ઉદ્ધવ ઠાકરે બુધવારે તેમના પરિવાર સાથે રાજ્યપાલને મળશે. ઉદ્ધવ ઠાકરે 3 ડિસેમ્બર સુધીમાં વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરવી પડશે. ઉદ્ધવને બહુમતી સાબિત કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લેતા પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. શિવસેનાના તમામ ધારાસભ્યો હોટલેથી વિધાનસભા માટે નિકળ્યા હતા.
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બુધવાર સવારે આઠ વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં તેમને પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરને શપથ લેવડાવશે, ત્યારબાદ ધારાસભ્યોને પણ શપથ લેવડાવશે.
બુધવારે વિધાનસભાનું પ્રથમ સત્ર
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય મુજબ બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરાવવાનું રહેશે, જ્યારે આ પહેલા તમામ ધારાસભ્યોને શપથ લેવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે તેમના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફડણવીસે બહુમતી ન હોવા અંગે વાત કરી પદ છોડ્યું હતું. આ પછી કોંગ્રેસ-NCP-શિવસેનાની સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મંગળવારે મોડી સાંજે ત્રણેય પક્ષો મળી અને ઉદ્ધવ ઠાકરે પોતાના નેતા તરીકે ચૂંટાયા હતા. ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બર, ગુરૂવારે સાંજે 6.40 વાગ્યે મુખ્યપ્રધાન પદના શપથ લેશે.