ETV Bharat / bharat

Election Results 2019: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનામાં જશ્ન, હરિયાણામાં કોંકડુ ગૂંચવાયું

author img

By

Published : Oct 24, 2019, 5:09 PM IST

Updated : Oct 24, 2019, 5:15 PM IST

ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારના 8 વાગ્યાથી પરિણામો આવવાના શરુ થઈ ગયા હતાં, ત્યારે હવે ઢળતી સાંજે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ફરી એક વાર સરકાર બનાવા જઈ રહ્યા છે. જ્યારે હરિયાણામાં એકેય પાર્ટી બહુમતના આંકડા સુધી પહોંચી શકી નથી.

Election Results 2019

મહારાષ્ટ્રમાં ભાજપને 100ની આસપાસ સીટ મળતી દેખાઈ રહી છે. તો વળી હરિયાણામાં 75 પ્લસનો લક્ષ્યાંક સાથે આગળ આવેલી ભાજપને પોતાનું સપનું રોળાઈ ગયું છે. આ બાજુ કોંગ્રેસને હરિયાણામાં 17 સીટોનો ફાયદો થતો દેખાય છે. હાલમાં જો કે, ભાજપે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને દિલ્હી બોલાવી લીધા છે.

હરિયાણામાં આજની સૌથી મોટી ખબર કહીએ તો, ત્યાં ભાજપ અથવા તો કોંગ્રેસને એકેયને પણ બહુમત મળતો દેખાતો નથી, ત્યારે ત્યાંની સ્થાનિક પાર્ટી જનનાયક જનતા પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવી ગઈ છે. કેમ કે, અહીં ભાજપ અને કોંગ્રેસ બંને બહુમત 46ના આંકડાને પાર કરવું અઘરુ સાબિત થઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે, રાજ્યમાં સરકાર બનાવવા માટે હરિયાણામાં અપક્ષ અથવા જેજેપીનો સાથ લેવો પડશે.

આપને જણાવી દઈએ કે, 2014માં હરિયાણામાં ભાજપે 47 સીટ જીતીને બહુમત સાથે સરકાર બનાવી હતી. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં 122 સીટ જીતવા છતાં પણ બહુમતથી છેટું રહી જતાં શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવવી પડી હતી.

મહારાષ્ટ્ર-હરિયાણામાં અનેક મોટા મહારથીઓની હાર

મહારાષ્ટ્ર અને હરિયાણાની વાત કરીએ તો અહીં અનેક મોટા નેતાઓ હાલમાં પાછળ ધકેલાઈ ગયા છે. અહીં વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર સીટ પરથી જીતી ગયા છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંન્દ્રકાન્ત પાટિલ પાછળ રહી ગયા છે.


હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર- ભાજપ-જીત, એલાનાબાદ- અભય ચૌટાલા-જીત, અંબાલા- અનિલ વીજ-જીત, ઉચાના- દુષ્યંત ચૌટાલા-જીત, આદમપુર- સોનાલી ફોગાટ-હાર, મહેન્દ્રગઢ-શિક્ષણપ્રધાન રામવિલાસ શર્મા-હાર, કૈથલ-રણદીપ સુરજેવાલા- હાર (567 મતથી હાર), સોનીપત- યોગેશ્વર દત્ત- હાર, ચરખી દાદરી સીટ પરથી ભાજપ ઉમેદવાર અને મહિલા રેસલર બબીતા ફોગાટ પણ હારી ગયા છે.

મહારાષ્ટ્ર જીતી તો ગયા, પણ સરકાર ક્યા ફોર્મ્યુલા પર ચાલશે

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં ભાજપ અને શિવસેના બંને ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા હતાં, ત્યારે આજે પરિણામના દિવસે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને 155 સીટ સાથે આગળ વધી રહ્યા છે. જ્યાં સરકાર બનાવવા માટે 145 સીટની જરુર પડે છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી 109 સીટ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે અહીં શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અટકી રહી છે. અઢી-અઢી વર્ષ સરકાર ચલાવવાના ફોર્મ્યુલા પર ટૂંક સમયમાં ખબર પડી જશે કે, મહારાષ્ટ્ર કઈ રીતે સરકાર બનશે.

મહારાષ્ટ્રમાં ભાજપને 100ની આસપાસ સીટ મળતી દેખાઈ રહી છે. તો વળી હરિયાણામાં 75 પ્લસનો લક્ષ્યાંક સાથે આગળ આવેલી ભાજપને પોતાનું સપનું રોળાઈ ગયું છે. આ બાજુ કોંગ્રેસને હરિયાણામાં 17 સીટોનો ફાયદો થતો દેખાય છે. હાલમાં જો કે, ભાજપે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને દિલ્હી બોલાવી લીધા છે.

હરિયાણામાં આજની સૌથી મોટી ખબર કહીએ તો, ત્યાં ભાજપ અથવા તો કોંગ્રેસને એકેયને પણ બહુમત મળતો દેખાતો નથી, ત્યારે ત્યાંની સ્થાનિક પાર્ટી જનનાયક જનતા પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવી ગઈ છે. કેમ કે, અહીં ભાજપ અને કોંગ્રેસ બંને બહુમત 46ના આંકડાને પાર કરવું અઘરુ સાબિત થઈ રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે, રાજ્યમાં સરકાર બનાવવા માટે હરિયાણામાં અપક્ષ અથવા જેજેપીનો સાથ લેવો પડશે.

આપને જણાવી દઈએ કે, 2014માં હરિયાણામાં ભાજપે 47 સીટ જીતીને બહુમત સાથે સરકાર બનાવી હતી. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં 122 સીટ જીતવા છતાં પણ બહુમતથી છેટું રહી જતાં શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવવી પડી હતી.

મહારાષ્ટ્ર-હરિયાણામાં અનેક મોટા મહારથીઓની હાર

મહારાષ્ટ્ર અને હરિયાણાની વાત કરીએ તો અહીં અનેક મોટા નેતાઓ હાલમાં પાછળ ધકેલાઈ ગયા છે. અહીં વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર સીટ પરથી જીતી ગયા છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંન્દ્રકાન્ત પાટિલ પાછળ રહી ગયા છે.


હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર- ભાજપ-જીત, એલાનાબાદ- અભય ચૌટાલા-જીત, અંબાલા- અનિલ વીજ-જીત, ઉચાના- દુષ્યંત ચૌટાલા-જીત, આદમપુર- સોનાલી ફોગાટ-હાર, મહેન્દ્રગઢ-શિક્ષણપ્રધાન રામવિલાસ શર્મા-હાર, કૈથલ-રણદીપ સુરજેવાલા- હાર (567 મતથી હાર), સોનીપત- યોગેશ્વર દત્ત- હાર, ચરખી દાદરી સીટ પરથી ભાજપ ઉમેદવાર અને મહિલા રેસલર બબીતા ફોગાટ પણ હારી ગયા છે.

મહારાષ્ટ્ર જીતી તો ગયા, પણ સરકાર ક્યા ફોર્મ્યુલા પર ચાલશે

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં ભાજપ અને શિવસેના બંને ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા હતાં, ત્યારે આજે પરિણામના દિવસે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને 155 સીટ સાથે આગળ વધી રહ્યા છે. જ્યાં સરકાર બનાવવા માટે 145 સીટની જરુર પડે છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી 109 સીટ સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે અહીં શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અટકી રહી છે. અઢી-અઢી વર્ષ સરકાર ચલાવવાના ફોર્મ્યુલા પર ટૂંક સમયમાં ખબર પડી જશે કે, મહારાષ્ટ્ર કઈ રીતે સરકાર બનશે.

Intro:Body:

Election Results 2019: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનામાં જશ્ન, હરિયાણામાં કોંકડુ ગૂંચવાયું





ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઓક્ટોબરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારના 8 વાગ્યાથી પરિણામો આવવાના શરુ થઈ ગયા હતા. ત્યારે હવે ઢળતી સાંજે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ફરી એક વાર સરકાર બનાવા જઈ રહ્યા છે. જ્યારે હરિયાણામાં એકેય પાર્ટી બહુમતના આંકડા સુધી પહોંચી શકી નથી.



મહારાષ્ટ્રમાં ભાજપને 100ની આસપાસ સીટ મળતી દેખાઈ રહી છે. તો વળી હરિયાણામાં 75 પ્લસનો લક્ષ્યાંક સાથે આગળ આવેલી ભાજપને પોતાનું સપનું રોળાઈ ગયું છે. આ બાજુ કોંગ્રેસને હરિયાણામાં 17 સીટોનો ફાયદો થતો દેખાય છે. હાલમાં જો કે, ભાજપે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને દિલ્હી બોલાવી લીધા છે. 



હરિયાણામાં આજની સૌથી મોટી ખબર કહીએ તો, ત્યાં ભાજપ અથવા તો કોંગ્રેસને એકેયને પણ બહુમત મળતો દેખાતો નથી. ત્યારે ત્યાંની સ્થાનિક પાર્ટી જનનાયક જનતા પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવી ગઈ છે. કેમ કે, અહીં ભાજપ અને કોંગ્રેસ બંને બહુમત 46ના આંકડાને પાર કરવું અઘરુ સાબિત થઈ રહ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે, રાજ્યમાં સરકાર બનાવવા માટે હરિયાણામાં અપક્ષ અથવા જેજેપીનો સાથ લેવો પડશે.



આપને જણાવી દઈએ કે, 2014માં હરિયાણામાં ભાજપે 47 સીટ જીતીને બહુમત સાથે સરકાર બનાવી હતી. તો બીજી બાજુ મહારાષ્ટ્રમાં 122 સીટ જીતવા છતાં પણ બહુમતથી છેટું રહી જતાં  શિવસેના સાથે ગઠબંધન કરી સરકાર બનાવવી પડી હતી. 



મહારાષ્ટ્ર-હરિયાણામાં અનેક મોટા મહારથીઓની હાર



મહારાષ્ટ્ર અને હરિયાણાની વાત કરીએ તો અહીં અનેક મોટા નેતાઓ હાલમાં પાછળ ધકેલાઈ ગયા છે. અહીં વાત કરીએ મહારાષ્ટ્રની વાત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર સીટ પરથી જીતી ગયા છે. જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંન્દ્રકાન્ત પાટિલ પાછળ રહી ગયા છે.

હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર- ભાજપ જીત્યા, એલાનાબાદ- અભય ચૌટાલા-જીત, અંબાલા- અનિલ વીજ-જીત, ઉચાના- દુષ્યંત ચૌટાલા-જીત, આદમપુર- સોનાલી ફોગાટ-હાર, મહેન્દ્રગઢ-શિક્ષણપ્રધાન રામવિલાસ શર્મા-હાર, કૈથલ-રણદીપ સુરજેવાલા- હાર (567 મતથી હાર), સોનીપત- યોગેશ્વર દત્ત- હાર, ચરખી દાદરી સીટ પરથી ભાજપ ઉમેદવાર અને મહિલા રેસલર બબીતા ફોગાટ પણ હારી ગયા છે.



મહારાષ્ટ્ર જીતી તો ગયા, પણ સરકાર ક્યા ફોર્મ્યુલા પર ચાલશે



મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં ભાજપ અને શિવસેના બંને ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા હતા. ત્યારે આજે પરિણામના દિવસે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાને 155 સીટ સાથે આગળ વધી રહ્યા છે. જ્યાં સરકાર બનાવવા માટે 145 સીટની જરુર પડે છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી 109 સીટ સાથે આગળ વધી રહ્યું છે. 


Conclusion:
Last Updated : Oct 24, 2019, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.