રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પ્રેસ સેક્રેટરી અશોક મલિકે કહ્યું કે, પવારની સીટ પહેલી લાઇનમાં VVIP સેક્શનમાં હતી. શપથ ગ્રહણ સમારોહ માટે 30 મે ના રોજ શપથ સમારોહમાં સામેલ થવા માટે શરદ પવારને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને પહેલી લાઇનમાં VVIP સીટ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 30 મે ના રોજ યોજાયેલા PM મોદીના શપથ સમારોહમાં શરદ પવાર ગેરહાજર રહ્યા હતા. જેનું કારણરૂપે પવારની પાર્ટીએ જણાવ્યું હતું કે, પવારને પ્રોટોકોલ મુજબ સીટ ફાળવવામાં આવી નહોતી. જેના કારણે પવાર શપથ સમારોહમાં ગેરહાજર રહ્યાં હતાં.
આ બાબતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકે પણ નારાજગી જાહેર કરતા કહ્યું હતું કે, પવાર વરિષ્ઠ નેતા છે. તેઓ મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનના સ્થાને કામ કરી ચૂક્યા છે.