હૈદરાબાદઃ દેશમાં કોરોના વાયરસના લીધે લોકડાઉનના દિવસો વિતતા જાય છે. અવી રીતે લોકો પર માઠી અસર થઈ રહી છે. લોકોની સમસ્યાઓ વધી રહી છે, તેને જોતા એંગ્રમેનનો ખિતાબ જીતનાર પરમજીતસિંહ પમ્માએ લોકોને સંદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, જરૂરિયાતમંદ લોકો પોતાના ઘરની બાલ્કનીમાં સફેદ કપડા બાંધી મુશ્કેલીમાં છે. એવી રીતે જાણ કરે, જેથી પોલીસ અધિકારીઓ, એનજીઓ અને અન્ય પડોશી લોકોને મદદ કરી શકે. આ કરવાથી ઘરની બહાર નિકળ્યા વગર મદદનો સંદેશ મોકલી શકાશે.

તેઓનું કહેવું છેકે, આજે એવા ઘણા એવા લોકો છે, જેમાં રોજિંદા કામ કરીને કેબ ચલાવતાં, થ્રી વ્હીલર ચલાવતાં, એક નાનો દુકાન ચલાવનાર અથવા તો એવા લોકો જેમનું ઘર કોઈ ચોક્કસ પ્રકારનું કામ કરીને ચાલતું, લોકડાઉનના કારણે રાશન, દવાઓની પણ ખૂબ જ જરૂર છે, પરંતુ તેમની પાસે રોજગારનું કોઈ સાધન નથી, જેથી જ તેમની પાસે કોઈ પૈસા પણ નથી.

પરમજીતસિંહે કહ્યું કે, આપણે એ પણ કાળજી લેવી પડશે કે આપણે કોઈની કેવી રીતે મદદ કરી શકીએ. જો તમારે કોઈની મદદ કરવી હોય અને તમે ઘરની બહાર ન નીકળી શકો તો તમે હોવ તો તમે બાલ્કનીમાં સફેદ કાપડ લગાવીને મદદનો સંદેશ આપી શકો છો. જેથી પોલીસ અધિકારી અને એનજીઓ ત્યાંથી તમારો સંપર્ક કરી મદદ કરી શકે છે.