ETV Bharat / bharat

ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ 19 જેવા વાયરસોના ફેલાવાને અટકાવવા JNCASRએ એક વૈવિધ્યસભર આવરણ વિકસાવ્યું - undefined

કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ સ્વાયત્ત રીતે કામ કરતી બેંગાલુરુ સ્થિત સંસ્થા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચ (JNCASR)એ એક વિશિષ્ટ આવરણ એટલે કે, કોટિંગ તૈયાર કર્યું છે. તે રોગ પેદા કરતા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરી શકે તેવું એટલે કે ‘એન્ટિમાઇક્રોબાયલ’ છે. આ કોટિંગે શ્વાસના ગંભીર ચેપ માટેના મૂળ કારણ, ઘાતક ઇન્ફ્લુએન્ઝા વાયરસને ફેલાતો અટકાવવામાં ઉત્કૃષ્ટ પરિણામો દર્શાવ્યા છે. આ કોટિંગ મોટા ભાગના ઇન્ફ્લુએન્ઝા વાયરસને નિષ્ક્રિય કરી દે છે. કોવિડ સામેના દેશના યુદ્ધમાં આ કોટિંગના વધુ વિકાસ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનું એક એકમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બૉર્ડ સહાય કરી રહ્યું છે.

etv Bharat
ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ 19 જેવા વાયરસોના ફેલાવાને અટકાવવા JNCASRએ એક વૈવિધ્યસભર આવરણ વિકસાવ્યું
author img

By

Published : Apr 8, 2020, 11:31 PM IST

ન્યૂઝડેસ્ક :ઇન્ફ્લુએન્ઝા વાયરસ (એનવેલપ્ડ વાયરસ)નો 100% નાશ કરવામાં કોટિંગની સિદ્ધ થયેલી કાર્યક્ષમતા દર્શાવે છે કે કોટિંગ અન્ય એનવેલપ્ડ વાયરસ COVID 19નો નાશ કરવામાં પણ અસરકારક હોઇ શકે છે.

આ ટેક્નોલોજી ખુબ જ સરળ છે માટે તેના વિકાસ માટે વધુ કુશળ કર્મચારીઓની જરૂર રહેતી નથી. આ ટેક્નોલોજીનો કોવિડ 19 સામે પરીક્ષણ કરવાનું શરૂ થઇ ગયું છે.

જો આ ટેક્નોલોજી સફળ જણાશે તો ડોક્ટરો અને નર્સો દ્વારા ઉપયોગમાં લેવાતા માસ્ક, ગાઉન, ગ્લોવ્ઝ, ફેસ શીલ્ડ જેવા અનેક PPE પર આ વિશેષ કોટિંગ કરીને તેમને વધુ સુરક્ષા અને સલામતી પ્રદાન કરી શકાશે. આ કોટિંગ તેમને કોવિડ 19 સામેનું યુદ્ધ વધુ અસરકારક રીતે લડવામાં મદદ કરશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “મને ખુબ જ ખુશી થાય છે કે મૂળભૂત વિજ્ઞાનમાં પોતાની ઊંડી ક્ષમતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત આપણી સંશોધન સંસ્થાઓ હવે તેમના જ્ઞાનને પડકારજનક અને ઉપયોગી ઍપ્લિકેશન્સમાં ફેરવી રહી છે. JNCASRની આ પ્રોડક્ટ તેનું જીવંત ઉદાહરણ છે. મને વિશ્વાસ છે કે ઉત્પાદનમાં ઉદ્યોગો દ્વારા યોગ્ય મદદ સાથે આપણે વધુ સફળ ઉદાહરણો આપી શકીશું.”

આ ટેક્નોલોજી JNCASRના પ્રોફેસર જયંત હલદરના જૂથે વિકસાવી છે જેમાં શ્રેયન ઘોષ, ડૉ. રિયા મુખરજી અને ડૉ. દેબજ્યોતી બસકનો સમાવેશ થાય છે.

આ કોટિંગ માટે વૈજ્ઞાનિકોએ સંશ્લેષિત કરેલા સંયોજનો મોટા ભાગના દ્રાવકોમાં દ્રાવ્ય છે, જેમકે:-

પાણી

ઇથેનોલ

મિથેનોલ

ક્લોરોફોર્મ.

આ સંયોજનના જલીય અથવા ઓર્ગેનિક દ્રાવણોનો તબીબી ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી કાપડ, પ્લાસ્ટિક, PVC, પોલીયુરેથેન, પોલીસ્ટાયરીન જેવી મહત્વની સામગ્રીઓ અને રોજબરોજની વિવિધ વસ્તુઓ પર સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

આ કોટિંગ ઇન્ફ્લુએન્ઝા વાયરસ સામે અદભૂત એન્ટિવાયરલ એક્ટિવિટી દર્શાવે છે. તે 30 મિનિટની અંદર ઇન્ફ્લુએન્ઝા વાયરસનો ખાતમો બોલાવી દે છે. તે રોગ પેદા કરતા જીવાણુઓ (એટલે કે બેક્ટેરિયા)ના પડદાઓને વેરવિખેર કરી દે છે અને તેમનો અંત લાવે છે.

સંશોધન દરમિયાન કોટિંગ કરેલી સપાટીઓએ દવા સામે પ્રતિરોધક શક્તિ ધરાવતા વિવિધ બેક્ટેરિયા અને ફૂગનો 30થી 45 મિનિટમાં સંપૂર્ણપણે નાશ કર્યો હતો જેમાં મેથિસિલિન પ્રતિરોધક S. aureus (MRSA) અને ફ્લુકોનાઝોલ પ્રતિરોધક C. albicans sppનો સમાવેશ થાય છે.

આ સંયોજનથી કોટ કરવામાં આવેલી સુતરાઉ ચાદરે બેક્ટેરિયાના દસ લાખથી વધુ કોષોનો નાશ થતો દર્શાવ્યો છે.

વિવિધ દ્વાવકોમાં મહત્તમ દ્રાવ્યતા હાંસલ કરવા માટે પરમાણુઓ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ખર્ચ અસરકારક ત્રણથી ચાર ઉત્પાદન તબક્કા સાથે તે વધુ શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તામાં હાસલ કરી શકાય છે.

આ ઉપરાંત આ કોટિંગને વિવિધ સપાટીઓ પર ખુબ જ સરળતાથી ફેબ્રિકેટ કરી શકાય છે. ટેક્નોલોજીની સાદાઇ તેના વિકાસમાં કુશળ કર્મચારીઓની જરૂરિયાતને દૂર કરે છે.

ન્યૂઝડેસ્ક :ઇન્ફ્લુએન્ઝા વાયરસ (એનવેલપ્ડ વાયરસ)નો 100% નાશ કરવામાં કોટિંગની સિદ્ધ થયેલી કાર્યક્ષમતા દર્શાવે છે કે કોટિંગ અન્ય એનવેલપ્ડ વાયરસ COVID 19નો નાશ કરવામાં પણ અસરકારક હોઇ શકે છે.

આ ટેક્નોલોજી ખુબ જ સરળ છે માટે તેના વિકાસ માટે વધુ કુશળ કર્મચારીઓની જરૂર રહેતી નથી. આ ટેક્નોલોજીનો કોવિડ 19 સામે પરીક્ષણ કરવાનું શરૂ થઇ ગયું છે.

જો આ ટેક્નોલોજી સફળ જણાશે તો ડોક્ટરો અને નર્સો દ્વારા ઉપયોગમાં લેવાતા માસ્ક, ગાઉન, ગ્લોવ્ઝ, ફેસ શીલ્ડ જેવા અનેક PPE પર આ વિશેષ કોટિંગ કરીને તેમને વધુ સુરક્ષા અને સલામતી પ્રદાન કરી શકાશે. આ કોટિંગ તેમને કોવિડ 19 સામેનું યુદ્ધ વધુ અસરકારક રીતે લડવામાં મદદ કરશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પ્રોફેસર આસુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “મને ખુબ જ ખુશી થાય છે કે મૂળભૂત વિજ્ઞાનમાં પોતાની ઊંડી ક્ષમતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત આપણી સંશોધન સંસ્થાઓ હવે તેમના જ્ઞાનને પડકારજનક અને ઉપયોગી ઍપ્લિકેશન્સમાં ફેરવી રહી છે. JNCASRની આ પ્રોડક્ટ તેનું જીવંત ઉદાહરણ છે. મને વિશ્વાસ છે કે ઉત્પાદનમાં ઉદ્યોગો દ્વારા યોગ્ય મદદ સાથે આપણે વધુ સફળ ઉદાહરણો આપી શકીશું.”

આ ટેક્નોલોજી JNCASRના પ્રોફેસર જયંત હલદરના જૂથે વિકસાવી છે જેમાં શ્રેયન ઘોષ, ડૉ. રિયા મુખરજી અને ડૉ. દેબજ્યોતી બસકનો સમાવેશ થાય છે.

આ કોટિંગ માટે વૈજ્ઞાનિકોએ સંશ્લેષિત કરેલા સંયોજનો મોટા ભાગના દ્રાવકોમાં દ્રાવ્ય છે, જેમકે:-

પાણી

ઇથેનોલ

મિથેનોલ

ક્લોરોફોર્મ.

આ સંયોજનના જલીય અથવા ઓર્ગેનિક દ્રાવણોનો તબીબી ક્ષેત્રે ઉપયોગમાં લેવાતી કાપડ, પ્લાસ્ટિક, PVC, પોલીયુરેથેન, પોલીસ્ટાયરીન જેવી મહત્વની સામગ્રીઓ અને રોજબરોજની વિવિધ વસ્તુઓ પર સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

આ કોટિંગ ઇન્ફ્લુએન્ઝા વાયરસ સામે અદભૂત એન્ટિવાયરલ એક્ટિવિટી દર્શાવે છે. તે 30 મિનિટની અંદર ઇન્ફ્લુએન્ઝા વાયરસનો ખાતમો બોલાવી દે છે. તે રોગ પેદા કરતા જીવાણુઓ (એટલે કે બેક્ટેરિયા)ના પડદાઓને વેરવિખેર કરી દે છે અને તેમનો અંત લાવે છે.

સંશોધન દરમિયાન કોટિંગ કરેલી સપાટીઓએ દવા સામે પ્રતિરોધક શક્તિ ધરાવતા વિવિધ બેક્ટેરિયા અને ફૂગનો 30થી 45 મિનિટમાં સંપૂર્ણપણે નાશ કર્યો હતો જેમાં મેથિસિલિન પ્રતિરોધક S. aureus (MRSA) અને ફ્લુકોનાઝોલ પ્રતિરોધક C. albicans sppનો સમાવેશ થાય છે.

આ સંયોજનથી કોટ કરવામાં આવેલી સુતરાઉ ચાદરે બેક્ટેરિયાના દસ લાખથી વધુ કોષોનો નાશ થતો દર્શાવ્યો છે.

વિવિધ દ્વાવકોમાં મહત્તમ દ્રાવ્યતા હાંસલ કરવા માટે પરમાણુઓ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ખર્ચ અસરકારક ત્રણથી ચાર ઉત્પાદન તબક્કા સાથે તે વધુ શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તામાં હાસલ કરી શકાય છે.

આ ઉપરાંત આ કોટિંગને વિવિધ સપાટીઓ પર ખુબ જ સરળતાથી ફેબ્રિકેટ કરી શકાય છે. ટેક્નોલોજીની સાદાઇ તેના વિકાસમાં કુશળ કર્મચારીઓની જરૂરિયાતને દૂર કરે છે.

For All Latest Updates

TAGGED:

viruses
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.