ETV Bharat / bharat

અબુ સાલેમને મોટો ઝટકો, જેલમાંથી બહાર આવવાની યુક્તિ અસફળ

author img

By

Published : Apr 25, 2020, 12:02 AM IST

માફિયા ડોન અબુ સાલેમને મોટો ઝટકો લાગ્યો છે. જેલમાંથી બહાર આવવાની તેની યુક્તિ નિષ્ફળ ગઈ છે. સાલેમે ભારતમાં પ્રત્યાર્પણના નિયમોના ભંગનો આરોપ લગતા પોર્ટુગલ કોર્ટમાં અપીલ કરી હતી, જેને લિસ્બન વહીવટી અદાલતે ફગાવી દીધી છે.

ગેંગસ્ટર અબુ સાલેમની અરજીને ફગાવી દેતા લિસ્બન એડમિનિસ્ટ્રેટિવ કોર્ટે 5 ઓર્ગેનિક યુનિટે કહ્યું કે, આ તેનો અધિકારક્ષેત્ર નથી, કારણ કે આ મામલો રાજકીય અને કુટનીતિક છે. કોર્ટે કહ્યું કે સલેમની દલીલો પ્રશાસનિક સ્વભાવની નહીં પણ રાજકીય અને કુટનીતિક છે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ છે.

ભારતથી પોર્ટુગલ સુધી અનેક અપીલ

તેમણે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અનુમતિ અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેમના પ્રત્યાર્પણની શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે 10 સપ્ટેમ્બર, 2010 નાં તેના આદેશમાં, તેમની અરજીને ફગાવી દીધી હતી, જેમાં જણાવ્યું હતું કે તેના પ્રત્યાર્પણની શરતોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.

સાલેમે આ મુદ્દો પોર્ટુગલ કોર્ટની સામે પણ ઉઠાવ્યો હતો. અંતે, પોર્ટુગલની બંધારણીય અદાલતે જાણ્યું કે આ વિષયને રાજકીય અને કુટનીતિક રીતે બંને સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે સમાધાન કરવાની જરૂર છે. તેમણે ફરીથી ભારતમાં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પ્રત્યાર્પણની શરતોનું કોઈ ઉલ્લંઘન નથી.

1995 માં બિલ્ડર પ્રદીપ જૈન હત્યા કેસ અને 1993 ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં અબુ સાલેમને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તે 25 વર્ષની સજા ભોગવી રહ્યો છે. 20 સપ્ટેમ્બર 2002 ના રોજ સાલેમની પોર્ટુગલના લિસ્બન ખાતે ધરપકડ કરવામાં આવી હતી. પ્રત્યારોપણ સંધિ હેઠળ 2005 માં તેમને ભારત સોંપવામાં આવ્યો હતા. લિસ્બન કોર્ટે સાલેમને પ્રત્યાપિત કરતી વખતે શરત રાખી હતી કે તેને ફાંસીની સજા આપવામાં ન આવે.

ગેંગસ્ટર અબુ સાલેમની અરજીને ફગાવી દેતા લિસ્બન એડમિનિસ્ટ્રેટિવ કોર્ટે 5 ઓર્ગેનિક યુનિટે કહ્યું કે, આ તેનો અધિકારક્ષેત્ર નથી, કારણ કે આ મામલો રાજકીય અને કુટનીતિક છે. કોર્ટે કહ્યું કે સલેમની દલીલો પ્રશાસનિક સ્વભાવની નહીં પણ રાજકીય અને કુટનીતિક છે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ છે.

ભારતથી પોર્ટુગલ સુધી અનેક અપીલ

તેમણે સુપ્રીમ કોર્ટમાં વિશેષ અનુમતિ અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેમના પ્રત્યાર્પણની શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે 10 સપ્ટેમ્બર, 2010 નાં તેના આદેશમાં, તેમની અરજીને ફગાવી દીધી હતી, જેમાં જણાવ્યું હતું કે તેના પ્રત્યાર્પણની શરતોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.

સાલેમે આ મુદ્દો પોર્ટુગલ કોર્ટની સામે પણ ઉઠાવ્યો હતો. અંતે, પોર્ટુગલની બંધારણીય અદાલતે જાણ્યું કે આ વિષયને રાજકીય અને કુટનીતિક રીતે બંને સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે સમાધાન કરવાની જરૂર છે. તેમણે ફરીથી ભારતમાં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પ્રત્યાર્પણની શરતોનું કોઈ ઉલ્લંઘન નથી.

1995 માં બિલ્ડર પ્રદીપ જૈન હત્યા કેસ અને 1993 ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં અબુ સાલેમને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તે 25 વર્ષની સજા ભોગવી રહ્યો છે. 20 સપ્ટેમ્બર 2002 ના રોજ સાલેમની પોર્ટુગલના લિસ્બન ખાતે ધરપકડ કરવામાં આવી હતી. પ્રત્યારોપણ સંધિ હેઠળ 2005 માં તેમને ભારત સોંપવામાં આવ્યો હતા. લિસ્બન કોર્ટે સાલેમને પ્રત્યાપિત કરતી વખતે શરત રાખી હતી કે તેને ફાંસીની સજા આપવામાં ન આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.