કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર એવી ટિપ્પણી કરી છે(CM MAMATA ON HER COMMENT ON RSS) કે હવે તેઓ કોંગ્રેસ અને CPM જેવી પાર્ટીઓની ટીકાનો સામનો કરી રહ્યા છે. આ પક્ષોએ કહ્યું કે મમતા બેનર્જી ભૂતકાળમાં પણ RSSની મદદ લેતી રહી છે(Opposition upset with Mamata Banerjee ). વાસ્તવમાં, મુખ્યપ્રધાને બુધવારે કહ્યું હતું કે, RSSમાં દરેક વ્યક્તિ "ખરાબ" નથી અને તેમાં એવા ઘણા લોકો છે જેઓ ભારતીય જનતા પાર્ટી ને સમર્થન કરતા નથી.
મમતાએ કર્યા RSSના વખાણ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM), કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદીએ મમતાની ટિપ્પણીને લઇને ટીકા કરી હતી. જ્યારે ભાજપે કહ્યું હતું કે, તેને તેમના તરફથી પ્રમાણપત્રની જરૂર નથી. તેની પ્રશંસા પર ટિપ્પણી કરવાને બદલે, RSS બંગાળના રાજકીય હિંસાના રેકોર્ડનો ઉલ્લેખ કર્યો અને સુધારાત્મક પગલાં માટે હાકલ કરી હતી.
વિપક્ષોએ મમતા પર કરી ટિપ્પણી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મમતા પર તેમની ટિપ્પણી માટે સૌથી વધુ આકરા પ્રહારો કર્યા હતા. 2003માં પણ તેમણે RSSને 'દેશભક્ત' કહ્યા હતા અને બદલામાં RSSએ તેમને દેવી દુર્ગા કહ્યા હતા. "આશા છે કે TMCનો મુસ્લિમ ચહેરો તેની ઈમાનદારી અને તેના સ્ટેન્ડમાં સાતત્ય માટે તેની પ્રશંસા કરશે." તૃણમૂલ કોંગ્રેસે ઓવૈસીની ટીપ્પણીને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીએ તેમના માટે ધર્મનિરપેક્ષ પાત્ર સાબિત કરવાની જરૂર નથી.
અગાઉ પણ RSSના વખાણ કરી ચૂક્યા છે મમતા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે મમતા RSSની પ્રશંસા કરી હોય. તેમણે 2003નો ઉલ્લેખ કરતા કહ્યું કે, મમતાએ RSSના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે રાજ્યમાં તત્કાલીન ડાબેરી મોરચાની સરકારને તોડવા માટે તેનો ટેકો માંગ્યો હતો. મમતાએ ભૂતકાળમાં પણ RSSનો આભાર વ્યક્ત કર્યો છે. "ક્યારેક તે હિંદુ રૂઢિચુસ્તોને આકર્ષે છે તો ક્યારેક મુસ્લિમોને ચૂંટણીમાં લાભ મેળવવા માટે.
RSSએ આપ્યો જવાબ RSSના રાજ્ય મહાસચિવ જિષ્ણુ બસુએ કહ્યું કે, રાજકીય મતભેદો હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે વિરોધીઓને મારવામાં સામેલ થવું. રાજ્યમાં ચૂંટણી પછીની હિંસાની ઘટનાઓમાં લગભગ 60 લોકો માર્યા ગયા હતા. 'તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ. જેમણે તેમને મત આપ્યો અને જેમણે ન આપ્યો તેમના તેઓ મુખ્ય પ્રધાન છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, RSS કે બીજેપીને મમતા તરફથી પ્રમાણપત્રની જરૂર નથી.