મળતી માહિતી મુજબ ટૂરિસ્ટ બસ દિલ્હીથી મનાલી જઈ રહી હતી. દિલ્હીથી વોલ્વો બસ હાયર કરીને વિદ્યાર્થીઓ મનાલી તરફ જઈ રહ્યા હતાં. અચાનક જ બસનું ટાયર પંક્ચર થતાં ટ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર પુલ પાસે પલટી ગઈ હતી.
બસમાં 52 વિદ્યાર્થીઓ, ત્રણ શિક્ષક અને એક ગાઈડ સવાર હતાં. જેમાંથી બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે ચંદીગઢ PGI રિફર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સદર SDM સહિત પોલીસ વિભાગના DSP ઘટના સ્થળે પહોંચી ગયા હતા.