ETV Bharat / bharat

ઉત્તરાખંડ સરકાર વિરુદ્ધ અરજી: જસ્ટિસ ખાનવિલકર સુનાવણીથી અલગ થયા

author img

By

Published : Jul 9, 2020, 4:50 PM IST

જસ્ટિસ ખાનવિલકરે ઉત્તરાખંડ રાજ્યની રચના દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા ગુનાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા છે. જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે, તેઓ આ કેસની સુનાવણી કરી શકતા નથી. તે સંબંધિત કાર્યવાહીમાં એડવોકેટ તરીકે સર્વોચ્ચ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા.

sc-judge-recuses-from-hearing-plea-against-crimes-during-uttarakhand-struggle
ઉત્તરાખંડ સરકાર વિરુદ્ધ અરજી: જસ્ટિસ ખાનવિલકર સુનાવણીથી અલગ થયા

નવી દિલ્હીઃ જસ્ટિસ ખાનવિલકરે ઉત્તરાખંડ રાજ્યની રચના દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા ગુનાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા છે. જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે, તેઓ આ કેસની સુનાવણી કરી શકતા નથી. તે સંબંધિત કાર્યવાહીમાં એડવોકેટ તરીકે સર્વોચ્ચ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એમ. ખાનવિલકરે સામાજિક કાર્યકર રમણ કુમારે કરેલી અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા છે. આ પિટિશનમાં ઉત્તરાખંડ રાજ્યના અલગ થવા દરમિયાન કરવામાં આવેલા ગુનાઓ અંગે ઉત્તરાખંડ સરકારના ઉદાસીન વલણનો ઉલ્લેખ છે.

અરજદારે એફઆઈઆર અને સીબીઆઈ દ્વારા પોલીસ સામે દાખલ કરેલી ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટ મુજબ, અલગ થવાની લડત દરમિયાન પોલીસકર્મીઓએ 5 હત્યા ઉપરાંત 28 આંદોલનકારીઓને માર્યા હતા. આ સાથે તેમણે 17 છેડતીની અને સામૂહિક દુષ્કર્મની 7 ઘટનાઓને અંજામ આપ્યો હતો.

ન્યાયાધીશ ખાનવિલકરે કહ્યું કે, તેઓ સુનાવણી કરી શકતા નથી કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ સંબંધિત કાર્યવાહીમાં એડવોકેટ તરીકે રેકોર્ડ પર હાજર થયા હતા. તેમણે કહ્યું હતું કે આ મામલે બીજી બેંચ સુનાવણી કરશે.

નવી દિલ્હીઃ જસ્ટિસ ખાનવિલકરે ઉત્તરાખંડ રાજ્યની રચના દરમિયાન પોલીસ દ્વારા કરાયેલા ગુનાઓ અંગે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા છે. જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે, તેઓ આ કેસની સુનાવણી કરી શકતા નથી. તે સંબંધિત કાર્યવાહીમાં એડવોકેટ તરીકે સર્વોચ્ચ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એમ. ખાનવિલકરે સામાજિક કાર્યકર રમણ કુમારે કરેલી અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી દીધા છે. આ પિટિશનમાં ઉત્તરાખંડ રાજ્યના અલગ થવા દરમિયાન કરવામાં આવેલા ગુનાઓ અંગે ઉત્તરાખંડ સરકારના ઉદાસીન વલણનો ઉલ્લેખ છે.

અરજદારે એફઆઈઆર અને સીબીઆઈ દ્વારા પોલીસ સામે દાખલ કરેલી ચાર્જશીટનો ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટ મુજબ, અલગ થવાની લડત દરમિયાન પોલીસકર્મીઓએ 5 હત્યા ઉપરાંત 28 આંદોલનકારીઓને માર્યા હતા. આ સાથે તેમણે 17 છેડતીની અને સામૂહિક દુષ્કર્મની 7 ઘટનાઓને અંજામ આપ્યો હતો.

ન્યાયાધીશ ખાનવિલકરે કહ્યું કે, તેઓ સુનાવણી કરી શકતા નથી કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ સંબંધિત કાર્યવાહીમાં એડવોકેટ તરીકે રેકોર્ડ પર હાજર થયા હતા. તેમણે કહ્યું હતું કે આ મામલે બીજી બેંચ સુનાવણી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.