ETV Bharat / bharat

સંજય કોઠારી નવા સેન્ટ્રલ વિજિલન્સ કમિશ્નર, બિમલ જુલ્કા મુખ્ય માહિતી કમિશ્નર

author img

By

Published : Feb 19, 2020, 1:31 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીને (સીઆઈસી) તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે પૂર્વ IAS અધિકારી બિમલ જુલ્કાને મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

central vigilance commission
નવા ચીફ વિજિલન્સ કમિશનર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીને (સીઆઈસી) તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે પૂર્વ IAS અધિકારી બિમલ જુલ્કાને મુખ્ય માહિતી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. જો કે, રાષ્ટ્રપતિની મંજૂરી હજી બાકી છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી.

સૂત્રોના જણાંવ્યા અનુસાર, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ આ નિર્ણયોનો વિરોધ કર્યો હતો, પરંતુ પેનલના અન્ય સભ્યો દ્વારા તેને ટેકો મળ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યપ્રધાન અને પીએમઓના કર્મચારી જીતેન્દ્ર સિંહ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને સેક્રેટરી કર્મચારી સી ચંદ્રમૌલીએ ટેકો આપ્યો છે.

પેનલે સુરેશ પટેલને વિજિલન્સ કમિશ્નર તરીકે અને અનિતા પાંડોવને બહુમતીથી માહિતી કમિશનર તરીકે નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઔપચારિક મંજૂરી બાદ, નિમણૂંકને લગતા આદેશો આજે કરવામાં આવે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, કોઈ પણ એક્ઝિક્યુટિવ ઓથોરિટીના નિયંત્રણથી મુક્ત છે અને કેન્દ્ર સરકારની તમામ તકેદારી પ્રવૃત્તિઓ પર નજર રાખવાની પંચની જવાબદારી છે. વિવિધ સત્તાધિકારીઓને તેમની તકેદારી કામગીરીની યોજના, અમલ, સમીક્ષા અને સુધારણા કરવાની સલાહ પણ આપે છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ સંજય કોઠારીને (સીઆઈસી) તરીકે પસંદગી કરવામાં આવી છે, જ્યારે પૂર્વ IAS અધિકારી બિમલ જુલ્કાને મુખ્ય માહિતી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. જો કે, રાષ્ટ્રપતિની મંજૂરી હજી બાકી છે. આ માહિતી અધિકારીઓએ આપી હતી.

સૂત્રોના જણાંવ્યા અનુસાર, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ આ નિર્ણયોનો વિરોધ કર્યો હતો, પરંતુ પેનલના અન્ય સભ્યો દ્વારા તેને ટેકો મળ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યપ્રધાન અને પીએમઓના કર્મચારી જીતેન્દ્ર સિંહ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને સેક્રેટરી કર્મચારી સી ચંદ્રમૌલીએ ટેકો આપ્યો છે.

પેનલે સુરેશ પટેલને વિજિલન્સ કમિશ્નર તરીકે અને અનિતા પાંડોવને બહુમતીથી માહિતી કમિશનર તરીકે નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઔપચારિક મંજૂરી બાદ, નિમણૂંકને લગતા આદેશો આજે કરવામાં આવે તેવી સંભાવના છે.

નોંધનીય છે કે, કોઈ પણ એક્ઝિક્યુટિવ ઓથોરિટીના નિયંત્રણથી મુક્ત છે અને કેન્દ્ર સરકારની તમામ તકેદારી પ્રવૃત્તિઓ પર નજર રાખવાની પંચની જવાબદારી છે. વિવિધ સત્તાધિકારીઓને તેમની તકેદારી કામગીરીની યોજના, અમલ, સમીક્ષા અને સુધારણા કરવાની સલાહ પણ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.