રસ્તામાં ચાંદી કેવી પડ્યું તે અંગે સસ્પેન્સ
લોકોએ સુરસંદ નગર પંચાયત મુખ્ય મથકના બાબા ભીમરાવ આંબેડકર ટાવર ચોકથી જવાહરલાલ નહેરુ મેમોરિયલ કોલેજ બારોાહી સહસરામ રોડ સુધી જતા માર્ગ પર વિખરાયલું ચાંદી મળી આવ્યું. સવારે ચાંદીના વરસાદથી વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા હતા. લોકો શેરીઓમાં પથરાયેલા ચાંદીને ઘરે લઈ જવા લાગ્યા. દરેક લોકો એકબીજાને પૂછી રહ્યા હતા કે,આટલી મોટી માત્રામાં સુરસંદની શેરીઓમાં શુદ્ધ ચાંદી ક્યાંથી આવ્યું?
દાણચોરીની આશંકા
રસ્તામાં ચાંદી કેવી પડી તે અંગે સસ્પેન્સ છે.જો કે, સ્થાનિકોના જણાવ્યા મુજબ મધ્યરાત્રિના તસ્કરો નેપાળથી ચાંદીની દાણચોરી કરે છે. જ્યારે, આ દિવસોમાં ભારતીય નેપાળી ચલણનો લેણ-દેણનો વ્યવસાય સુરસંદમાં ચાલી રહ્યો છે. સુરાસંદમાં નેપાળી ચલણ લેવામાં આવે છે. નેપાળથી ભારતમા ચાંદી અને સોનું લાવવામાં આવે છે. પછી તેને સોના-ચાંદીના જથ્થાબંધ વેપારીઓને વેેંચવામાં આવે છે. તસ્કરો બાઇક પર ચાંદીનો કોથળો ભરીને રાત્રે નેપાળથી ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે. એવી આશંકા છે. કે આ દરમિયાન ચાંદી કોથળામાંથી બહાર રસ્તામાં પડી ગયુ હોય શકે.
માહિતી મળતા જ સુરસંદ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. એવું કહેવામાં આવે છે કે આ દિવસોમાં સુરસંદ બ્લોક વિસ્તારમાં, ઘણા ભારતીય નેપાળી ચલણ લઇ આવે છે. વળી ભારતીય ક્ષેત્રમાં નેપાળ માંથી ચાંદી અને સોનું નેપાળી ચલણમાં લાવવામાં આવે છે. અને તયારબાદ જથ્થાબંધ વેપારીઓને સોના અને ચાંદી આપવામાં આવે છે.