુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 109.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે..

ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ

દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. તે જ સમયે, ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા, આ વર્ષે 4 મેના રોજ બે કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા.

આ પણ વાંચોઃ રેલવે પ્રધાનની મહત્વની જાહેરાત, કોરોના દરમિયાન વધારવામાં આવેલા ભાડામાં થશે ઘટાડો

આ પણ વાંચોઃ સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં અફઘાન સંકટ પર ચર્ચા, બેઠકમાં 8 દેશો લીધો ભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.