ETV Bharat / bharat

'ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખી રહ્યું છે ભાજપ' - લખીમપુર હિંસા મામલે રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ

લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Kheri Violence) મામલે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વીટ કરીને ભાજપ સરકારને ઘેરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને ભાજપ (BJP) પર ન્યાય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે.

author img

By

Published : Oct 11, 2021, 8:52 PM IST

ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખી રહ્યું છે ભાજપ
ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખી રહ્યું છે ભાજપ
  • લખીમપુર ખીરી હિંસા મામલે રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
  • ટ્વીટ કરીને ભાજપ પર લગાવ્યો ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખવાનો આરોપ
  • લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય પ્રધાનના દીકરાની ધરપકડ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી (Lakhimpur Kheri) જિલ્લામાં થયેલી હિંસાના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન (Union Minister of State for Home Affairs)ના દીકરા આશીષ મિશ્રા (Ashish Mishra)ને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. લખીમપુર ખીરીમાં 3 ઑક્ટોબરના થયેલી હિંસાના મામલે પોલીસે કેન્દ્રીય પ્રધાનના દીકરા આશીષ મિશ્રાની શનિવારની રાત્રે ધરપકડ કરી હતી.

ખેડૂતોને કચેડનારા વાહનમાં હતો આશીષ

સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારના પોલીસ લખીમપુર જિલ્લાથી આશીષ મિશ્રાને પોતાની કસ્ટડીમાં લેશે. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં 3 ઑક્ટોબરના થયેલી હિંસાના મામલે પોલીસે કેન્દ્રીય પ્રધાનના દીકરા આશીષ મિશ્રાની ગત શનિવારની રાત્રે ધરપકડ કરી હતી. આશીષ પર આરોપ છે કે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કચેડનારા વાહનોમાંથી એકમાં મુસાફરી કરી રહ્યો હતો. આ અકસ્માતમાં 4 ખેડૂતોના મોત થયા હતા.

વરુણ ગાંધીએ પણ કાર્યવાહી કરવા લખ્યો પત્ર

આ પહેલા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ લખીમપુર કેસમાં સંકળાયેલા તમામ શંકાસ્પદોને તાત્કાલિક ઓળખીને IPCની કલ 302 (હત્યા) હેઠળ હત્યાનો કેસ નોંધીને સખતથી સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કહ્યું કે, '3 ઑક્ટોબરના ખીરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને નિર્દરયતાપૂર્વક કચેડવાની જે હ્રદયદ્રાવક ઘટના બની છે તેનાથી આખા દેશના નાગરિકોમાં એક પીડા અને રોષ છે.'

શાંતિપૂર્ણ વિરોધનો દાવો કરે છે, હિંસા થાય ત્યારે જવાબદારી કોઈ નથી લેતું: સુપ્રીમ કોર્ટ

આ પહેલા 4 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે લખીમપુર પ્રકરણ વિશે પરોક્ષ ટિપ્પણી કરી હતી. ખેડૂત મહાપંચાયતે સર્વોચ્ચ અદાલત પાસે માંગ કરી હતી કે તેમને દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી આપવામાં આવે. આ અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે આવી કમનસીબ ઘટનાઓ બને છે ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. વિરોધીઓ દાવો કરે છે કે તેમનો વિરોધ શાંતિપૂર્ણ છે, પરંતુ હિંસા થાય ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી થતું.

આ પણ વાંચો: લખીમપુર મામલે આજે મહારાષ્ટ્ર બંધ, MVA સરકારે લોકો પાસે માગ્યું સમર્થન

આ પણ વાંચો: લખીમપુર હિંસા : મુખ્ય આરોપી આશિષ મિશ્રાને આજે કોર્ટમાં હાજર કરાશે

  • લખીમપુર ખીરી હિંસા મામલે રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
  • ટ્વીટ કરીને ભાજપ પર લગાવ્યો ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખવાનો આરોપ
  • લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય પ્રધાનના દીકરાની ધરપકડ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી (Lakhimpur Kheri) જિલ્લામાં થયેલી હિંસાના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ ન્યાય પ્રક્રિયામાં રોડા નાંખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન (Union Minister of State for Home Affairs)ના દીકરા આશીષ મિશ્રા (Ashish Mishra)ને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. લખીમપુર ખીરીમાં 3 ઑક્ટોબરના થયેલી હિંસાના મામલે પોલીસે કેન્દ્રીય પ્રધાનના દીકરા આશીષ મિશ્રાની શનિવારની રાત્રે ધરપકડ કરી હતી.

ખેડૂતોને કચેડનારા વાહનમાં હતો આશીષ

સૂત્રોએ જણાવ્યું કે, મંગળવારના પોલીસ લખીમપુર જિલ્લાથી આશીષ મિશ્રાને પોતાની કસ્ટડીમાં લેશે. ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરીમાં 3 ઑક્ટોબરના થયેલી હિંસાના મામલે પોલીસે કેન્દ્રીય પ્રધાનના દીકરા આશીષ મિશ્રાની ગત શનિવારની રાત્રે ધરપકડ કરી હતી. આશીષ પર આરોપ છે કે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કચેડનારા વાહનોમાંથી એકમાં મુસાફરી કરી રહ્યો હતો. આ અકસ્માતમાં 4 ખેડૂતોના મોત થયા હતા.

વરુણ ગાંધીએ પણ કાર્યવાહી કરવા લખ્યો પત્ર

આ પહેલા ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ લખીમપુર કેસમાં સંકળાયેલા તમામ શંકાસ્પદોને તાત્કાલિક ઓળખીને IPCની કલ 302 (હત્યા) હેઠળ હત્યાનો કેસ નોંધીને સખતથી સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કહ્યું કે, '3 ઑક્ટોબરના ખીરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને નિર્દરયતાપૂર્વક કચેડવાની જે હ્રદયદ્રાવક ઘટના બની છે તેનાથી આખા દેશના નાગરિકોમાં એક પીડા અને રોષ છે.'

શાંતિપૂર્ણ વિરોધનો દાવો કરે છે, હિંસા થાય ત્યારે જવાબદારી કોઈ નથી લેતું: સુપ્રીમ કોર્ટ

આ પહેલા 4 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે લખીમપુર પ્રકરણ વિશે પરોક્ષ ટિપ્પણી કરી હતી. ખેડૂત મહાપંચાયતે સર્વોચ્ચ અદાલત પાસે માંગ કરી હતી કે તેમને દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહ કરવાની પરવાનગી આપવામાં આવે. આ અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે આવી કમનસીબ ઘટનાઓ બને છે ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. વિરોધીઓ દાવો કરે છે કે તેમનો વિરોધ શાંતિપૂર્ણ છે, પરંતુ હિંસા થાય ત્યારે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી થતું.

આ પણ વાંચો: લખીમપુર મામલે આજે મહારાષ્ટ્ર બંધ, MVA સરકારે લોકો પાસે માગ્યું સમર્થન

આ પણ વાંચો: લખીમપુર હિંસા : મુખ્ય આરોપી આશિષ મિશ્રાને આજે કોર્ટમાં હાજર કરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.