મુંબઈ: પુત્રી શીના બોરાની કથિત હત્યાના સંબંધમાં તેની ધરપકડના 6 વર્ષ અને નવ મહિના પછી, ભૂતપૂર્વ મીડિયા એક્ઝિક્યુટિવ ઈન્દ્રાણી મુખર્જી શુક્રવારે સાંજે અહીંની ભાયખલા મહિલા જેલમાંથી બહાર નીકળી (Indrani Mukherjee Release) હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: 2017 પછીની તમામ ચૂંટણીમાં ભાજપના વિજયરથની સફર, 2022માં ભાજપ ઈતિહાસ રચશે?
સાંજે 5.30 વાગ્યે ઈન્દ્રાણી જેલમાંથી બહાર આવી (Indrani Mukherjee Release Byculla jail) હતી. ભાયખલા જેલમાંથી બહાર આવ્યા બાદ ઈન્દ્રાણી મુખર્જીએ કહ્યું હતું કે, હું હવે ઘરે જઈ રહી છું. સહાનુભૂતિ અને ક્ષમા. જેમણે મને દુઃખ પહોંચાડ્યું છે તે બધાને મેં માફ કરી દીધા છે. જેલમાં હું ઘણું શીખી છું. ઈન્દ્રાણીના વકીલ જેલની બહાર હાજર હતા. બહાર આવીને ઈન્દ્રાણીએ મીડિયાકર્મીઓને જોયા અને હસ્યા. ટ્રાયલ કોર્ટે ગુરુવારે ઈન્દ્રાણીને રૂ. 2 લાખના કામચલાઉ રોકડ બોન્ડ આપવા જણાવ્યું હતું.
આ પણ વાંચો: મરઘાની મારામારી, ઘોડાની દોડ, બળદની બબાલ બાદ હવે ભૂંડની ભીડત છે ટ્રેંડમાં