કોલકાતા: ટ્રાવેલ એજન્ટોના સંગઠને પશ્ચિમ બંગાળ સરકારને 6 મોટા શહેરોથી કોલકાતાની ફ્લાઇટ્સ સ્થગિત કરવાના નિર્ણય પર પુનર્વિચારણા કરવા અપીલ કરી છે.
પશ્ચિમ બંગાળની સરકારે કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટ સુધી આ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી, મુંબઇ, પુણે, ચેન્નાઈ, નાગપુર અને અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઇટ્સ પર પહેલીવાર 14 જુલાઈથી 14 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બાદમાં તેને 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.
ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ગૃહ સચિવને લખેલા પત્રમાં કહ્યું છે કે, પશ્ચિમ બંગાળના રહેવાસીઓ 6 શહેરોમાં ફસાયેલા છે અને જો સીધી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ થાય તો ઉદ્યોગપતિઓને પણ ફાયદો થશે.
સંગઠનના પૂર્વ ઝોનના પ્રમુખ અનિલ પંજાબીએ પત્રમાં કહ્યું છે કે, હાલ ભલે આ સમય વિદેશ યાત્રાનો ન હોય, પરતું દેશના અન્ય ભાગોમાં ફસાયેલા લોકો માટે ફ્લાઇટ્સ શરૂ કરી શકાય છે.