3 જુલાઈએ આતંકવાદ વિરોધી કાયદા (એટીએ) 1997 હેઠળ જમાતના ટોચના 13 નેતાઓ સામે આતંકવાદી ભંડોળ અને મની લોન્ડરિંગના 2 ડઝન કેસ નોંધાયા હતા.
CTDએ પંજાબના પાંચ શહેરોમાં કેસ નોંધાયાની આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી)એ જાહેરાત કરી હતી કે, જેયુડી બિન-લાભકારી સંસ્થાઓ અને અલ-અનફાલ ટ્રસ્ટ, દાવતુલ ઇર્શાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબલ ટ્રસ્ટ વગેરે દ્વારા એકત્રિત કરવામાં આવેલા ભંડોળમાંથી આતંકવાદીઓને મોકલતો હતો. આ ગેરલાભકારી સંગઠન પર એપ્રિલમાં પ્રતિબધ લગાવવામાં આવ્યો છે. જે બાદમાં 17 જુલાઈના પંજાબ સીટીડી દ્વારા આતંકના આરોપમાં હાફિઝ સયદને ગુજરાવાલાથી ધરપકડ કરવામાં આવી છે. બાદમાં તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
આ સિવાય મલિક ઝાફર ઈકબાલ, આમિર હમઝા, મોહમ્મદ યહયા અઝીઝ, મોહમ્મદ નઈમ, મોહસિન બિલાલ, અબ્દુલ રકીબ, ડૉ અહમદ દાઉદ, ડૉ મુહમ્મદ અયૂબ, અબ્દુલ્લા ઉબૈદ, મોહમ્મદ અલી અને અબ્દુલ ગફ્ફાર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.
આ અગાઉ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવા (જેયૂડી)ના પ્રમુખ હાફિઝ સઈદ અને સંગઠનના અન્ય સભ્યોને આતંકવાદ વિરોધી વિભાગ ( સીટીડી) ગુજરાવાલા દ્વારા નોધાયેલી આતંકી ફન્ડિંગના અન્ય કેસ મામલે દોષી સાબિત થયો છે.