ETV Bharat / bharat

ભારત-શ્રીલંકા સંબંધ: ગોટાબાયાની ભારત યાત્રાના પાંચ મુખ્ય મુદ્દા

author img

By

Published : Dec 3, 2019, 5:48 PM IST

ન્યૂઝ ડેસ્ક: શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. વ્યૂહાત્મક સહયોગ, આતંકવાદ સામે મુકાબલો સહિત જોઈએ આ બેઠકના અન્ય મુખ્ય મુદ્દાઓ.

ભારત-શ્રીલંકા સંબંધ
ભારત-શ્રીલંકા સંબંધ

શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા માટે ભારતની પસંદગી કરી હતી. તેમની ભારત મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, શ્રીલંકાની પ્રાથમિકતામાં ભારતનું મહત્વ ઘણું વધારે છે. જાણીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે.

1. રાજપક્ષે સાથે સંબંધો ફરી સુધારવા

ગોટાબાયા રાજપક્ષેએ ગત મહિને શ્રીલંકામાં રાજકીય લડાઈ જીતી પોતાને રાષ્ટ્રપતિ પદે સ્થાપિત કર્યા હતા. તેમના શપથ ગ્રહણના થોડા કલાકો બાદ ભારતના વિદેશ પ્રધાન જયશંકર ગોટાબાયાને શુભકામના આપવા કોલંબો પહોંચ્યા હતા. કાર્યભાર સંભાળ્યાના 10 દિવસની અંદર રાજપક્ષે તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા પર નવી દિલ્હી આવ્યા હતા. જ્યાં બન્ને દેશો વચ્ચે એ વાત પર ભાર મુકવામાં આવ્યો કે, ભારત-શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધો બન્ને દેશ માટે ઘણા મહત્વના છે.

દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની શરુઆત એ પ્રશ્નથી થઈ જે રાજપક્ષે ભાઈઓના સત્તામાં પરત આવ્યા બાદ ઉભા થયા હતા. મુખ્ય રુપે મહિંદા રાજપક્ષે જે હાલમાં શ્રીલંકાના વડાપ્રધાન છે તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાના સંબંધો ચીન સાથે મજબૂત થતાં ભારત અને શ્રીલંકાના સંબંધોમાં બદલાવ આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ એક નિવેદન જારી કરી ભારતીય મહાસાગરમાં શ્રીલંકાની સ્થિરતા અંગે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, 'બન્ને દેશોની સુરક્ષા અને વિકાસને અલગ કરી શકાય નહીં. માટે એ જરુરી છે કે, બન્ને દેશ એક બીજાની સુરક્ષા અને સંવેદનશીલતાને લઈને સજાગ રહે.'

2. વિકાસલક્ષી વ્યૂહાત્મક સહયોગ, માળખાગત વિકાસ માટે 400 મિલિયન ડોલરની સહાય

ભારત દ્વારા શ્રીલંકા માટે કરવામાં આવેલી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે 400 મિલિયન અમેરિકન ડોલરની સહાય ઘણી મહત્વપૂર્ણ છે. જે અંતર્ગત પાયાની સુવિધા અને શિક્ષણના પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ સિરિસેના માટે આર્થિક પડકાર મોટી સમસ્યા હતી. હંબનટોટા શ્રીલંકા માટે ચીન દ્વારા ફેંકવામાં આવેલો ગાળિયો સાબિત થયો હતો. બીજી તરફ ભારતનું ધ્યાન વ્યાપાર અને રોકાણ ક્ષેત્રમાં સહયોગ કરીને બન્ને દેશોના લક્ષ્યાંકને પુરા કરી જનતાની માગણીને પ્રાથમિકતા આપવાનું છે.

ભારતે આંતરિક વિસ્થાપનનો સામનો કરી રહેલા ઉત્તરી અને પૂર્વોત્તર પ્રાંતના લોકો માટે અત્યાર સુધીમાં 46 હજાર મકાન બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે 14 હજાર મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સમિટમાં જાહેર કરવામાં આવેલી 100 મિલિયન ડોલરની ક્રેડિટ લાઈનનો ઉપયોગ શ્રીલંકામાં સૌર ઉર્જાના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે.

3. આતંકવાદ રહ્યો મુખ્ય મુદ્દો, 50 મિલિયન અમેરિકન ડોલરની સહાય

વર્તમાન રાષ્ટ્રપતિ ગોટાબાયા, જે રાજપક્ષે સરકારમાં રક્ષા સચિવ પદે હતાં, તે શ્રીલંકામાં આતંકવાદની સમસ્યાથી પરિચિત છે. જેમાં LTTEને 25 વર્ષો બાદ ગૃહ યુદ્ધમાં પરાજીત કરવાનો અનુભવ પણ સામેલ છે. ભારત સાથે દ્વિપક્ષીય ચર્ચામાં શ્રીલંકા તરફથી આતંકવાદ મુખ્ય મુદ્દો રહ્યો હતો. આતંકવાદ સામે લડવા અને ખાનગી માહિતીના આદાન પ્રદાન માટે તંત્રની રચના કરવા ભારતે શ્રીલંકાને વધારાના 50 મિલિયન અમેરિકન ડોલરની સહાય જારી કરી છે.

4. ચીનને ધ્યાનમાં રાખીને શ્રીલંકાને આકર્ષિત કરવું

મળતી માહિતી મુજબ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રામાં કોઈ પ્રતિનિધિ મંડળ સામેલ નહીં હોવાને કારણે બન્ને દેશોએ દ્વિપક્ષીય ચર્ચા બાદ કોઈ સંયુક્ત નિવેદન જારી કર્યું નથી. તેમ છતાં શ્રીલંકન રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન જે તસવીરો સામે આવી છે તેમાં ચીન માટે એક સંદેશ પણ રહેલો છે. એ ત્યારે ઘણાઓ મહત્વનો બની જાય છે જ્યારે ગત કેટલાક સમયથી ચીન ભારતના પાડોસી અને ભારતીય મહાસાગર ક્ષેત્રમાં પોકાની પકડ મજબૂત કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે. ભારતને ત્રણે બાજુથી ઘેરવા ચીને શ્રીલંકામાં હંબનટોટા, બાંગ્લાદેશમાં ચિટગાંવ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર પહેલેથી જ અધિગ્રહિત કર્યાં છે.

5. વંશીય સંવાદિતાનો સંદેશ, તમિલ લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવાયો

આ દ્વિપક્ષીય ચર્ચામાં તામિલ લઘુમતિઓની શ્રીલંકાના રાજકારણમાં વધતી ભાગીદારી અને 13મા સંશોધન મુદ્દા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનિય છે કે, શ્રીલંકાના તમિલ રાજકારણના પડઘા ભારતના દક્ષિણી રાજ્ય તામિલનાડુમાં પણ અનુભવી શકાય છે. એલટીટીઈ સાથેની લડાઈ દરમિયાન રાજપક્ષે ભાઈઓ પર માનવાધિકાર ઉલ્લંઘન અને લઘુમતી તમિલો પર અત્યાચારના ગંભીર આરોપ અનેક વખત લાગતા રહ્યાં છે. ગત સરકાર દરમિયાન સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ સિરિસેનાએ યુદ્ધ અપરાધીઓની તપાસ આગળ વધારી નહતી.

પીએમ મોદીએ આશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સિંહલી લોકોની બહુમતિ ધરાવતા દેશમાં તમિલ લઘુમતિઓની આશાઓ પણ પુરી કરવામાં આવશે. પીએમ મોદી એ કહ્યું કે, 'અમે શ્રીલંકામાં શાંતિ પ્રક્રિયા આગળ વધારવામાં પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું છે. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ મને વંશીય સમાનતા માટે પોતાની રણનિતિથી માહિતગાર કર્યો છે. મને વિશ્વાસ છે કે, શ્રીલંકા સરકાર સમાધાન પ્રક્રિયા આગળ વધારશે અને તમિલ સમુદાયની બરાબરી, ન્યાય, શાંતિની આશાઓ પુરી કરશે.

શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા માટે ભારતની પસંદગી કરી હતી. તેમની ભારત મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, શ્રીલંકાની પ્રાથમિકતામાં ભારતનું મહત્વ ઘણું વધારે છે. જાણીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે.

1. રાજપક્ષે સાથે સંબંધો ફરી સુધારવા

ગોટાબાયા રાજપક્ષેએ ગત મહિને શ્રીલંકામાં રાજકીય લડાઈ જીતી પોતાને રાષ્ટ્રપતિ પદે સ્થાપિત કર્યા હતા. તેમના શપથ ગ્રહણના થોડા કલાકો બાદ ભારતના વિદેશ પ્રધાન જયશંકર ગોટાબાયાને શુભકામના આપવા કોલંબો પહોંચ્યા હતા. કાર્યભાર સંભાળ્યાના 10 દિવસની અંદર રાજપક્ષે તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા પર નવી દિલ્હી આવ્યા હતા. જ્યાં બન્ને દેશો વચ્ચે એ વાત પર ભાર મુકવામાં આવ્યો કે, ભારત-શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધો બન્ને દેશ માટે ઘણા મહત્વના છે.

દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની શરુઆત એ પ્રશ્નથી થઈ જે રાજપક્ષે ભાઈઓના સત્તામાં પરત આવ્યા બાદ ઉભા થયા હતા. મુખ્ય રુપે મહિંદા રાજપક્ષે જે હાલમાં શ્રીલંકાના વડાપ્રધાન છે તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાના સંબંધો ચીન સાથે મજબૂત થતાં ભારત અને શ્રીલંકાના સંબંધોમાં બદલાવ આવ્યો હતો.

વડાપ્રધાન મોદીએ એક નિવેદન જારી કરી ભારતીય મહાસાગરમાં શ્રીલંકાની સ્થિરતા અંગે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, 'બન્ને દેશોની સુરક્ષા અને વિકાસને અલગ કરી શકાય નહીં. માટે એ જરુરી છે કે, બન્ને દેશ એક બીજાની સુરક્ષા અને સંવેદનશીલતાને લઈને સજાગ રહે.'

2. વિકાસલક્ષી વ્યૂહાત્મક સહયોગ, માળખાગત વિકાસ માટે 400 મિલિયન ડોલરની સહાય

ભારત દ્વારા શ્રીલંકા માટે કરવામાં આવેલી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે 400 મિલિયન અમેરિકન ડોલરની સહાય ઘણી મહત્વપૂર્ણ છે. જે અંતર્ગત પાયાની સુવિધા અને શિક્ષણના પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ સિરિસેના માટે આર્થિક પડકાર મોટી સમસ્યા હતી. હંબનટોટા શ્રીલંકા માટે ચીન દ્વારા ફેંકવામાં આવેલો ગાળિયો સાબિત થયો હતો. બીજી તરફ ભારતનું ધ્યાન વ્યાપાર અને રોકાણ ક્ષેત્રમાં સહયોગ કરીને બન્ને દેશોના લક્ષ્યાંકને પુરા કરી જનતાની માગણીને પ્રાથમિકતા આપવાનું છે.

ભારતે આંતરિક વિસ્થાપનનો સામનો કરી રહેલા ઉત્તરી અને પૂર્વોત્તર પ્રાંતના લોકો માટે અત્યાર સુધીમાં 46 હજાર મકાન બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે 14 હજાર મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સમિટમાં જાહેર કરવામાં આવેલી 100 મિલિયન ડોલરની ક્રેડિટ લાઈનનો ઉપયોગ શ્રીલંકામાં સૌર ઉર્જાના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે.

3. આતંકવાદ રહ્યો મુખ્ય મુદ્દો, 50 મિલિયન અમેરિકન ડોલરની સહાય

વર્તમાન રાષ્ટ્રપતિ ગોટાબાયા, જે રાજપક્ષે સરકારમાં રક્ષા સચિવ પદે હતાં, તે શ્રીલંકામાં આતંકવાદની સમસ્યાથી પરિચિત છે. જેમાં LTTEને 25 વર્ષો બાદ ગૃહ યુદ્ધમાં પરાજીત કરવાનો અનુભવ પણ સામેલ છે. ભારત સાથે દ્વિપક્ષીય ચર્ચામાં શ્રીલંકા તરફથી આતંકવાદ મુખ્ય મુદ્દો રહ્યો હતો. આતંકવાદ સામે લડવા અને ખાનગી માહિતીના આદાન પ્રદાન માટે તંત્રની રચના કરવા ભારતે શ્રીલંકાને વધારાના 50 મિલિયન અમેરિકન ડોલરની સહાય જારી કરી છે.

4. ચીનને ધ્યાનમાં રાખીને શ્રીલંકાને આકર્ષિત કરવું

મળતી માહિતી મુજબ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રામાં કોઈ પ્રતિનિધિ મંડળ સામેલ નહીં હોવાને કારણે બન્ને દેશોએ દ્વિપક્ષીય ચર્ચા બાદ કોઈ સંયુક્ત નિવેદન જારી કર્યું નથી. તેમ છતાં શ્રીલંકન રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન જે તસવીરો સામે આવી છે તેમાં ચીન માટે એક સંદેશ પણ રહેલો છે. એ ત્યારે ઘણાઓ મહત્વનો બની જાય છે જ્યારે ગત કેટલાક સમયથી ચીન ભારતના પાડોસી અને ભારતીય મહાસાગર ક્ષેત્રમાં પોકાની પકડ મજબૂત કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે. ભારતને ત્રણે બાજુથી ઘેરવા ચીને શ્રીલંકામાં હંબનટોટા, બાંગ્લાદેશમાં ચિટગાંવ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર પહેલેથી જ અધિગ્રહિત કર્યાં છે.

5. વંશીય સંવાદિતાનો સંદેશ, તમિલ લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવાયો

આ દ્વિપક્ષીય ચર્ચામાં તામિલ લઘુમતિઓની શ્રીલંકાના રાજકારણમાં વધતી ભાગીદારી અને 13મા સંશોધન મુદ્દા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનિય છે કે, શ્રીલંકાના તમિલ રાજકારણના પડઘા ભારતના દક્ષિણી રાજ્ય તામિલનાડુમાં પણ અનુભવી શકાય છે. એલટીટીઈ સાથેની લડાઈ દરમિયાન રાજપક્ષે ભાઈઓ પર માનવાધિકાર ઉલ્લંઘન અને લઘુમતી તમિલો પર અત્યાચારના ગંભીર આરોપ અનેક વખત લાગતા રહ્યાં છે. ગત સરકાર દરમિયાન સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ સિરિસેનાએ યુદ્ધ અપરાધીઓની તપાસ આગળ વધારી નહતી.

પીએમ મોદીએ આશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સિંહલી લોકોની બહુમતિ ધરાવતા દેશમાં તમિલ લઘુમતિઓની આશાઓ પણ પુરી કરવામાં આવશે. પીએમ મોદી એ કહ્યું કે, 'અમે શ્રીલંકામાં શાંતિ પ્રક્રિયા આગળ વધારવામાં પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું છે. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ મને વંશીય સમાનતા માટે પોતાની રણનિતિથી માહિતગાર કર્યો છે. મને વિશ્વાસ છે કે, શ્રીલંકા સરકાર સમાધાન પ્રક્રિયા આગળ વધારશે અને તમિલ સમુદાયની બરાબરી, ન્યાય, શાંતિની આશાઓ પુરી કરશે.

Intro:Body:

ભારત-શ્રીલંકા સંબંધ: ગોટાબાયાની ભારત યાત્રાના પાંચ મુખ્ય મુદ્દા



શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. વ્યૂહાત્મક સહયોગ, આતંકવાદ સામે મુકાબલો સહિત જોઈએ આ બેઠકના અન્ય મુખ્ય મુદ્દાઓ.



શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા માટે ભારતની પસંદગી કરી હતી. તેમની ભારત મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે, શ્રીલંકાની પ્રાથમિકતામાં ભારતનું મહત્વ ઘણું વધારે છે. જાણીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ વિશે.



1. રાજપક્ષે સાથે સંબંધો ફરી સુધારવા



ગોટાબાયા રાજપક્ષેએ ગત મહિને શ્રીલંકામાં રાજકીય લડાઈ જીતી પોતાને રાષ્ટ્રપતિ પદે સ્થાપિત કર્યા હતા. તેમના શપથ ગ્રહણના થોડા કલાકો બાદ ભારતના વિદેશ પ્રધાન જયશંકર ગોટાબાયાને શુભકામના આપવા કોલંબો પહોંચ્યા હતા. કાર્યભાર સંભાળ્યાના 10 દિવસની અંદર રાજપક્ષે તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા પર નવી દિલ્હી આવ્યા હતા. જ્યાં બન્ને દેશો વચ્ચે એ વાત પર ભાર મુકવામાં આવ્યો કે, ભારત-શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધો બન્ને દેશ માટે ઘણા મહત્વના છે.

દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાની શરુઆત એ પ્રશ્નથી થઈ જે રાજપક્ષે ભાઈઓના સત્તામાં પરત આવ્યા બાદ ઉભા થયા હતા. મુખ્ય રુપે મહિંદા રાજપક્ષે જે હાલમાં શ્રીલંકાના વડાપ્રધાન છે તેમના રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાના સંબંધો ચીન સાથે મજબૂત થતાં ભારત અને શ્રીલંકાના સંબંધોમાં બદલાવ આવ્યો હતો.



વડાપ્રધાન મોદીએ એક નિવેદન જારી કરી ભારતીય મહાસાગરમાં શ્રીલંકાની સ્થિરતા અંગે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, 'બન્ને દેશોની સુરક્ષા અને વિકાસને અલગ કરી શકાય નહીં. માટે એ જરુરી છે કે, બન્ને દેશ એક બીજાની સુરક્ષા અને સંવેદનશીલતાને લઈને સજાગ રહે.'





2. વિકાસલક્ષી વ્યૂહાત્મક સહયોગ, માળખાગત વિકાસ માટે 400 મિલિયન ડોલરની સહાય



ભારત દ્વારા શ્રીલંકા માટે કરવામાં આવેલી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે 400 મિલિયન અમેરિકન ડોલરની સહાય ઘણી મહત્વપૂર્ણ છે. જે અંતર્ગત પાયાની સુવિધા અને શિક્ષણના પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ સિરિસેના માટે આર્થિક પડકાર મોટી સમસ્યા હતી. હંબનટોટા શ્રીલંકા માટે ચીન દ્વારા ફેંકવામાં આવેલો ગાળિયો સાબિત થયો હતો. બીજી તરફ ભારતનું ધ્યાન વ્યાપાર અને રોકાણ ક્ષેત્રમાં સહયોગ કરીને બન્ને દેશોના લક્ષ્યાંકને પુરા કરી જનતાની માગણાને પ્રાથમિકતા આપવાનું છે.



ભારતે આંતરિક વિસ્થાપનનો સામનો કરી રહેલા ઉત્તરી અને પૂર્વોત્તર પ્રાંતના લોકો માટે અત્યાર સુધીમાં 46 હજાર મકાન બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે 14 હજાર મકાન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સમિટમાં જાહેર કરવામાં આવેલી 100 મિલિયન ડોલરની ક્રેડિટ લાઈનનો ઉપયોગ શ્રીલંકામાં સૌર ઉર્જાના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે.



3. આતંકવાદ રહ્યો મુખ્ય મુદ્દો, 50 મિલિયન અમેરિકન ડોલરની સહાય



વર્તમાન રાષ્ટ્રપતિ ગોટાબાયા, જે રાજપક્ષે સરકારમાં રક્ષા સચિવ પદે હતાં, તે શ્રીલંકામાં આતંકવાદની સમસ્યાથી પરિચિત છે. જેમાં LTTEને 25 વર્ષો બાદ ગૃહ યુદ્ધમાં પરાજીત કરવાનો અનુભવ પણ સામેલ છે. ભારત સાથે દ્વિપક્ષીય ચર્ચામાં શ્રીલંકા તરફથી આતંકવાદ મુખ્ય મુદ્દો રહ્યો હતો. આતંકવાદ સામે લડવા અને ખાનગી માહિતીના આદાન પ્રદાન માટે તંત્રની રચના કરવા ભારતે શ્રીલંકાને વધારાના 50 મિલિયન અમેરિકન ડોલરની સહાય જારી કરી છે.





4. ચીનને ધ્યાનમાં રાખીને શ્રીલંકાને આકર્ષિત કરવું



મળતી માહિતી મુજબ શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રામાં કોઈ પ્રતિનિધિ મંડળ સામેલ નહીં હોવાને કારણે બન્ને દેશોએ દ્વિપક્ષીય ચર્ચા બાદ કોઈ સંયુક્ત નિવેદન જારી કર્યું નથી. તેમ છતાં શ્રીલંકન રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન જે તસવીરો સામે આવી છે તેમાં ચીન માટે એક સંદેશ પણ રહેલો છે. એ ત્યારે ઘણઓ મહત્વનો બની જાય છે જ્યારે ગત કેટલાક સમયથી ચીન ભારતના પાડોસી અને ભારતીય મહાસાગર ક્ષેત્રમાં પોકાની પકડ મજબૂત કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે. ભારતને ત્રણે બાજુથી ઘેરવા ચીને શ્રીલંકામાં હંબનટોટા, બાંગ્લાદેશમાં ચિટગાંવ અને પાકિસ્તાનમાં ગ્વાદર બંદર પહેલેથી જ અધિગ્રહિત કર્યાં છે.





5. વંશીય સંવાદિતાનો સંદેશ, તમિલ લઘુમતીઓનો મુદ્દો પણ ઉઠાવાયો



આ દ્વિપક્ષીય ચર્ચામાં તામિલ લઘુમતિઓની શ્રીલંકાના રાજકારણમાં વધતી ભાગીદારી અને 13મા સંશોધન મુદ્દા અંગે પણ ચર્ચા કરવામાં આવી. ઉલ્લેખનિય છે કે, શ્રીલંકાના તમિલ રાજકારણના પડઘા ભારતના દક્ષિણી રાજ્ય તામિલનાડુમાં પણ અનુભવી શકાય છે. એલટીટીઈ સાથેની લડાઈ દરમિયાન રાજપક્ષે ભાઈઓ પર માનવાધિકાર ઉલ્લંઘન અને લઘુમતી તમિલો પર અત્યાચારના ગંભીર આરોપ અનેક વખત લાગતા રહ્યાં છે. ગત સરકાર દરમિયાન સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ સિરિસેનાએ યુદ્ધ અપરાધીઓની તપાસ આગળ વધારી નહતી.



પીએમ મોદીએ આશા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સિંહલી લોકોની બહુમતિ ધરાવતા દેશમાં તમિલ લઘુમતિઓની આશાઓ પણ પુરી કરવામાં આવશે. પીએમ મોદી એ કહ્યું કે, 'અમે શ્રીલંકામાં શાંતિ પ્રક્રિયા આગળ વધારવામાં પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું છે. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ મને વંશીય સમાનતા માટે પોતાની રણનિતિથી માહિતગાર કર્યો છે. મને વિશ્વાસ છે કે, શ્રીલંકા સરકાર સમાધાન પ્રક્રિયા આગળ વધારશે અને તમિલ સમુદાયની બરાબરી, ન્યાય, શાંતિની આશાઓ પુરી કરશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.