ETV Bharat / bharat

વિશેષ લેખ: નિત્યાનંદ પર સસ્પેન્સ, એક્વાડોરનો દાવો- હૈતીમાં છે સ્વામી નિત્યાનંદ

author img

By

Published : Dec 8, 2019, 2:58 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સ્વામી નિત્યાનંદને લઇને અલગ-અલગ પ્રકારના સમાચાર મળી રહ્યા છે. તે અત્યારે ક્યાં છુપાયને બેઠા છે, તેની સાચી માહિતી ઉપલબ્ધ નથી. ગત અઠવાડિયામાં સમાચાર મળ્યા કે, તે એક્વાડોરમાં છુપાઇને બેઠા છે. પરંતુ એક્વાડોરે આ સમાચારને ફગાવી દીધા છે. એમ્બેસીનું કહેવું છે કે સ્વામી હૈતીમાં હોઈ શકે છે.

Nityananda
નિત્યાનંદ

ભારત સ્થિત એક્વાડોર એમ્બેસીએ એક વક્તવ્ય જાહેર કરીને સાફ કરી દીધું કે, ભારતના ભગોડા સ્વામી નિત્યાનંદ તેમના દેશમાં નથી. ગત અઠવાડીયે સમાચાર મળ્યા હતા કે, તે નેપાળના રસ્તે ભારતથી એક્વાડોર ભાગી ગયો હતો અને ત્યાં એક દ્વીપની ખરીદી કરી પોતાના શાસક બની ગયો. સમાચાર તો ત્યાં સુધી મળ્યા કે, તેમણે આને હિન્દૂ દેશ જાહેર કરી દીધો છે.

એક્વાડોર, દક્ષિણ અમેરિકાના પશ્ચિમ તટ પર ત્રિનિદાદ અને ટોબાગો પાસે સ્થિત છે. એક્વાડોરની ભારતીય એમ્બેસીએ પણ કહ્યું કે, ભારતીય તપાસ એજન્સીઓ નિત્યાનંદની શોધ કરી રહી છે, એ શક્ય છે કે, તે હૈતીમાં છુપાયને બેઠો હોય શકે.

વક્તવ્યમાં કહેવામાં આવ્યું તે, એક્વાડોર એમ્બેસી આ વાત કે સમાચારને ફગાવે છે કે, ગુરૂ નિત્યાનંદને એમના દેશમાં શરણ આપવામાં આવી છે, અથવા એક્વાડોર સરકારે તેમની આસપાસર અથવા દક્ષિણ અમેરિકાની આસપાસ જમીન કે કોઈ દ્વીપ ખરીદવામાં મદદ કરી હોય.

વક્તવ્યમાં એ પણ કહેવામાં આવ્યું કે, નિત્યાનંદ તરફથી શરણાર્થીની અરજીને પણ ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ તે એક્વાડોરથી નિકળી ગયો અને લગભગ હૈતી તરફ ચાલ્યો ગયો છે.

એક બાજુ જ્યાં નિત્યાનંદ દ્વારા જાહેર કરેલ હિન્દૂ દેશ 'કૈલાશ'ના લૉકેશન અંગે સાચી માહિતી નથી, જ્યારે 'કૈલાશ'ની વેબસાઈટ કહે છે કે, સરહદ વિનાનો આ દેશ, સમગ્ર દુનિયાના તે વિસ્થાપિત હિન્દૂઓ દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમને પોતાના દેશમાં હિન્દૂ ધર્મનું પાલન કરવા પરવાનગી મળી નથી.

જો કે, આજે એક્વાડોર એમ્બેસીએ મીડિયાને આ મુદ્દે કોઈ પણ પ્રકારે તેમના દેશનું નામ નહીં ઉઠાડવાની વાત કરી છે. 'કૈલાશ'ની વેબસાઈટ મુજબ, આ નવા દેશનું નિર્માણ મંદિરની સિસ્ટમ યોગ, સાધના, મફતમાં શિક્ષા, મફતમાં સ્વાસ્થ્ય સેવાઓ, તમામ માટે મફતમાં ભોજનના સિદ્ધાંત પર કરવામાં આવ્યું છે. આ વેબસાઈટના માધ્યમથી નિત્યાનંદે લોકોને પોતાના દેશની નાગરિક્તા લેવા માટે આમંત્રણ આપ્યું છે. સાથે જ લોકોને આ દેશ ચલાવવા માટે દાન આપવા અંગે પણ કહેવામાં આવ્યું છે, જે પ્રકારે આ દેશ અંગે વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે, તે ઓશો રજનીશ સાથે જોડાયેલા વિવાદોને તાજા કરે છે.

કર્ણાટક પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, નિત્યાનંદ અંદાજે 2018ના અંતમાં જામીન તોડીને દેશથી ભાગી ગયો હતો. વિદેશ મંત્રાલયમાંથી મળેલી માહિતી મુજબ, નિત્યાનંદનો પાસપોર્ટની વેલીડીટી સપ્ટેમ્બર 2018માં પૂર્ણ થઇ હતી અને તેને બીજી વખત બનાવવામાં આવ્યો નથી, એનાથી એ આશંકા થાય છે કે, તે નકલી પાસપોર્ટ અને દસ્તાવેજોની મદદથી ભારતમાંથી ભાગી ગયો છે. ભારતની એક્વાડોરમાં એમ્બેસી નથી.

એક્વાડોર એમ્બેસીના વક્તવ્યમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં પ્રિન્ટ અને ડિઝિટલ મીડિયામાં પ્રકાશિત તમામ માહિતી, https://kailaasa.org પરથી લેવામાં આવી છે, જે નિત્યાનંદ અને તેમના સમર્થકો દ્વારા ચલાવવામાં આવે છે. આ કારણે તમામ મીડિયા સંસ્થાનોને આ મુદ્દે એક્વાડોરનું નામ ન લેવું જોઈએ.

રાજશેખરન ઉર્ફે નિત્યાનંદ, તમિલનાડુનો રહેવાસી છે. તેમના પર હાથીજણ સ્થિત આશ્રમમાં દુષ્કર્મ, યૌન શોષણ અને બાળ શોષણ કરવાના ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

લેખક: સ્મિતા શર્મા

ભારત સ્થિત એક્વાડોર એમ્બેસીએ એક વક્તવ્ય જાહેર કરીને સાફ કરી દીધું કે, ભારતના ભગોડા સ્વામી નિત્યાનંદ તેમના દેશમાં નથી. ગત અઠવાડીયે સમાચાર મળ્યા હતા કે, તે નેપાળના રસ્તે ભારતથી એક્વાડોર ભાગી ગયો હતો અને ત્યાં એક દ્વીપની ખરીદી કરી પોતાના શાસક બની ગયો. સમાચાર તો ત્યાં સુધી મળ્યા કે, તેમણે આને હિન્દૂ દેશ જાહેર કરી દીધો છે.

એક્વાડોર, દક્ષિણ અમેરિકાના પશ્ચિમ તટ પર ત્રિનિદાદ અને ટોબાગો પાસે સ્થિત છે. એક્વાડોરની ભારતીય એમ્બેસીએ પણ કહ્યું કે, ભારતીય તપાસ એજન્સીઓ નિત્યાનંદની શોધ કરી રહી છે, એ શક્ય છે કે, તે હૈતીમાં છુપાયને બેઠો હોય શકે.

વક્તવ્યમાં કહેવામાં આવ્યું તે, એક્વાડોર એમ્બેસી આ વાત કે સમાચારને ફગાવે છે કે, ગુરૂ નિત્યાનંદને એમના દેશમાં શરણ આપવામાં આવી છે, અથવા એક્વાડોર સરકારે તેમની આસપાસર અથવા દક્ષિણ અમેરિકાની આસપાસ જમીન કે કોઈ દ્વીપ ખરીદવામાં મદદ કરી હોય.

વક્તવ્યમાં એ પણ કહેવામાં આવ્યું કે, નિત્યાનંદ તરફથી શરણાર્થીની અરજીને પણ ફગાવી દેવામાં આવી છે. ત્યારબાદ તે એક્વાડોરથી નિકળી ગયો અને લગભગ હૈતી તરફ ચાલ્યો ગયો છે.

એક બાજુ જ્યાં નિત્યાનંદ દ્વારા જાહેર કરેલ હિન્દૂ દેશ 'કૈલાશ'ના લૉકેશન અંગે સાચી માહિતી નથી, જ્યારે 'કૈલાશ'ની વેબસાઈટ કહે છે કે, સરહદ વિનાનો આ દેશ, સમગ્ર દુનિયાના તે વિસ્થાપિત હિન્દૂઓ દ્વારા બનાવવામાં આવ્યો છે, જેમને પોતાના દેશમાં હિન્દૂ ધર્મનું પાલન કરવા પરવાનગી મળી નથી.

જો કે, આજે એક્વાડોર એમ્બેસીએ મીડિયાને આ મુદ્દે કોઈ પણ પ્રકારે તેમના દેશનું નામ નહીં ઉઠાડવાની વાત કરી છે. 'કૈલાશ'ની વેબસાઈટ મુજબ, આ નવા દેશનું નિર્માણ મંદિરની સિસ્ટમ યોગ, સાધના, મફતમાં શિક્ષા, મફતમાં સ્વાસ્થ્ય સેવાઓ, તમામ માટે મફતમાં ભોજનના સિદ્ધાંત પર કરવામાં આવ્યું છે. આ વેબસાઈટના માધ્યમથી નિત્યાનંદે લોકોને પોતાના દેશની નાગરિક્તા લેવા માટે આમંત્રણ આપ્યું છે. સાથે જ લોકોને આ દેશ ચલાવવા માટે દાન આપવા અંગે પણ કહેવામાં આવ્યું છે, જે પ્રકારે આ દેશ અંગે વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે, તે ઓશો રજનીશ સાથે જોડાયેલા વિવાદોને તાજા કરે છે.

કર્ણાટક પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, નિત્યાનંદ અંદાજે 2018ના અંતમાં જામીન તોડીને દેશથી ભાગી ગયો હતો. વિદેશ મંત્રાલયમાંથી મળેલી માહિતી મુજબ, નિત્યાનંદનો પાસપોર્ટની વેલીડીટી સપ્ટેમ્બર 2018માં પૂર્ણ થઇ હતી અને તેને બીજી વખત બનાવવામાં આવ્યો નથી, એનાથી એ આશંકા થાય છે કે, તે નકલી પાસપોર્ટ અને દસ્તાવેજોની મદદથી ભારતમાંથી ભાગી ગયો છે. ભારતની એક્વાડોરમાં એમ્બેસી નથી.

એક્વાડોર એમ્બેસીના વક્તવ્યમાં કહેવામાં આવ્યું કે, ભારતમાં પ્રિન્ટ અને ડિઝિટલ મીડિયામાં પ્રકાશિત તમામ માહિતી, https://kailaasa.org પરથી લેવામાં આવી છે, જે નિત્યાનંદ અને તેમના સમર્થકો દ્વારા ચલાવવામાં આવે છે. આ કારણે તમામ મીડિયા સંસ્થાનોને આ મુદ્દે એક્વાડોરનું નામ ન લેવું જોઈએ.

રાજશેખરન ઉર્ફે નિત્યાનંદ, તમિલનાડુનો રહેવાસી છે. તેમના પર હાથીજણ સ્થિત આશ્રમમાં દુષ્કર્મ, યૌન શોષણ અને બાળ શોષણ કરવાના ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

લેખક: સ્મિતા શર્મા

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/suspense-over-nithyananda/na20191207122415358


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.