ETV Bharat / bharat

સાવધાન... એન્ટિબોડીઝ સમાપ્ત થયા પછી ફરીથી કોરોના થઇ શકે છે, ICMR એ કર્યો ખુલાસો

author img

By

Published : Oct 21, 2020, 9:08 AM IST

કોરોના સંક્રમણના સંપર્કમાં આવ્યા પછી શરીરમાં તેના વિરૂદ્ધ એન્ટિબોડીઝ બનવા લાગે છે, પરંતુ નક્કી સમય બાદ એન્ટિબોડીઝ ઓછી થવા લાગ છે. જેથી ફરીથી ચેપ લાગવાનો ખતરો રહે છે. જેથી લોકોએ જાગૃત રેહવું જોઇએ.

ICMR
ICMR
  • કોરોના સંક્રમણ બાદ શરીરમાં એન્ટિબોડીઝની રચના
  • કોરોના થયા પછી ફરી પણ થઇ શકે છે
  • શરીરમાં એન્ટિબોડીઝમાં કમી થવી

નવી દિલ્હી: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR ) ના ડાયરેક્ટર જનરલ, ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે, કોરોના સંક્રમણ એક નવો કેસ છે જેને લઇને સતત અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. જેમ જેમ રિર્સચ કરવામાં આવી રહ્યા છે તેમના નવા નવા કારણો પણ સામે આવી રહ્યા છે. ભાર્ગવે કહ્યું કે, અત્યાર સુધીમાં ઘણા તબીબી અધ્યયન બહાર આવ્યા છે જેમાં એન્ટિબોડીઝના શરીરમાં રહેવાનો સમયગાળો અલગ અલગ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અપાઇ માહીતી

એક અધ્યયનમાં એન્ટિબોડીઝ ત્રણથી પાંચ મહિના સુધી રહે છે. જોકે આ અંગે અધ્યયન સતત ચાલુ છે, પરંતુ એન્ટિબોડીઝ પુરી થતા ચેપનું જોખમ ફરી વધી જાય છે.

યુરોપ, ચીન, અમેરિકા અને રશિયા સહિત ઘણા દેશોના વૈજ્ઞાનિકોએ એક અલગ અધ્યયનમાં કોરોના વાઇરસ સામે રચાયેલા એન્ટિબોડીઝની અવધિ શોધી કાઢી હતી. પુણે સ્થિત NIVના વૈજ્ઞાનિકો તેનો અભ્યાસ કરી રહ્યા છે, જેના પરિણામો ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. જોકે, એન્ટિબોડીઝ આપ્યા પછી પણ ફરીથી ચેપ થયો હોય તેવા કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા છે.જે પછી, સરકારે ચેપથી સાજા થયેલા લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી.

  • કોરોના સંક્રમણ બાદ શરીરમાં એન્ટિબોડીઝની રચના
  • કોરોના થયા પછી ફરી પણ થઇ શકે છે
  • શરીરમાં એન્ટિબોડીઝમાં કમી થવી

નવી દિલ્હી: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR ) ના ડાયરેક્ટર જનરલ, ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે, કોરોના સંક્રમણ એક નવો કેસ છે જેને લઇને સતત અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. જેમ જેમ રિર્સચ કરવામાં આવી રહ્યા છે તેમના નવા નવા કારણો પણ સામે આવી રહ્યા છે. ભાર્ગવે કહ્યું કે, અત્યાર સુધીમાં ઘણા તબીબી અધ્યયન બહાર આવ્યા છે જેમાં એન્ટિબોડીઝના શરીરમાં રહેવાનો સમયગાળો અલગ અલગ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અપાઇ માહીતી

એક અધ્યયનમાં એન્ટિબોડીઝ ત્રણથી પાંચ મહિના સુધી રહે છે. જોકે આ અંગે અધ્યયન સતત ચાલુ છે, પરંતુ એન્ટિબોડીઝ પુરી થતા ચેપનું જોખમ ફરી વધી જાય છે.

યુરોપ, ચીન, અમેરિકા અને રશિયા સહિત ઘણા દેશોના વૈજ્ઞાનિકોએ એક અલગ અધ્યયનમાં કોરોના વાઇરસ સામે રચાયેલા એન્ટિબોડીઝની અવધિ શોધી કાઢી હતી. પુણે સ્થિત NIVના વૈજ્ઞાનિકો તેનો અભ્યાસ કરી રહ્યા છે, જેના પરિણામો ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. જોકે, એન્ટિબોડીઝ આપ્યા પછી પણ ફરીથી ચેપ થયો હોય તેવા કેટલાક કિસ્સાઓ પણ સામે આવ્યા છે.જે પછી, સરકારે ચેપથી સાજા થયેલા લોકોને સાવધાન રહેવાની અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.