ETV Bharat / bharat

વંદે ભારત મિશન હેઠળ 2800થી વધુ ઉડાનોનું સંચાલનઃ એર ઇન્ડિયા

author img

By

Published : Jul 31, 2020, 9:04 AM IST

એર ઇન્ડિયાએ જણાવ્યું કે, તે વંદે ભારત મિશન હેઠળ દુનિયાભરમાં અત્યાર સુધી 2800થી વધુ ઉડાનોનું સંચાલન કર્યું છે. જેનાથી ત્રણ લાખ 80 હજાર યાત્રીકો સ્વદેશ પરત ફર્યા છે.

Etv Bharat, GUjarati News, Vande Bharat Mission
Vande Bharat Mission

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ વંદે ભારત મિશન હેઠળ દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2800થી વધુ ઉડાનોનું સંચાલન કર્યું છે. આ મિશન હેઠળ વિદેશમાં ફંસાયેલા ત્રણ લાખથી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે.

એર ઇન્ડિયાએ ગુરૂવારે એક ટ્વીટમાં કહ્યું કે, 'વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયાએ 2800થી વધુ ઉડાનોનું સંચાલન કર્યું છે. જેનાથી ત્રણ લાખ 80 હજાર યાત્રીકો સ્વદેશ પરત ફર્યા છે.'

Etv Bharat, GUjarati News, Vande Bharat Mission
એર ઇન્ડિયાનું ટ્વીટ

ભારત સરકારના વંદે ભારત મિશનના પાંચમા ચરણ, જેનો હેતુ હવાઇ યાત્રા પર પ્રતિબંધને કારણે વિભિન્ન વિદેશી દેશોમાં ફંસાયેલા ભારતીય નાગરિકોને બહાર લાવવાનો છે. આવતા મહીને પહેલી ઓગસ્ટથી શરુ થશે.

એર ઇન્ડિયાએ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વંદે ભારત મિશન હેઠળ અમે પહેલા જ 53 લાખ લોકો કરતા વધારે ફસાયેલા લોકોને ભારત પરત લાવ્યા છીએ.

કોરોના વાઇરસ મહામારીને કારણે વિદેશમાં ફંસાયેલા 7.88 લાખથી વધુ ભારતીય 22 જુલાઇ સુધી વંદે ભારત મિશન હેઠળ પરત આવ્યા છે, વિદેશ મંત્રાલયે આ વાતની માહિતી આપી હતી.

સરકારે કોરોના મહામારીને લીધે લાગુ કરેલા લોકડાઉનમાં વિદેશોમાં ફંસાયેલા ભારતીયોને લાવવા માટે સાત મેના દિવસે વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી.

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ વંદે ભારત મિશન હેઠળ દુનિયાભરમાં અત્યાર સુધીમાં 2800થી વધુ ઉડાનોનું સંચાલન કર્યું છે. આ મિશન હેઠળ વિદેશમાં ફંસાયેલા ત્રણ લાખથી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે.

એર ઇન્ડિયાએ ગુરૂવારે એક ટ્વીટમાં કહ્યું કે, 'વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયાએ 2800થી વધુ ઉડાનોનું સંચાલન કર્યું છે. જેનાથી ત્રણ લાખ 80 હજાર યાત્રીકો સ્વદેશ પરત ફર્યા છે.'

Etv Bharat, GUjarati News, Vande Bharat Mission
એર ઇન્ડિયાનું ટ્વીટ

ભારત સરકારના વંદે ભારત મિશનના પાંચમા ચરણ, જેનો હેતુ હવાઇ યાત્રા પર પ્રતિબંધને કારણે વિભિન્ન વિદેશી દેશોમાં ફંસાયેલા ભારતીય નાગરિકોને બહાર લાવવાનો છે. આવતા મહીને પહેલી ઓગસ્ટથી શરુ થશે.

એર ઇન્ડિયાએ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વંદે ભારત મિશન હેઠળ અમે પહેલા જ 53 લાખ લોકો કરતા વધારે ફસાયેલા લોકોને ભારત પરત લાવ્યા છીએ.

કોરોના વાઇરસ મહામારીને કારણે વિદેશમાં ફંસાયેલા 7.88 લાખથી વધુ ભારતીય 22 જુલાઇ સુધી વંદે ભારત મિશન હેઠળ પરત આવ્યા છે, વિદેશ મંત્રાલયે આ વાતની માહિતી આપી હતી.

સરકારે કોરોના મહામારીને લીધે લાગુ કરેલા લોકડાઉનમાં વિદેશોમાં ફંસાયેલા ભારતીયોને લાવવા માટે સાત મેના દિવસે વંદે ભારત મિશનની શરૂઆત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.