નવી દિલ્હી: રાજ્યસભાની બિઝનેસ સલાહકાર સમિતિની બેઠક સંસદમાં 13 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે, રાજ્યસભા સચિવાલય દ્વારા 31 ઓગસ્ટના રોજ આપવામાં આવેલી સૂચનામાં આ માહિતી આપવામાં આવી હતી.
એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, "રાષ્ટ્રપતિએ 14 સપ્ટેમ્બર 2020, સોમવારના રોજ નવી દિલ્હીમાં રાજ્યસભાની બેઠક બોલાવી છે. વેપાર સત્રની શરૂઆત માટે 1 ઓક્ટોબર, 2020ના રોજ સત્ર સમાપ્ત થવાનું છે."
સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે જ જનતા દળ (યુ)ના સાંસદ હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદ માટે ફરીથી ચૂંટાય તેવી સંભાવના છે.