આ ઉપરાંત પ્રદેશના કેટલાક પ્રોજેક્ટનો આરંભ પણ કરશે. સ્વચ્છ શક્તિ સંમેલનમાં PMની સાથે કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આ સંમેલનનું આયોજન બ્રમ્હસરોવરના કિનારે મેલા વિસ્તારમાં કરેલું છે. PM મોદી કુરૂક્ષેત્રમાં લગભગ 95 એકરમાં બનેલા આયુષ્ય વિશ્વવિદ્યાલયનું ઉદ્ધાટન કરશે. આ વિશ્વવિદ્યાલયમાં યૂનાની, આયુર્વેદ, સિદ્ધા, યોગ અને હોમિયોપેથીમાં શિક્ષણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 500 કરોડ રૂપયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં વડાપ્રધાન જ્ઞજ્જરમાં બનેલ રાષ્ટ્રીય કેંસર સંસ્થાનું ઉદ્ધાટન કરશે. કેંસરના ઇલાજ માટે 2037 કરોડ રૂપયાના ખર્ચની ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરવામાં આવશે. જેમાં કુલ 710 બેડ હશે અને પાછળના બે વર્ષથી તેનું નિર્માણ કાર્ય તેજીથી ચાલી રહ્યું છે. આ ઉપરાંત કરનાલના ફોર લેન બાયપાસ, કરનાલના ગાંવ કુટેલમાં દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ યુનિવર્સિટીને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ઉદ્ધાટન કરશે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા પંચકુલાના રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાનો પાયો પણ નાખશે.
સ્વચ્છ શક્તિ - 2019 સંમેલનમાં દેશના પાંચ હજાર લોકો અને રાજ્યમાંથી 15 હજાર જેટલી મહિલાઓ ભાગ લેશે. ઉપરોક્ત કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. મહેમાનો માટે, પુરુષોત્તમપુરા બાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાત રાજ્યોના કલાકારોને NZCC તરફથી બોલાવવામાં આવ્યા છે.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
આ પ્રવાસને ધ્યાનમાં રાખીને, જિલ્લાની સીમાઓને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમને લઇને IG સ્તરના અધિકારીઓએ પણ મુલાકાત લીધી છે. વહીવટી તંત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે 12 SP, 26 DSP સહિત આશરે 4,000 પોલીસ કર્મચારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે. તેની સાથે, મહિલા પોલીસની 50 દુર્ગા શક્તિ વાહનો પણ દેખરેખ રાખશે.
વડાપ્રધાનની સલામતી માટે તૈનાત કરાયેલા 12 સેક્ટર અનુસાર ફરજો નક્કી કરવામાં આવી છે. દરેક ક્ષેત્રમાં, એક પોલિસ અધીક્ષક તૈનાત રહેશે, જે સુરક્ષાનો ચાર્જ સંભાળશે.