રાજયસભના ઉપસભાપતિ હરિવંશે લખેલી પુસ્તકનું વિમોચન કરતા સમયે તેમણે જણાવ્યું કે, ચંદ્રશેખરજીએ ગામ, ગરીબ અને ખેડૂતોના જીવન સ્તરને ઉંચુ લાવવા માટે પદયાત્રાઓ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, બધાજ પૂર્વ વડાપ્રધાન માટે તેઓ અત્યાધુનિક મ્યૂઝિયમનું નિર્માણ કરાવશે, જેમાં તેમના જીવન કાળ સાથે સંકળાયેલી તમામ ચીજ વસ્તુઓ એકઠી કરવામાં આવશે.આ મ્યુઝિયમ રાજનૈતિક પક્ષપાતથી દુર હશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ચંદ્રશેખર નવી પેઢીને પ્રેરણા આપી શકે છે. તેમને યુવા તર્ક તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની વિદાય બાદ પણ પણ તેઓ બાર વર્ષથી અમારા વચ્ચે જ છે.