નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હિંસા પ્રભાવિત નોર્થ ઈસ્ટ દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. રાહુલ ગાંધી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. આ તકે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક, કુમાર શૈલજા અને અધીર રંજન ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
નોર્થ ઈસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસાની આગ હજુ સંપૂર્ણ રીતે શાંત થઈ નથી, આ વચ્ચે કોંગ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. તેના એક ડેલિગેશનનો ભાગ રાહુલ ગાંધી પણ હોઈ શકે છે તે હિંસા પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે રાહુલ ગાંધી ત્યાં જવા ઈચ્છે છે. આ સાથે તે પણ આરોપ લગાવ્યો કે, તેમના માતા સોનિયા ગાંધીએ ખુદ લોકોને ભડકાવ્યા હતા. લોકોને ભ્રમિત કર્યાં હતા.