NIA હાલમાં જ મીરવાઇજને ત્રીજી નોટિસ ફટકારી હતી. જેમાં તેમને દિલ્હી ખાતે એજંન્સી સામે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. આ અગાઉ NIA દ્વારા મોકલવામાં આવેલી નોટિસના જવાબમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીની મુલાકાત દરમિયાન સુરક્ષા બાબાતે ચિંતા વ્યકત કરી હતી.
મીરવાઇજના નેતૃત્વ વાળી હુરિર્યત સમુહના પ્રવક્તાએ કહ્યું કે મીરવાઇજ પૂછપરછ માટે દિલ્હી જશે તથા પ્રોફેસર અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ ગની લોન તથા મસરૂર અંસારી સહિત હુરિયત કાર્યકારિણીના સભ્ય તેમની સાથે હશે.