ETV Bharat / bharat

ભાજપના સાંસદે કહ્યું, રામ મંદિર બનશે તો કોરોના ભાગશે - રાજસ્થાનના ભાજપના સાંસદ જસકૌર મીણા

રાજસ્થાનના દૌસાથી ભાજપના સાંસદ જસકૌર મીણાએ એક મોટું નિવેદન આપ્યું છે. મીણાએ કહ્યું કે જ્યારે રામ મંદિર બનાવવામાં આવશે, ત્યારે કોરોના દેશથી ભાગી જશે. સાથે જ તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદીને જન ભાવના અનુસાર કામ કરનારા ગણાવ્યા હતા.

રામ મંદિર
રામ મંદિર
author img

By

Published : Jul 28, 2020, 3:21 PM IST

જયપુર: રાજસ્થાનના ભાજપના સાંસદ જસકૌર મીણાએ કોરોના અને રામ મંદિર અંગે મોટું નિવેદન આપ્યું છે. મીણાએ કહ્યું કે, જ્યારે ભગવાન રામનું મંદિર બનાવવામાં આવશે, ત્યારે કોરોના દેશથી ભાગી જશે. જસકૌર મીણા કહે છે કે 'અમે આધ્યાત્મિક શક્તિના પૂજારી છીએ, ભગવાન રામનું મંદિર બનતાંની સાથે જ કોરોના દેશમાંથી ભાગી જશે. 5 ઓગસ્ટના રોજ લોકો મીઠાઇઓ વેંચશે અને દીવાઓ પ્રગટાવશે.

જસકૌર મીણા દૌસાથી ભાજપના સાંસદ છે. તેમણે કહ્યું કે રામ મંદિર બનતાંની સાથે જ કોરોના દેશમાંથી ભાગશે.

રાજસ્થાનના દૌસાથી ભાજપના સાંસદ જસકૌર મીણાનું નિવેદન - રામ મંદિર બનશે તો કોરોના ભાગશે

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને એક વિભૂતિ ગણાવ્યા અને રામાયણની ચૌપાઇ ગાઇને કહ્યું રામ કાજ કરબે કો આતૂર. સાંસદ મીણાએ કહ્યું કે દેશમાં બે વ્યક્તિત્વ છે જે લોકોની ભાવના માટે કામ કરી રહ્યા છે.

યોગી આદિત્યનાથ અને બીજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જે હંમેશાં લોકોની ભાવના પ્રમાણે કામ કરે છે. આવી સ્થિતિમાં જન ભાવના મુજબ રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને જો દેશમાં રામ મંદિર બનાવવામાં આવે તો ટૂંક સમયમાં દેશમાંથી કોરાોના જેવી મહામારીનો અંત આવશે.

જયપુર: રાજસ્થાનના ભાજપના સાંસદ જસકૌર મીણાએ કોરોના અને રામ મંદિર અંગે મોટું નિવેદન આપ્યું છે. મીણાએ કહ્યું કે, જ્યારે ભગવાન રામનું મંદિર બનાવવામાં આવશે, ત્યારે કોરોના દેશથી ભાગી જશે. જસકૌર મીણા કહે છે કે 'અમે આધ્યાત્મિક શક્તિના પૂજારી છીએ, ભગવાન રામનું મંદિર બનતાંની સાથે જ કોરોના દેશમાંથી ભાગી જશે. 5 ઓગસ્ટના રોજ લોકો મીઠાઇઓ વેંચશે અને દીવાઓ પ્રગટાવશે.

જસકૌર મીણા દૌસાથી ભાજપના સાંસદ છે. તેમણે કહ્યું કે રામ મંદિર બનતાંની સાથે જ કોરોના દેશમાંથી ભાગશે.

રાજસ્થાનના દૌસાથી ભાજપના સાંસદ જસકૌર મીણાનું નિવેદન - રામ મંદિર બનશે તો કોરોના ભાગશે

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને એક વિભૂતિ ગણાવ્યા અને રામાયણની ચૌપાઇ ગાઇને કહ્યું રામ કાજ કરબે કો આતૂર. સાંસદ મીણાએ કહ્યું કે દેશમાં બે વ્યક્તિત્વ છે જે લોકોની ભાવના માટે કામ કરી રહ્યા છે.

યોગી આદિત્યનાથ અને બીજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જે હંમેશાં લોકોની ભાવના પ્રમાણે કામ કરે છે. આવી સ્થિતિમાં જન ભાવના મુજબ રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને જો દેશમાં રામ મંદિર બનાવવામાં આવે તો ટૂંક સમયમાં દેશમાંથી કોરાોના જેવી મહામારીનો અંત આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.