દેહરાદૂનઃ ઉત્તરાખંડના જોશીમઠમાં વારંવાર થતા ભૂસ્ખલનથી (Landslide Joshimath) માત્ર રાજ્ય સરકાર જ નહીં પરંતુ કેન્દ્ર સરકાર પણ (Central Govt Constituted Committee) ચિંતિત છે. જોશીમઠ ભૂસ્ખલનનું રહસ્ય શોધવા માટે કેન્દ્ર સરકારે 6 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે, જે ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ કેન્દ્રને સોંપશે. આ અંગે કેન્દ્ર સરકારે શુક્રવારે જ આદેશ જારી કર્યા છે. તે જ સમયે, 6 જાન્યુઆરી, શુક્રવારના રોજ CM પુષ્કર સિંહ ધામીએ પણ દહેરાદૂનમાં અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
600થી વધુ મકાનોમાં તિરાડો: જોશીમઠમાં ભૂસ્ખલનને (Landslide Joshimath) કારણે પરિસ્થિતિ રોજબરોજ ખતરનાક બની રહી છે. ઘરો અને રસ્તાઓમાં તિરાડો પહોળી થઈ રહી છે. 600થી વધુ મકાનો જોખમમાં છે. તે જ સમયે, સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ બેઠકમાં અધિકારીઓને પહેલા અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની સૂચના આપી છે. રાજ્ય સરકારની ટીમ જોશીમઠમાં પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરી રહી છે. આ સિવાય 7 જાન્યુઆરીએ એટલે કે આજે CM પુષ્કર સિંહ ધામી પોતે જોશીમઠ જશે અને તાજેતરની સ્થિતિનો તાગ મેળવશે.
સરકાર બેઘર લોકોને દર મહિને ચાર હજાર રૂપિયા: ઉત્તરાખંડ સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે બેઘર પરિવારોને દર મહિને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત NDRF અને SDRFની (Joshimath cracks news) ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય. આ ઉપરાંત સીએમના આદેશ પર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ સીએમએ બેઠકમાં એક મોટું કામચલાઉ પુનર્વસન કેન્દ્ર બનાવવાની પણ સૂચના આપી છે.
આ પણ વાંચો: જોશીમઠમાં ભૂસ્ખલન: ઠંડી રાતમાં નાઈટ શેલ્ટરમાં રહેવા મજબૂર બન્યા લોકો, આવતીકાલે CM કરશે મુલાકાત
NTPC ટનલનું કામ અટકાવી દેવામાં આવ્યું છે: જોશીમઠમાં પરિસ્થિતિને જોતા, NTPC પાવર પ્રોજેક્ટની ટનલની અંદરનું કામ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. સમસ્યાને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે BRO હેઠળ હેલાંગ બાયપાસ બાંધકામ, NTPCના તપોવન વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ હેઠળ બાંધકામ અને મ્યુનિસિપલ વિસ્તાર હેઠળના બાંધકામ પર તાત્કાલિક અસરથી આગોતરા આદેશો સુધી પ્રતિબંધ મૂક્યો છે.