ETV Bharat / bharat

સલમાન ખુર્શીદ સામે નોંધાઈ ફરિયાદ, પુસ્તકમાં હિન્દુત્વની ISIS અને બોકો હરામ સાથે સરખામણી

author img

By

Published : Nov 11, 2021, 2:25 PM IST

સલમાન ખુર્શીદના પુસ્તકમાં હિન્દુત્વને લઈને આપવામાં આવેલા વાંધાજનક નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ (Complaint to Delhi Police)કરવામાં આવી છે.આ પુસ્તક વાંચ્યા બાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલ (Advocate Vineet Jindale) વતી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને(Police Commissioner Rakesh Asthana) ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે.

સલમાન ખુર્શીદ સામે નોંધાઈ ફરિયાદ, પુસ્તકમાં હિન્દુત્વની ISIS અને બોકો હરામ સાથે સરખામણી
સલમાન ખુર્શીદ સામે નોંધાઈ ફરિયાદ, પુસ્તકમાં હિન્દુત્વની ISIS અને બોકો હરામ સાથે સરખામણી
  • સલમાન ખુર્શીદના પુસ્તકમાં વાંધાજનક નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ
  • પુસ્તકમાં હિંદુત્વની તુલના જેહાદી જૂથ ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી
  • ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે

નવી દિલ્હીઃ સલમાન ખુર્શીદ(Salman Khurshid)ના પુસ્તક(The book)માં હિન્દુત્વને લઈને આપવામાં આવેલા વાંધાજનક નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ (Complaint to Delhi Police)કરવામાં આવી છે. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલે(Advocate Vineet Jindale) કરી છે. આ ફરિયાદમાં તેમણે કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ(Congress leader Salman Khurshid) પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેણે સલમાન ખુર્શીદ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

તાજેતરમાં કૉંગ્રેસનેતા સલમાન ખુર્શીદનું પુસ્તક બહાર પડ્યું

તાજેતરમાં કૉંગ્રેસનેતા સલમાન ખુર્શીદનું પુસ્તક બહાર પડ્યું (Congress leader Salman Khurshid's book came out)છે. આ પુસ્તક વાંચ્યા બાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલ (Vineet Jindal)વતી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ કાયદા પ્રધાન સલમાન ખુર્શીદના પુસ્તકમાં હિંદુત્વની તુલના જેહાદી જૂથ ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે.

હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણમાં તમામ લોકોને સમાન રીતે બોલવાનો અધિકાર છે. પરંતુ તેનો દુરુપયોગ ન થવો જોઈએ. તેમના આ નિવેદનથી દેશમાં શાંતિ ડહોળી શકે છે. તેણે હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી છે, જેના કારણે લોકો નારાજ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખુર્શીદ સાંસદ હોવા ઉપરાંત દેશના પૂર્વ કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના શબ્દોની જનતા પર મોટી અસર પડે છે. તેથી, તેમની સામે IPCની કલમ 153/153a/298 અને 505(2) હેઠળ કેસ નોંધવો જોઈએ.

આ પણ વાંચોઃ 'સનરાઇઝ ઓવર અયોધ્યા' માં સલમાન ખુર્શીદે કહ્યું, અયોધ્યા પર કોર્ટનો નિર્ણય સાચો છે

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં અમેરિકાનું સ્વાગત કર્યું

  • સલમાન ખુર્શીદના પુસ્તકમાં વાંધાજનક નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ
  • પુસ્તકમાં હિંદુત્વની તુલના જેહાદી જૂથ ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી
  • ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે

નવી દિલ્હીઃ સલમાન ખુર્શીદ(Salman Khurshid)ના પુસ્તક(The book)માં હિન્દુત્વને લઈને આપવામાં આવેલા વાંધાજનક નિવેદનને લઈને દિલ્હી પોલીસને ફરિયાદ (Complaint to Delhi Police)કરવામાં આવી છે. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલે(Advocate Vineet Jindale) કરી છે. આ ફરિયાદમાં તેમણે કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ(Congress leader Salman Khurshid) પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેણે સલમાન ખુર્શીદ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

તાજેતરમાં કૉંગ્રેસનેતા સલમાન ખુર્શીદનું પુસ્તક બહાર પડ્યું

તાજેતરમાં કૉંગ્રેસનેતા સલમાન ખુર્શીદનું પુસ્તક બહાર પડ્યું (Congress leader Salman Khurshid's book came out)છે. આ પુસ્તક વાંચ્યા બાદ સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિનીત જિંદાલ (Vineet Jindal)વતી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ કાયદા પ્રધાન સલમાન ખુર્શીદના પુસ્તકમાં હિંદુત્વની તુલના જેહાદી જૂથ ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેમના નિવેદનથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચે છે.

હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ભારતના બંધારણમાં તમામ લોકોને સમાન રીતે બોલવાનો અધિકાર છે. પરંતુ તેનો દુરુપયોગ ન થવો જોઈએ. તેમના આ નિવેદનથી દેશમાં શાંતિ ડહોળી શકે છે. તેણે હિંદુત્વની સરખામણી ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરી છે, જેના કારણે લોકો નારાજ છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખુર્શીદ સાંસદ હોવા ઉપરાંત દેશના પૂર્વ કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના શબ્દોની જનતા પર મોટી અસર પડે છે. તેથી, તેમની સામે IPCની કલમ 153/153a/298 અને 505(2) હેઠળ કેસ નોંધવો જોઈએ.

આ પણ વાંચોઃ 'સનરાઇઝ ઓવર અયોધ્યા' માં સલમાન ખુર્શીદે કહ્યું, અયોધ્યા પર કોર્ટનો નિર્ણય સાચો છે

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં અમેરિકાનું સ્વાગત કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.