ન્યૂઝ ડેસ્કઃ આપણે ઉપવાસ ધાર્મિક પ્રસંગે કરીએ છીએ અથવા આપણી શરીર પ્રણાલીને આરામ આપવા માટે કરીએ છીએ. ઉપવાસને સમજવા માટે અમે દ્રવ્યગુણા વિભાગના પ્રોફેસર ડો.બુલુસુ સીતારામ સાથે વાત કરી કે જે તિરૂપતિ ટીટીડીએસના એસ.વી. આયુર્વેદિક કોલેજમાં ભણાવે છે. સામાન્ય ઉપવાસ એ કોઈપણ પ્રકારના નક્કર આહારને સંપૂર્ણ રીતે બાકાત રાખવાનો ઉલ્લેખ કરે છે. તેમ છતાં, પાણી, તાજા ફળોનો રસ, છાશ, વગેરે જેવા પ્રવાહીઓનું સેવન કરી શકાય છે. જો કે, ઘણાં લોકો છે જે નક્કર આહારનું સેવન કર્યા વિના લાંબા ગાળા સુધી રહી શકતા નથી. તેથી, સમયાંતર ઉપવાસનો અભ્યાસ કરી શકાય છે.
ઉપવાસ કરવાના 2 પ્રકાર છે,
- પ્રથમ પ્રકારમાં સવારે હળવો આહાર લેવો જોઈએ, બપોરે સવારથી ઓછો આહાર લેવો અને રાત્રે આહાર નહીં લેવો.
- બીજા પ્રકારમાં વ્યક્તિએ સપ્તાહમાં 2 દિવસ નક્કર આહાર નહીં લેવો.
“ઉપવાસ શરીરને હળવું રાખવા માટે હોય છે. તે શરીરમાંથી રોગિષ્ઠ સામગ્રીને દૂર કરે છે અને તમને સ્વસ્થ રાખે છે.” ડો.સીતારામ કહે છે કે, દરેક સિક્કાની બે બાજુ હોવાથી, ઉપવાસના પણ ફાયદા અને ગેરફાયદા છે.
ફાયદા
- વજન ઓછું થાય છે. હૃદય અને અન્ય મહત્વપૂર્ણ અંગો પરનો ભાર પણ ઘટે છે.
- આયુષ્ય વધે છે. હૃદય, યકૃત, કિડની જેવા મહત્વપૂર્ણ અંગોને આરામ મળે છે. તેથી તેઓ વધુ સારી રીતે અને લાંબા સમય સુધી કાર્ય કરે છે. જે લાંબા જીવનને પ્રોત્સાહન આપે છે. તેથી, સમયાંતરે ઉપવાસ કરવાથી વ્યક્તિ લાંબા સમય સુધી જીવી શકે છે.
- સામાન્ય રીતે ઘણા હાનિકારક પદાર્થો આપણા શરીરમાં જોવા મળે છે. જેમ કે વધારે સોડિયમ, ભારે ધાતુઓ અથવા બિન-ચયાપચય ઉત્પાદનો. આમ, ઉપવાસ આપણા શરીરમાંથી આ હાનિકારક ઉત્પાદનોને દૂર કરવામાં મદદગાર થાય છે.
- યાદશક્તિ વધારવા માટે ઉપવાસ કરી શકાય. નિયમિત અંતરે નિયમિત ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. શરીરમાં સંચિત કેટલાક હાનિકારક પદાર્થો મગજને પણ અસર કરી શકે છે.
ગેરફાયદા
- બિનજરૂરી અથવા લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં સંગ્રહિત પ્રોટીનનું વિઘટન થાય છે. જે કિડનીના કાર્યોમાં ખલેલ પહોંચાડે છે. આ કિડની પર લોડનું કારણ બને છે અને તેને નકારાત્મક અસર કરે છે.
- વધુ પડતાં ઉપવાસ કરવાથી શરીરમાં સ્વાદુપિંડનું વિશિષ્ટ કાર્યો પણ અક્ષમ થઈ શકે છે, જેના પરિણામે ખાંડનું સ્તર વધી શકે છે. તે લાંબા ગાળે ડાયાબિટીઝમાં પરિણમી શકે છે.
- શરીરની ચરબી જે શરીરના યોગ્ય કાર્ય માટે ખૂબ જરૂરી છે. વધુ પડતા ઉપવાસથી સંગ્રહિત ચરબીનો ઘટાડો થઈ શકે છે, મુખ્યત્વે ત્વચા અને મગજને અસર કરે છે. ત્વચા શુષ્ક અને કરચલીવાળી બને છે, વાળ ખરશે અને મગજનાં કાર્યો અવરોધાય છે, જેનાથી યાદશક્તિ ઓછી થાય છે.
- તેથી, જો યોગ્ય રીતે અનુસરવામાં આવે તો ઉપવાસ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ડો.સીતારામ 24 કલાકથી વધુ ઉપવાસ રાખવા સૂચન કરે છે. જો કે, આરોગ્યને લગતી અન્ય સમસ્યાઓવાળા લોકોએ ઉપવાસ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.