ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના ચેન્નઈ પ્રવાસ માટે પહોંચ્યા છે. જેમાં તેમણે ચેન્નઈના IIT મદ્રાસના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી, તેમજ તેઓએ હેકાથોનના વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત તેમણે મદ્રાસ રિસર્ચ પાર્કમાં આઈઆઈટીઅન્સ અને IITના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને નિહાળ્યા હતા.
IITમાં મોદી સિંગાપુર-ભારત હેકાથોન 2019માં સહભાગીઓને સંબોધન કર્યું હતું. આ ભારત અને અન્ય કોઈપણ દેશ વચ્ચેની પ્રથમ સંયુક્ત આંતરરાષ્ટ્રીય હેકાથોન છે.