નાસા કર્મચારિયોને આપેલા સંબોધનમાં નાસા પ્રમુખ જિમ બ્રિડેંસ્ટાઇને ભારતના પરિક્ષણ પર ચિંતા વ્યક્ત કરી હતી. ગત અઠવાડિયે ભારત લો ઓર્બિટમાં એક સેટેલાઇટને તોડી પાડ્યા બાદ દુનિયાની અંતરિક્ષ મહાશક્તિઓની પંક્તિમાં ઉભા રહ્યા હતા.
બ્રિડેન્સ્ટાઇને કહ્યું કે, મિસાઇલથી તોડી પડાયેલા સેટેલાઇટના બધાં જ ટૂકડાઓ એટલા મોટા ન હતા કે, તેમણે ટ્રેક કરી શકાય. જો કે, અમે જે ટૂકડાઓને ટ્રેક કરી રહ્યા છે, તેમનો આકાર ટ્રેકિંગ માટે પર્યાપ્ત નથી. અમે 10 સેમી અથવા તેનાથી મોટા ટૂકડાઓ વિશે વાત કરી રહ્યા છીએ, લગભગ 60 જેટલા ટૂકડાઓને ટ્રેક કરવામાં આવ્યા હતા.
ભારતે સેટેલાઇટને 300 કિમીની નીચી ઉંચાઇ પર તોડી પાડ્યો હતો. જો કે ISS તેમજ અન્ય જરૂરી સેટેલાઇટ તેનાથી વધુ ઉંચાઇના ઓર્બિટમાં જોવા મળ્યા છે.
બ્રિડેંસ્ટાઇને વધુમાં કહ્યું કે, 24 ટૂકડા એવા છે, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની એપોજીથી ઉપર જઇ રહ્યા છે. આ ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જેમાં અવશેષ એપોજીથીથી ઉપર જઇ રહ્યા છે. આવી ગતિવિધિ ભવિષ્યમાં માણસોની સ્પેસફ્લાઇટ માટે યોગ્ય નથી.
તેમણે કહ્યું કે, આ બિલકુલ પણ સ્વીકાર્ય નથી અને નાસાને સ્પષ્ટ કરવાની જરૂર છે કે, આનાથી આપણા પર શું અસર થઇ શકે છે.
અમેરિકી સેના અંતરિક્ષમાં દરેક વસ્તુને ટ્રેક કરે છે અને ISS તેમજ બીજી સેટેલાઇટ સાથે ટક્કરથી ખતરો થવાની ભવિષ્યવાણી પણ કરી છે. વર્તમાનમાં 10 સેમીથી વધુ મોટા 23000 ટૂકડાઓને ટ્રેક કરવામાં આવ્યા છે. જેમાંથી 10,000 ટૂકડાઓ અંતરિક્ષ પરના કચરા છે. તો બીજી તરફ 2007માં ચીનના ASAT પરિક્ષણથી જ નજીક 3000 ટૂકડાઓ અંતરિક્ષ પથરાયા હતા. ચીને આ પરીક્ષણ લગભગ 800 કિમીની ઉંચાઇએ કર્યું હતું.