ઉત્તરપ્રદેશઃ મહારાજગંજ જિલ્લાના ક્વોરનટાઈન સેન્ટરમાં એક નેપાળી યુવકનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનનો કોરોના ટેસ્ટ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ ઘટના અંગે નેપાળ પ્રશાસનને પણ જાણ કરવામાં આવી છે.
18 મેના રોજ કોરોના વાઈરસ અને લોડાઉનને કારણે અલીગઢથી આવેલા નેપાળી કામદારોની એક ટુકડી તેમના વતન જવા માટે મહારાજગંજ જિલ્લાના સોનૌલી સરહદે પહોંચી હતી, પરંતુ સરહદ સીલ હોવાને કારણે નેપાળી વહીવટીતંત્રે તેમને નેપાળમાં પ્રવેશવાની મંજૂરી આપી ન હતી, ત્યારબાદ ભારતીય વહીવટીતંત્રે તમામ નેપાળી નાગરિકોને સરહદ નજીક નૌતાનવા નગર સ્થિત એક કોલેજમાં એક ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખી ખાણી-પીણીની વ્યવસ્થા હતી. આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
શુક્રવારે યુવકની તબિયત લથડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે, બાદમાં ડોક્ટરે તેમને ડિસ્ચાર્જ કરી ક્વોરનટાઈન સેન્ટર મોકલ્યો હતો, પરંતુ બીજે દિવસે શનિવારે તેનું અચાનક મોત થયું હતું.