ETV Bharat / bharat

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ: સુપ્રીમ કોર્ટે કામ અટકાવવાનો ઇનકાર કર્યો, કેન્દ્ર પાસે માગ્યો જવાબ

author img

By

Published : Jun 19, 2020, 2:05 PM IST

સેન્ટ્રલ વિસ્ટા યોજનાને પડકારતી પિટિશન પર સુપ્રીમ કોર્ટે કામ રોકવાની મનાઈ કરી છે.

delhi
delhi

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પરના ગ્રાઉન્ડ વર્ક પર કામ રોકવાની મનાઈ કરી કરી હતી અને સરકારને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ રહશે, ત્યાં સુધી ત્યાં કામ ચાલુ રાખવામાં આવશે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને અરજદારને ફરીથી જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

જસ્ટિસ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠ, રાજીવ સુરી દ્વારા દાખલ કરેલી PIL પર સુનાવણી કરી રહી હતી. જેમણે દલીલ કરી હતી કે, જમીનના ઉપયોગમાં ગેરકાયદેસર ફેરફાર થઈ રહ્યો છે, જે લોકોને ઉપજાવ જમીનથી વંચિત રાખે છે. આશરે 86 એકર જેટલો વિસ્તાર ધરાવતો આ પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં મધ્ય દિલ્હીમાં નવી સંસદ, સામાન્ય સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓ બનાવવાનો છે. કારણ કે, સરકાર માટે વર્તમાન માળખાકીય સુવિધાઓ પૂરતી નથી.

સુરીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે, પર્યાવરણ મંજૂરી સમિતિ સમક્ષ કેટલાક આદેશ બાકી છે. તદુપરાંત, તે પોતાની અરજીમાં સુધારો કરવા માંગે છે. તેમણે સર્વોચ્ચ અદાલતને પ્રોજેક્ટ પર સ્ટે મુકવા વિનંતી કરી છે.

નોંધનીય છે કે, આ કેસની છેલ્લી સુનાવણીમાં કોર્ટે કોવિડ -19 ફાટી નીકળવાના કારણે પ્રોજેક્ટ પર સ્ટે આપવાનો હુકમ કર્યો હતો.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પરના ગ્રાઉન્ડ વર્ક પર કામ રોકવાની મનાઈ કરી કરી હતી અને સરકારને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ રહશે, ત્યાં સુધી ત્યાં કામ ચાલુ રાખવામાં આવશે. કોર્ટે આ મામલે કેન્દ્ર અને અરજદારને ફરીથી જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

જસ્ટિસ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્વરી અને ન્યાયાધીશ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠ, રાજીવ સુરી દ્વારા દાખલ કરેલી PIL પર સુનાવણી કરી રહી હતી. જેમણે દલીલ કરી હતી કે, જમીનના ઉપયોગમાં ગેરકાયદેસર ફેરફાર થઈ રહ્યો છે, જે લોકોને ઉપજાવ જમીનથી વંચિત રાખે છે. આશરે 86 એકર જેટલો વિસ્તાર ધરાવતો આ પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં મધ્ય દિલ્હીમાં નવી સંસદ, સામાન્ય સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓ બનાવવાનો છે. કારણ કે, સરકાર માટે વર્તમાન માળખાકીય સુવિધાઓ પૂરતી નથી.

સુરીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે, પર્યાવરણ મંજૂરી સમિતિ સમક્ષ કેટલાક આદેશ બાકી છે. તદુપરાંત, તે પોતાની અરજીમાં સુધારો કરવા માંગે છે. તેમણે સર્વોચ્ચ અદાલતને પ્રોજેક્ટ પર સ્ટે મુકવા વિનંતી કરી છે.

નોંધનીય છે કે, આ કેસની છેલ્લી સુનાવણીમાં કોર્ટે કોવિડ -19 ફાટી નીકળવાના કારણે પ્રોજેક્ટ પર સ્ટે આપવાનો હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.