ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ પાણી પુરવઠા પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ, 3 હજાર કરોડના પ્રોજેક્ટથી 16 જિલ્લાને પાણી પહોંચશે

author img

By

Published : Jul 23, 2020, 10:32 AM IST

Updated : Jul 23, 2020, 12:25 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરૂવારે સવારે 10.30 કલાકે મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યુ હતું.

modi
modi

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૂરૂવારે સવારે 10.30 કલાકે મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યુ હતું.

મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2024 સુધીમાં રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ 25 નગરો અને 1,731 ગ્રામીણ વસાહતોમાં ઘરેલું નળ જોડાણો પૂરા પાડવા માટે બનાવવામાં આવ્યો છે, જેમાં ગ્રેટર ઇમ્ફાલ પ્લાનિંગ ક્ષેત્રના 16 જિલ્લામાં 2,80,756 ઘરને આવરી લેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે મણિપુરને 1,42,749 મકાનો સાથે 1,185 આવાસોમાં ઘરેલુ નળ જોડાણ માટે 3054 કરોડનું ભંડોળ આપ્યું છે. મણિપુર સરકારે ઉત્તર મકાનના પ્રદેશ વિકાસ વિભાગના ભંડોળ સહિતના નાણાના વધારાના સ્રોત દ્વારા બાકીના મકાનોને આવરી લેવાની યોજના બનાવી છે.

મોદી સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

જણાવી દઈએ કે, 2019ના બજેટ પહેલા મોદી સરકારે 'જલ શક્તિ અભિયાન' શરૂ કર્યું હતું. આ અંતર્ગત દેશના 256 જિલ્લાના વધુ અસરગ્રસ્ત 1,592 બ્લોક્સ પર ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનમાં પાંચ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે (જળ બચાવ અને વરસાદી પાણીનો સંગ્રહ, પરંપરાગત અને અન્ય જળાશયોના નવીનીકરણ, પાણીનો ફરીથી ઉપયોગ અને માળખાઓનું રિચાર્જ, જળ-વહેંચણી વિકાસ અને સઘન વનીકરણ, પીવાના પાણીની સફાઇ).

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૂરૂવારે સવારે 10.30 કલાકે મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યુ હતું.

મણિપુર પાણી પુરવઠા પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2024 સુધીમાં રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ 25 નગરો અને 1,731 ગ્રામીણ વસાહતોમાં ઘરેલું નળ જોડાણો પૂરા પાડવા માટે બનાવવામાં આવ્યો છે, જેમાં ગ્રેટર ઇમ્ફાલ પ્લાનિંગ ક્ષેત્રના 16 જિલ્લામાં 2,80,756 ઘરને આવરી લેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે મણિપુરને 1,42,749 મકાનો સાથે 1,185 આવાસોમાં ઘરેલુ નળ જોડાણ માટે 3054 કરોડનું ભંડોળ આપ્યું છે. મણિપુર સરકારે ઉત્તર મકાનના પ્રદેશ વિકાસ વિભાગના ભંડોળ સહિતના નાણાના વધારાના સ્રોત દ્વારા બાકીના મકાનોને આવરી લેવાની યોજના બનાવી છે.

મોદી સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ

જણાવી દઈએ કે, 2019ના બજેટ પહેલા મોદી સરકારે 'જલ શક્તિ અભિયાન' શરૂ કર્યું હતું. આ અંતર્ગત દેશના 256 જિલ્લાના વધુ અસરગ્રસ્ત 1,592 બ્લોક્સ પર ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનમાં પાંચ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે (જળ બચાવ અને વરસાદી પાણીનો સંગ્રહ, પરંપરાગત અને અન્ય જળાશયોના નવીનીકરણ, પાણીનો ફરીથી ઉપયોગ અને માળખાઓનું રિચાર્જ, જળ-વહેંચણી વિકાસ અને સઘન વનીકરણ, પીવાના પાણીની સફાઇ).

Last Updated : Jul 23, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.