ETV Bharat / bharat

અયોધ્યા કેસમાં મધ્યસ્થતા માટે ત્રણેય પક્ષકારોએ આપ્યા નામ - New Delhi

નવી દિલ્હી: અયોધ્યા-બાબરી ભૂમિ વિવાદ કેસમાં કોર્ટે બુધવારે સુનાવણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થતા દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની વાત થવી જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, આ કેસમાં આગામી સુનાવણી 8 સપ્તાહ બાદ થશે. જેથી ત્યાં સુધી આંતરિક સમજૂતીથી વિવાદનો ઉકેલ લાવી શકાય.

ડિઝાઈન ફોટો
author img

By

Published : Mar 7, 2019, 1:27 PM IST

જોકે તાજતરેમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આ કેસ સાથે જોડાયેલા પક્ષકારો પાસે જ મધ્યસ્થતા માટે પેનલના નામ મંગાવ્યા હતાં. જેથી ગત રોજ એટલે બુધવારે હિન્દુ મહાસભાએ ત્રણ નામ આપ્યાં હતા, જ્યારે આજે મુસ્લિમ પક્ષકારો અને નિર્મોહી અખાડાએ કોર્ટને મધ્યસ્થતા માટેના નામ આપ્યાં છે.

મુસ્લિમ પક્ષકારોએ વતી વકીલ એઝાઝ મકબૂલે કહ્યું છે કે, અમે પણ કોર્ટને મધ્યસ્થતા માટે નામ આપી દીધા છે. જોકે વકીલે આ નામ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. આ સિવાય નિર્મોહી અખાડાએ ત્રણ નામ આપ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કુરિયન જોસેફ, એકે પટનાયક અને જીએસ સિંઘવી સામેલ છે. હિન્દુ મહાસભાએ ગત રોજ પૂર્વ સીજેઆઈ દીપક મિશ્રા, પૂર્વ સીજેઆઈ જેએસ ખેહર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ મધ્યસ્થતા માટે આપ્યા છે.

જોકે તાજતરેમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આ કેસ સાથે જોડાયેલા પક્ષકારો પાસે જ મધ્યસ્થતા માટે પેનલના નામ મંગાવ્યા હતાં. જેથી ગત રોજ એટલે બુધવારે હિન્દુ મહાસભાએ ત્રણ નામ આપ્યાં હતા, જ્યારે આજે મુસ્લિમ પક્ષકારો અને નિર્મોહી અખાડાએ કોર્ટને મધ્યસ્થતા માટેના નામ આપ્યાં છે.

મુસ્લિમ પક્ષકારોએ વતી વકીલ એઝાઝ મકબૂલે કહ્યું છે કે, અમે પણ કોર્ટને મધ્યસ્થતા માટે નામ આપી દીધા છે. જોકે વકીલે આ નામ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. આ સિવાય નિર્મોહી અખાડાએ ત્રણ નામ આપ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કુરિયન જોસેફ, એકે પટનાયક અને જીએસ સિંઘવી સામેલ છે. હિન્દુ મહાસભાએ ગત રોજ પૂર્વ સીજેઆઈ દીપક મિશ્રા, પૂર્વ સીજેઆઈ જેએસ ખેહર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ મધ્યસ્થતા માટે આપ્યા છે.

Intro:Body:

નવી દિલ્હી: અયોધ્યા-બાબરી ભૂમિ વિવાદ કેસમાં કોર્ટે બુધવારે સુનાવણી કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થતા દ્વારા વિવાદનો ઉકેલ લાવવાની વાત થવી જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે, આ કેસમાં આગામી સુનાવણી 8 સપ્તાહ બાદ થશે. જેથી ત્યાં સુધી આંતરિક સમજૂતીથી વિવાદનો ઉકેલ લાવી શકાય.



જોકે તાજતરેમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને આ કેસ સાથે જોડાયેલા પક્ષકારો પાસે જ મધ્યસ્થતા માટે પેનલના નામ મંગાવ્યા હતાં. જેથી ગત રોજ એટલે બુધવારે હિન્દુ મહાસભાએ ત્રણ નામ આપ્યાં હતા, જ્યારે આજે મુસ્લિમ પક્ષકારો અને નિર્મોહી અખાડાએ કોર્ટને મધ્યસ્થતા માટેના નામ આપ્યાં છે.



મુસ્લિમ પક્ષકારોએ વતી વકીલ એઝાઝ મકબૂલે કહ્યું છે કે, અમે પણ કોર્ટને મધ્યસ્થતા માટે નામ આપી દીધા છે. જોકે વકીલે આ નામ જણાવવાનો ઈન્કાર કર્યો હતો. આ સિવાય નિર્મોહી અખાડાએ ત્રણ નામ આપ્યા છે. જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કુરિયન જોસેફ, એકે પટનાયક અને જીએસ સિંઘવી સામેલ છે. હિન્દુ મહાસભાએ ગત રોજ પૂર્વ સીજેઆઈ દીપક મિશ્રા, પૂર્વ સીજેઆઈ જેએસ ખેહર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ મધ્યસ્થતા માટે આપ્યા છે. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.