ETV Bharat / bharat

CM યોગીના એયરક્રાફ્ટથી લાવામાં આવેલા TrueNet મશીનથી 1 કલાકમાં મળશે કોરોના રિપોર્ટ

author img

By

Published : Jun 10, 2020, 8:16 PM IST

સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં 15 જૂન, 2020 સુધીમાં ટ્રુનેટ મશીનો કાર્યરત કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ચેપના સંદર્ભમાં ઝડપી ટેસ્ટની રિપોર્ટ મેળવવા માટે ટ્રુનેટ (TrueNet) મશીનો ઉપલબ્ધ કરાવ્યા છે.

CM યોગીના એયરક્રાફ્ટથી લાવામાં આવેલી TrueNet મશીનથી એક કલાકમાં મળશે કોરોનાની રિપોર્ટ
CM યોગીના એયરક્રાફ્ટથી લાવામાં આવેલી TrueNet મશીનથી એક કલાકમાં મળશે કોરોનાની રિપોર્ટ

લખનઉ (ઉત્તર પ્રદેશ) : બુધવારે સીએમ યોગી આદિત્યનાથના સરકારી વિમાન દ્વારા રાજ્યમાં ગોવાથી 14 ટ્રુનેટ મશીન લાવવામાં આવ્યી હતી. આ મશીનો રાજ્યની 14 મેડિકલ કોલેજોમાં કોરોના વાઇરસની તપાસ માટે સ્થાપિત કરવામાં આવશે. ટ્રુનેટ (TrueNet) મશીનો ઝડપી તપાસ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે, જેના દ્વારા કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ એકથી દોઢ કલાકમાં જ મળી આવે છે.

અગાઉ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં 15 જૂન, 2020 સુધી ટ્રુનેટ મશીનો કાર્યરત કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ચેપના સંદર્ભમાં ઝડપી ટેસ્ટની રિપોર્ટ મેળવવા માટે પ્રાથમિકતા પર ટ્રુનેટ મશીનો ઉપલબ્ધ કરાવ્યા છે.

મુખ્યપ્રધાન યોગીએ બુધવારે મળેલી એક બેઠકમાં અનલોક-1 સિસ્ટમની સમીક્ષા કરી રહી હતી. તેમણે કોવિડ અને નોન-કોવિડ હોસ્પિટલોની વ્યવસ્થાને યોગ્ય રીતે જાળવવા સૂચના આપી હતી અને કહ્યું કે, આરોગ્ય પ્રધાને નિયમિત રૂપે તબીબીઓએ અને તબીબી સંસ્થાઓ સાથે વાતચીત કરવી જોઈએ અને કાર્યો વિશે માહિતી મેળવવી જોઈએ. તેમણે કહ્યું કે, ખાતરી કરવી જોઈએ કે, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સાથે, હોસ્પિટલોની ઇમરજન્સી સેવાઓનો સંપૂર્ણ લાભ મળે છે કે નહી.

તેમણે ટેસ્ટની ક્ષમતા વધારવાના સતત પ્રયત્નો પર ભાર મૂક્યો હતો. કોવિડ-19ના મૃત્યુ દર પર અંકુશ લગાવવા પર ભાર મૂકતા મુખ્યપ્રધાને કહ્યું કે, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈને તેમની સારવાર તાત્કાલિક કરવી જોઈએ. તેમણે સૂચના આપી કે, ડૉક્ટરોએ હોસ્પિટલોમાં તેમની શિફ્ટ દરમિયાન ઓછામાં ઓછા બે વાર રાઉન્ડ લગાવવું જોઇએ.

પેરામેડિકલ સ્ટાફ સતત દર્દીઓ પર નજર રાખે છે. તેમણે હોસ્પિટલોની સ્વચ્છતા સુધારવા, સમયસર દવાઓ, શુદ્ધ અને સારો ખોરાક અને પીવા માટે ગરમ પાણી આપવાની સૂચના આપી હતી.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કામદારો / શ્રમિકોને રોજગારી મળે તે સંબંધમાં સતત પગલા લેવા જોઈએ. આ માટે વિવિધ ક્ષેત્રોમાં રોજગારની બધી સંભાવનાઓ શોધવી જોઈએ. બેઠકમાં મુખ્યપ્રધાન યોગીને જણાવવામાં આવ્યું કે આગામી 6 મહિનામાં 10 લાખ નવી નોકરી / રોજગારની તકો પૂરી પાડવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે મંડીને એક્સપોર્ટ હબ તરીકે વિકસિત કરવા પણ નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે, પોલીસ દળને ચેપથી સુરક્ષિત રાખવા માટે જે કંઇ જરૂરી હોય તે હોવું જોઈએ.

લખનઉ (ઉત્તર પ્રદેશ) : બુધવારે સીએમ યોગી આદિત્યનાથના સરકારી વિમાન દ્વારા રાજ્યમાં ગોવાથી 14 ટ્રુનેટ મશીન લાવવામાં આવ્યી હતી. આ મશીનો રાજ્યની 14 મેડિકલ કોલેજોમાં કોરોના વાઇરસની તપાસ માટે સ્થાપિત કરવામાં આવશે. ટ્રુનેટ (TrueNet) મશીનો ઝડપી તપાસ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે, જેના દ્વારા કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ એકથી દોઢ કલાકમાં જ મળી આવે છે.

અગાઉ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં 15 જૂન, 2020 સુધી ટ્રુનેટ મશીનો કાર્યરત કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ચેપના સંદર્ભમાં ઝડપી ટેસ્ટની રિપોર્ટ મેળવવા માટે પ્રાથમિકતા પર ટ્રુનેટ મશીનો ઉપલબ્ધ કરાવ્યા છે.

મુખ્યપ્રધાન યોગીએ બુધવારે મળેલી એક બેઠકમાં અનલોક-1 સિસ્ટમની સમીક્ષા કરી રહી હતી. તેમણે કોવિડ અને નોન-કોવિડ હોસ્પિટલોની વ્યવસ્થાને યોગ્ય રીતે જાળવવા સૂચના આપી હતી અને કહ્યું કે, આરોગ્ય પ્રધાને નિયમિત રૂપે તબીબીઓએ અને તબીબી સંસ્થાઓ સાથે વાતચીત કરવી જોઈએ અને કાર્યો વિશે માહિતી મેળવવી જોઈએ. તેમણે કહ્યું કે, ખાતરી કરવી જોઈએ કે, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સાથે, હોસ્પિટલોની ઇમરજન્સી સેવાઓનો સંપૂર્ણ લાભ મળે છે કે નહી.

તેમણે ટેસ્ટની ક્ષમતા વધારવાના સતત પ્રયત્નો પર ભાર મૂક્યો હતો. કોવિડ-19ના મૃત્યુ દર પર અંકુશ લગાવવા પર ભાર મૂકતા મુખ્યપ્રધાને કહ્યું કે, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈને તેમની સારવાર તાત્કાલિક કરવી જોઈએ. તેમણે સૂચના આપી કે, ડૉક્ટરોએ હોસ્પિટલોમાં તેમની શિફ્ટ દરમિયાન ઓછામાં ઓછા બે વાર રાઉન્ડ લગાવવું જોઇએ.

પેરામેડિકલ સ્ટાફ સતત દર્દીઓ પર નજર રાખે છે. તેમણે હોસ્પિટલોની સ્વચ્છતા સુધારવા, સમયસર દવાઓ, શુદ્ધ અને સારો ખોરાક અને પીવા માટે ગરમ પાણી આપવાની સૂચના આપી હતી.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કામદારો / શ્રમિકોને રોજગારી મળે તે સંબંધમાં સતત પગલા લેવા જોઈએ. આ માટે વિવિધ ક્ષેત્રોમાં રોજગારની બધી સંભાવનાઓ શોધવી જોઈએ. બેઠકમાં મુખ્યપ્રધાન યોગીને જણાવવામાં આવ્યું કે આગામી 6 મહિનામાં 10 લાખ નવી નોકરી / રોજગારની તકો પૂરી પાડવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે મંડીને એક્સપોર્ટ હબ તરીકે વિકસિત કરવા પણ નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે, પોલીસ દળને ચેપથી સુરક્ષિત રાખવા માટે જે કંઇ જરૂરી હોય તે હોવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.