ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ બાદ ઓડિશા પહોંચ્યા વડાપ્રધાન મોદી

બંગાળમાં ચક્રવાત અમ્ફાનથી થયેલા વિનાશનું નિરક્ષણ કરવા માટે વડાપ્રધાન મોદી ઓડિશા પહોંચ્યા હતા. જ્યા ભુવનેશ્વર એયરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું સ્વાગત ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક અને રાજ્યપાલ ગણેશી લાલે કર્યું હતું.

author img

By

Published : May 22, 2020, 5:13 PM IST

વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ બાદ ઓડિશા પહોંચ્યા
વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળ બાદ ઓડિશા પહોંચ્યા

કોલકાતા : ચક્રવાત અમ્ફાનના કારણે સમગ્ર કોલકાતા અને ઓડિશામાં ધણો નુકસાન થયો છે.ત્યારે વડાપ્રધાન મોદી દિલ્હીથી પશ્ચિમ બંગાળની સમીક્ષા કરવા માટે રવાના થયા હતા. સુપર સાઇક્લોન અમ્ફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિનાશ વેર્યા બાદ ગુરુવારે નબળું પડી ગયું.. બંગાળમાં અમ્ફાનથી 80 લોકોના મોત થયા અને બે જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ પ્રારંભિક રીતે 1000 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ દુઃખના સમયમાં પશ્ચિમ બંગાળની સાથે છે.

વડાપ્રધાને પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.જેને લઇ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, આપાતકાલીન નિધિ માટે 1000 કરોડ રૂપિયાના જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે પરતું આ સ્પષ્ટ નથી કે આ પેકેજ છે.

PM મોદીએ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કર્યું હતું. આ દરમિયાન મમતા બેનર્જી પણ તેમની સાથે ઉપસ્થિત હતા. મમતા બેનર્જીએ પીએમ મોદીને અમ્ફાનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી.

બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આભાર વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું કે, રાષ્ટ્રપતિએ મારી પાસેથી ફોન પર અમ્ફાનમાં થયેલા નુકસાનની જાણકારી મેળવી હતી. આ સંકટમાં તેમના સહયોગ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

કોલકાતા : ચક્રવાત અમ્ફાનના કારણે સમગ્ર કોલકાતા અને ઓડિશામાં ધણો નુકસાન થયો છે.ત્યારે વડાપ્રધાન મોદી દિલ્હીથી પશ્ચિમ બંગાળની સમીક્ષા કરવા માટે રવાના થયા હતા. સુપર સાઇક્લોન અમ્ફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિનાશ વેર્યા બાદ ગુરુવારે નબળું પડી ગયું.. બંગાળમાં અમ્ફાનથી 80 લોકોના મોત થયા અને બે જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ પ્રારંભિક રીતે 1000 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ દુઃખના સમયમાં પશ્ચિમ બંગાળની સાથે છે.

વડાપ્રધાને પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.જેને લઇ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, આપાતકાલીન નિધિ માટે 1000 કરોડ રૂપિયાના જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે પરતું આ સ્પષ્ટ નથી કે આ પેકેજ છે.

PM મોદીએ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારનો હવાઈ સર્વે કર્યું હતું. આ દરમિયાન મમતા બેનર્જી પણ તેમની સાથે ઉપસ્થિત હતા. મમતા બેનર્જીએ પીએમ મોદીને અમ્ફાનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ કરી હતી.

બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આભાર વ્યક્ત કર્યો હતો. મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું કે, રાષ્ટ્રપતિએ મારી પાસેથી ફોન પર અમ્ફાનમાં થયેલા નુકસાનની જાણકારી મેળવી હતી. આ સંકટમાં તેમના સહયોગ માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.