ETV Bharat / bharat

જાણો કોણ છે ઈબ્રાહિમ ખલીફુલ્લા? જે ઉકેલશે અયોધ્યા વિવાદનો મુદ્દો

author img

By

Published : Mar 9, 2019, 11:43 AM IST

ન્યૂઝ ડેસ્કઃ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રહી ચૂકેલા ઈબ્રાહિમ ખલીફુલ્લા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે. ખલીફુલ્લા જમ્મુ કશ્મીર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.

ફાઈલ ફોટો

ઈબ્રાહિમ ખલીફુલ્લાની એપ્રિલ-2012માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, હાલ તે નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેઓ અનેક મહત્ત્વના નિર્ણયો લેવા માટે જાણીતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI)ને પારદર્શી બનાવવાની પ્રક્રિયામાં તેમણે જસ્ટિસ લોઢા સાથે મળી કામ કર્યુ હતું.

ઈબ્રાહિમ ખલીફુલ્લાનોજન્મ-23 જુલાઈ, 1951ના રોજ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં થયો હતો. જસ્ટિસ કલીફુલ્લાનું પુરૂ નામ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ ખલીફુલ્લા છે. તેમણે 20 ઓગસ્ટ, 1975માં વકીલ તરીકે પોતાના કાનૂની કરિયરની શરૂઆત કરી હતી. તે શ્રમ કાનૂન સંબંધિત મામલામાં સક્રિય વકીલ રહ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ રામમંદિર વિવાદને મધ્યસ્થતા દ્વારા ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થીની નિમણુક કરવામાં આવી છે. જેમાં શ્રીશ્રી રવિશંકર, જસ્ટિસ રામ પંચુ અને ઈબ્રાહિમ ખલીફુલ્લા સામેલ છે. જેમાં ઈબ્રાહિમ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં કાર્યવાહી થશે.મહત્વનું છે કે, અયોધ્યા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, એક સપ્તાહમાં મધ્યસ્થતા શરૂ થઈ શકે છે. જો કે હાલ ત્રણ મધ્યસ્થી છે, પરંતુ જો મધ્યસ્થી ઈચ્છે તો હજુ વધુ સભ્યોને સામેલ કરી શકે છે.


ઈબ્રાહિમ ખલીફુલ્લાની એપ્રિલ-2012માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, હાલ તે નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેઓ અનેક મહત્ત્વના નિર્ણયો લેવા માટે જાણીતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI)ને પારદર્શી બનાવવાની પ્રક્રિયામાં તેમણે જસ્ટિસ લોઢા સાથે મળી કામ કર્યુ હતું.

ઈબ્રાહિમ ખલીફુલ્લાનોજન્મ-23 જુલાઈ, 1951ના રોજ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં થયો હતો. જસ્ટિસ કલીફુલ્લાનું પુરૂ નામ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ ખલીફુલ્લા છે. તેમણે 20 ઓગસ્ટ, 1975માં વકીલ તરીકે પોતાના કાનૂની કરિયરની શરૂઆત કરી હતી. તે શ્રમ કાનૂન સંબંધિત મામલામાં સક્રિય વકીલ રહ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ રામમંદિર વિવાદને મધ્યસ્થતા દ્વારા ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થીની નિમણુક કરવામાં આવી છે. જેમાં શ્રીશ્રી રવિશંકર, જસ્ટિસ રામ પંચુ અને ઈબ્રાહિમ ખલીફુલ્લા સામેલ છે. જેમાં ઈબ્રાહિમ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં કાર્યવાહી થશે.મહત્વનું છે કે, અયોધ્યા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, એક સપ્તાહમાં મધ્યસ્થતા શરૂ થઈ શકે છે. જો કે હાલ ત્રણ મધ્યસ્થી છે, પરંતુ જો મધ્યસ્થી ઈચ્છે તો હજુ વધુ સભ્યોને સામેલ કરી શકે છે.


Intro:Body:

જાણો કોણ છે ઈબ્રાહિમ કલીફુલ્લા? જે ઉકેલશે અયોધ્યા વિવાદનો મુદ્દો



ન્યૂઝ ડેસ્કઃ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રહી ચૂકેલા ઈબ્રાહિમ કલીફુલ્લા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં મધ્યસ્થીની ભૂમિકા નિભાવશે. કલીફુલ્લા જમ્મુ કશ્મીર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચુક્યા છે.  



ઈબ્રાહિમ કલીફુલ્લાની એપ્રિલ-2012માં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણુક કરવામાં આવી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, હાલ તે નિવૃત્ત થઈ ગયા છે, પરંતુ તેઓ અનેક મહત્ત્વના નિર્ણયો લેવા માટે જાણીતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI)ને પારદર્શી બનાવવાની પ્રક્રિયામાં તેમણે જસ્ટિસ લોઢા સાથે મળી કામ કર્યુ હતું.   



ઈબ્રાહિમ કલીફુલ્લામો જન્મ-23 જુલાઈ, 1951ના રોજ તમિલનાડુના શિવગંગા જિલ્લામાં થયો હતો. જસ્ટિસ કલીફુલ્લાનું પુરૂ નામ ફકીર મોહમ્મદ ઈબ્રાહિમ કલીફુલ્લા છે. તેમણે 20 ઓગસ્ટ, 1975માં વકીલ તરીકે પોતાના કાનૂની કરિયરની શરૂઆત કરી હતી. તે શ્રમ કાનૂન સંબંધિત મામલામાં સક્રિય વકીલ રહ્યાં હતાં.  



તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટ રામમંદિર વિવાદને મધ્યસ્થતા દ્વારા ઉકેલવા માટે ત્રણ મધ્યસ્થીની નિમણુક કરવામાં આવી છે. જેમાં શ્રીશ્રી રવિશંકર, જસ્ટિસ રામ પંચુ અને ઈબ્રાહિમ કલીફુલ્લા સામેલ છે. જેમાં ઈબ્રાહિમ કલીફુલ્લાની અધ્યક્ષતામાં કાર્યવાહી થશે. 



મહત્વનું છે કે, અયોધ્યા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, એક સપ્તાહમાં મધ્યસ્થતા શરૂ થઈ શકે છે. જો કે હાલ ત્રણ મધ્યસ્થી છે, પરંતુ જો મધ્યસ્થી ઈચ્છે તો હજુ વધુ સભ્યોને સામેલ કરી શકે છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.