ETV Bharat / bharat

Chhattisgarh news : નશામાં ધૂત ગર્ભવતી મહિલાએ પતિની કરી હત્યા

author img

By

Published : Jul 22, 2023, 9:26 PM IST

છત્તીસગઢના કાંકેરમાં નશામાં ધૂત ગર્ભવતી પત્નીએ પતિની હત્યા કરી નાખી. કુહાડીથી ઇજા કર્યા બાદ પત્ની ઘરમાં જ ઔષધિ વડે પતિની સારવાર કરતી હતી. પતિના મૃત્યુ બાદ મહિલા અંતિમ સંસ્કારની તૈયારી કરી રહી હતી, પરંતુ આ દરમિયાન પોલીસ પહોંચી અને મહિલાની ધરપકડ કરી. મહિલાને 5 બાળકો છે અને છઠ્ઠું બાળક ગર્ભમાં છે.

Chhattisgarh news : નશામાં ધૂત મહિલાએ પતિની કરી હત્યા, છઠું બાળક પેટમાં છે
Chhattisgarh news : નશામાં ધૂત મહિલાએ પતિની કરી હત્યા, છઠું બાળક પેટમાં છે

છત્તીસગઢ કાંકેર : આમાબેડા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ રાય ગામમાં નજીવા ઘરેલુ વિવાદમાં નશામાં ધૂત પત્નીએ પોતાના પતિની કુહાડી વડે હત્યા કરી હતી. પતિને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ તેણીએ ઘરે સારવાર ચાલુ રાખી હતી. પતિનું માથું ફાટી ગયું હતું અને પરિસ્થિતિ ચિંતાજનક હતી. પોલીસ પાસે જવાના ડરથી પત્નીએ તેને માથા પર પાટો બાંધીને ઘરમાં જ રાખ્યો હતો અને જડીબુટ્ટીઓથી તેની સારવાર કરવા લાગી હતી. ઘટનાના ચાર દિવસ બાદ જ્યારે પતિનું અવસાન થયું ત્યારે મહિલા તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરી રહી હતી. પરંતુ તે પહેલા જ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ હત્યાનો ખુલાસો થયો હતો.

આ છે મામલો : આ ઘટના પાંચ દિવસ પહેલા 16 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે બની હતી. રાય ગામની રહેવાસી 30 વર્ષીય મહિલા મનકી પરચાપી દારૂ પીને પોતાના ઘરે બેઠી હતી. દરમિયાન પતિ સગારામ પરચાપી (35 વર્ષ) પહોંચ્યો હતો. બંને વચ્ચે પારિવારિક બાબતને લઈને ઝઘડો થયો હતો. જેના કારણે નશામાં ધૂત પત્નીએ અચાનક પિત્તો ગુમાવી દીધો હતો અને ઘરમાં રાખેલી હથિયારથી પતિના માથામાં પૂરા જોરથી મારી દીધું હતું. એક જ હુમલામાં પતિ ગંભીર રીતે ઘવાયો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

હુમલા બાદ શરૂ કરી સારવાર : હુમલા બાદ પત્નીએ પોતાની જાતને સંભાળીને શાંત કરી અને પતિના માથા પર પાટો બાંધીને તેને પથારીમાં સુવડાવી દીધો. આ પછી જડીબુટ્ટીથી સારવાર કરનાર બૈગા ગુનિયાનો સંપર્ક કરતાં તેણીએ તેના પતિને માથામાં ઈજા થયાની માહિતી આપતાં તેણે જડીબુટ્ટીથી સારવાર શરૂ કરી. પરંતુ ઘટનાના ચોથા દિવસે એટલે કે 19 જુલાઇની રાત્રે પતિનું મૃત્યુ થયું હતું. આ પછી પણ પત્ની પોલીસ પાસે ન ગઈ અને ગુપ્ત રીતે પતિના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગી. પરંતુ ગામના આગેવાન અને કોટવાર ત્યાં પહોંચી ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકનો કબજો લઈ મહિલાને પૂછપરછ માટે આમાબેડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ તેના પતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

નશામાં ધૂત પત્નીને ખબર નથી કે હત્યા કેમ કરી : પોલીસના જણાવ્યા અનુસાર પારિવારિક વિવાદ બાદ મહિલાએ તેના પતિની હત્યા કરી હતી. પરંતુ વિવાદનું કારણ હજુ સામે આવ્યું નથી. આરોપી પત્ની માત્ર એટલું જ કહી રહી છે કે તેણે દારૂ પીધો હતો અને તેના પતિ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પત્ની દારૂની આદત હોવાના કારણે પતિ નારાજ હતો. બંને વચ્ચે રોજ ઝઘડો થતો રહેતો હતો.

પારિવારિક વિવાદ બાદ મહિલાએ તેના પતિની હત્યા કરી હતી. પત્નીની ધરપકડ કરવામાં આવી છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હુમલા બાદ પત્ની ઈજાગ્રસ્ત પતિની ઘરે જ સારવાર કરી રહી હતી. હત્યા પાછળનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. બાબતે તપાસ ચાલુ છે. આરોપી મહિલા સામે હત્યાનો ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જીતેન્દ્ર સાહુ (આમાબેડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ)

ખોળે પાંચમું અને ગર્ભમાં છઠ્ઠું બાળક : પતિપત્નીને કુલ પાંચ બાળકો છે. જેમાં પાંચમું બાળક દોઢ વર્ષનું છે જે ખોળામાં છે. જ્યારે મહિલા પણ હાલમાં ગર્ભવતી છે. મહિલાના પાંચ બાળકોમાંથી બેનો જન્મ લગ્ન પહેલાં જ થયો હતો. આ તમામ બાળકો તેના પતિના જ છે. દોઢ વર્ષનું બાળક મહિલા સાથે હોવાથી પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલા તેના હાથમાં બાળકને લઈને કોર્ટમાં હાજર થઈ હતી. માનવામાં આવે છે કે કોર્ટની પરવાનગી બાદ મહિલાને બાળકની સાથે જેલમાં મોકલી દેવામાં આવશે.

  1. Junagadh Crime : પત્નીએ જ પતિનું કાસળ કાઢેલું, ભેદ ખુલતાં જૂનાગઢ પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી લીધાં
  2. Banaskantha Crime : થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી, બાદમાં મૃતદેહ 500 કિલોમીટર ફેંકી આવ્યા
  3. Valsad Crime: છૂટાછેડા ન આપતા પત્નીએ ઘરે બોલાવીને પતિને પતાવી દીધો, મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી આવી

છત્તીસગઢ કાંકેર : આમાબેડા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ રાય ગામમાં નજીવા ઘરેલુ વિવાદમાં નશામાં ધૂત પત્નીએ પોતાના પતિની કુહાડી વડે હત્યા કરી હતી. પતિને ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ તેણીએ ઘરે સારવાર ચાલુ રાખી હતી. પતિનું માથું ફાટી ગયું હતું અને પરિસ્થિતિ ચિંતાજનક હતી. પોલીસ પાસે જવાના ડરથી પત્નીએ તેને માથા પર પાટો બાંધીને ઘરમાં જ રાખ્યો હતો અને જડીબુટ્ટીઓથી તેની સારવાર કરવા લાગી હતી. ઘટનાના ચાર દિવસ બાદ જ્યારે પતિનું અવસાન થયું ત્યારે મહિલા તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરી રહી હતી. પરંતુ તે પહેલા જ ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ હત્યાનો ખુલાસો થયો હતો.

આ છે મામલો : આ ઘટના પાંચ દિવસ પહેલા 16 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે બની હતી. રાય ગામની રહેવાસી 30 વર્ષીય મહિલા મનકી પરચાપી દારૂ પીને પોતાના ઘરે બેઠી હતી. દરમિયાન પતિ સગારામ પરચાપી (35 વર્ષ) પહોંચ્યો હતો. બંને વચ્ચે પારિવારિક બાબતને લઈને ઝઘડો થયો હતો. જેના કારણે નશામાં ધૂત પત્નીએ અચાનક પિત્તો ગુમાવી દીધો હતો અને ઘરમાં રાખેલી હથિયારથી પતિના માથામાં પૂરા જોરથી મારી દીધું હતું. એક જ હુમલામાં પતિ ગંભીર રીતે ઘવાયો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. માથામાં ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

હુમલા બાદ શરૂ કરી સારવાર : હુમલા બાદ પત્નીએ પોતાની જાતને સંભાળીને શાંત કરી અને પતિના માથા પર પાટો બાંધીને તેને પથારીમાં સુવડાવી દીધો. આ પછી જડીબુટ્ટીથી સારવાર કરનાર બૈગા ગુનિયાનો સંપર્ક કરતાં તેણીએ તેના પતિને માથામાં ઈજા થયાની માહિતી આપતાં તેણે જડીબુટ્ટીથી સારવાર શરૂ કરી. પરંતુ ઘટનાના ચોથા દિવસે એટલે કે 19 જુલાઇની રાત્રે પતિનું મૃત્યુ થયું હતું. આ પછી પણ પત્ની પોલીસ પાસે ન ગઈ અને ગુપ્ત રીતે પતિના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગી. પરંતુ ગામના આગેવાન અને કોટવાર ત્યાં પહોંચી ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકનો કબજો લઈ મહિલાને પૂછપરછ માટે આમાબેડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ તેના પતિની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

નશામાં ધૂત પત્નીને ખબર નથી કે હત્યા કેમ કરી : પોલીસના જણાવ્યા અનુસાર પારિવારિક વિવાદ બાદ મહિલાએ તેના પતિની હત્યા કરી હતી. પરંતુ વિવાદનું કારણ હજુ સામે આવ્યું નથી. આરોપી પત્ની માત્ર એટલું જ કહી રહી છે કે તેણે દારૂ પીધો હતો અને તેના પતિ પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પત્ની દારૂની આદત હોવાના કારણે પતિ નારાજ હતો. બંને વચ્ચે રોજ ઝઘડો થતો રહેતો હતો.

પારિવારિક વિવાદ બાદ મહિલાએ તેના પતિની હત્યા કરી હતી. પત્નીની ધરપકડ કરવામાં આવી છે. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હુમલા બાદ પત્ની ઈજાગ્રસ્ત પતિની ઘરે જ સારવાર કરી રહી હતી. હત્યા પાછળનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. બાબતે તપાસ ચાલુ છે. આરોપી મહિલા સામે હત્યાનો ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જીતેન્દ્ર સાહુ (આમાબેડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ)

ખોળે પાંચમું અને ગર્ભમાં છઠ્ઠું બાળક : પતિપત્નીને કુલ પાંચ બાળકો છે. જેમાં પાંચમું બાળક દોઢ વર્ષનું છે જે ખોળામાં છે. જ્યારે મહિલા પણ હાલમાં ગર્ભવતી છે. મહિલાના પાંચ બાળકોમાંથી બેનો જન્મ લગ્ન પહેલાં જ થયો હતો. આ તમામ બાળકો તેના પતિના જ છે. દોઢ વર્ષનું બાળક મહિલા સાથે હોવાથી પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલા તેના હાથમાં બાળકને લઈને કોર્ટમાં હાજર થઈ હતી. માનવામાં આવે છે કે કોર્ટની પરવાનગી બાદ મહિલાને બાળકની સાથે જેલમાં મોકલી દેવામાં આવશે.

  1. Junagadh Crime : પત્નીએ જ પતિનું કાસળ કાઢેલું, ભેદ ખુલતાં જૂનાગઢ પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી લીધાં
  2. Banaskantha Crime : થરાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા કરી, બાદમાં મૃતદેહ 500 કિલોમીટર ફેંકી આવ્યા
  3. Valsad Crime: છૂટાછેડા ન આપતા પત્નીએ ઘરે બોલાવીને પતિને પતાવી દીધો, મૃતદેહને કોથળામાં ભરીને ફેંકી આવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.