ETV Bharat / bharat

coonoor helicopter crash : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન

author img

By

Published : Dec 15, 2021, 12:59 PM IST

Updated : Dec 15, 2021, 2:50 PM IST

તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ(coonoor helicopter crash) સર્વાઈવર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ, જેઓ બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તેમનું નિધન(Group Captain Varun Singh dies)થયું છે.

coonoor helicopter crash : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન
coonoor helicopter crash : ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન
  • ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન
  • બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
  • ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરી આપી માહિતી

નવી દિલ્હી: તમિલનાડુ હેલિકોપ્ટર (CDS Helicopter Crash In Coonoor) દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ નિધન થયું છે. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (cds general bipin rawat) , તેમની પત્ની અને અન્ય 11 સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

બેંગલુરુની મિલિટરી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

વરુણ સિંહની બેંગલુરુની મિલિટરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગ્રુપ કેપ્ટન સિંહને તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 8 ડિસેમ્બરના રોજ થયેલા અકસ્માત બાદ, ગ્રુપ કેપ્ટનને ગંભીર રીતે દાઝી ગયેલી સ્થિતીમાં વેલિંગ્ટનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરી આપી માહિતી

ભારતીય વાયુસેનાએ બુધવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે, "ભારતીય વાયુસેના બહાદુર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન (Group Captain Varun Singh dies) વિશે જણાવતા ખૂબ જ દુઃખી છે, જેઓ આજે સવારે 08 ડિસેમ્બર 2021ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં (coonoor helicopter crash) ઇજાગ્રસ્ત થવાથી મૃત્યુ પામ્યા હતા. ભારતીય વાયુસેના નિષ્ઠાવાન છે, તેમના માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને શોકગ્રસ્ત પરિવાર સાથે ઊભા છીએ."

આ પણ વાંચો:

CDS Helicopter Crash In Coonoor: દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા વરુણ સિંહે ગુજરાતના આ શહેરમાં કર્યો હતો અભ્યાસ

Chief of Defense Staff: સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરશે; જનરલ નરવણે રેસમાં આગળ

  • ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન
  • બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
  • ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરી આપી માહિતી

નવી દિલ્હી: તમિલનાડુ હેલિકોપ્ટર (CDS Helicopter Crash In Coonoor) દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ નિધન થયું છે. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (cds general bipin rawat) , તેમની પત્ની અને અન્ય 11 સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો.

બેંગલુરુની મિલિટરી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર

વરુણ સિંહની બેંગલુરુની મિલિટરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગ્રુપ કેપ્ટન સિંહને તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 8 ડિસેમ્બરના રોજ થયેલા અકસ્માત બાદ, ગ્રુપ કેપ્ટનને ગંભીર રીતે દાઝી ગયેલી સ્થિતીમાં વેલિંગ્ટનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરી આપી માહિતી

ભારતીય વાયુસેનાએ બુધવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે, "ભારતીય વાયુસેના બહાદુર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના નિધન (Group Captain Varun Singh dies) વિશે જણાવતા ખૂબ જ દુઃખી છે, જેઓ આજે સવારે 08 ડિસેમ્બર 2021ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં (coonoor helicopter crash) ઇજાગ્રસ્ત થવાથી મૃત્યુ પામ્યા હતા. ભારતીય વાયુસેના નિષ્ઠાવાન છે, તેમના માટે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને શોકગ્રસ્ત પરિવાર સાથે ઊભા છીએ."

આ પણ વાંચો:

CDS Helicopter Crash In Coonoor: દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા વરુણ સિંહે ગુજરાતના આ શહેરમાં કર્યો હતો અભ્યાસ

Chief of Defense Staff: સરકાર આગામી CDSની નિમણૂક પ્રક્રિયા શરૂ કરશે; જનરલ નરવણે રેસમાં આગળ

Last Updated : Dec 15, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.