સુરત ખાતે કોળી સમાજ દ્વારા યુવક યુવતીઓના પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ કોળી સમાજના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ખાસ હાજરી આપી હતી. લોકસભા ચૂંટણી નજીક આવતા ખાસ ગુજરાતની નવસારી બેઠક પર ઉમેદવાર કોળી પટેલ હોય એવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જ્યારે સુરત આવ્યા ત્યારે અહીંના લોકોએ આ માંગ રાખી હતી કે, નવસારી લોકસભામાં કોળી સમાજનો ઉમેદવાર ઊભો કરવામાં આવે. આ અંગે કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી તેઓ વલસાડ, નવસારી અને ઓલપાડના વિસ્તારોમાં સમાજના લોકો સાથે બેઠક કરી તેમની માંગણી જાણી રહ્યા છે. તેમની વ્યાજબી માંગણી ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચાડશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠક પર કોળી સમાજના લોકોની સંખ્યા વધારે છે, અને ધારાસભ્યો સહિત અન્ય લોકોની માંગણી તેઓએ સાંભળી છે. કોળી સમાજના લોકો હંમેશાથી ભાજપ તરફી મતદાન કરતા આવ્યા છે. બાવલિયાએ હાર્દિક વિશે જણાવ્યું છે કે, કોંગ્રેસમાં જોડાવાના કારણે હાર્દિકથી પાટીદાર સમાજ નારાજ છે. હાર્દિકના જોડાયા બાદ કોંગ્રેસે જે આશા રાખી છે. તે પૂર્ણ થશે નહીં. હાર્દિકે આંદોલનની શરૂઆત સમાજના હિત માટે કરી હતી, પરંતુ કોંગ્રેસમાં જોડાવાથી સમાજના લોકો તેનાથી નારાજ થઈ ગયા છે.