ETV Bharat / bharat

રિસોર્ટ રાજકારણઃ ગુજરાતના કોંગી MLA જયપુરમાં, રિસોર્ટ 73 રૂમ બુક, ડ્રેસ વગર પોલીસકર્મી તૈનાત - where is gujarat mla now

રાજ્યસભાની ખાલી પડેલી ગુજરાતની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. જેમાં ભાજપે 3 ઉમેદાવારોને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે 2 ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં રાજ્યમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.

Gujarat MLA in Rajasthan
રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતના ધારાસભ્યો રાજસ્થાનના રિસોર્ટમાં
author img

By

Published : Mar 15, 2020, 3:05 PM IST

Updated : Mar 15, 2020, 3:19 PM IST

રાજસ્થાનઃ ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.

કોંગ્રેસના 3થી 4 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. જેમાં અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના સોમા ગાંડા પટેલ અને ધારીના જે.વી. કાકડિયા સામેલ છે. જો કે, વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું હોવાથી સોમવારે આ અંગે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ધારાસભ્યોને સચાવવાની જવાબદારી કોંગ્રેસ નેતા ડૉ. મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરીને સોપવામાં આવી

રાજ્યસભા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગના ભયના કારણે ગુજરાત કોંગ્રેસે પોતાના 14 ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનના જયપુરમાં મોકલ્યા છે. આ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ રિસોર્ટમાં 73 રૂમ બુક કરવામાં આવ્યાં છે. રિસોર્ટમાં ડ્રેસ કોર્ડ વગર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને રિસોર્ટનું બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો જયપુર ફરવા માટે જઇ શકે છે. જેથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સચાવવાની જવાબદારી કોંગ્રેસ નેતા ડૉ.મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરીને સોપવામાં આવી છે.

રાજસ્થાનઃ ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.

કોંગ્રેસના 3થી 4 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. જેમાં અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના સોમા ગાંડા પટેલ અને ધારીના જે.વી. કાકડિયા સામેલ છે. જો કે, વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું હોવાથી સોમવારે આ અંગે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ધારાસભ્યોને સચાવવાની જવાબદારી કોંગ્રેસ નેતા ડૉ. મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરીને સોપવામાં આવી

રાજ્યસભા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગના ભયના કારણે ગુજરાત કોંગ્રેસે પોતાના 14 ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનના જયપુરમાં મોકલ્યા છે. આ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ રિસોર્ટમાં 73 રૂમ બુક કરવામાં આવ્યાં છે. રિસોર્ટમાં ડ્રેસ કોર્ડ વગર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને રિસોર્ટનું બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો જયપુર ફરવા માટે જઇ શકે છે. જેથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સચાવવાની જવાબદારી કોંગ્રેસ નેતા ડૉ.મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરીને સોપવામાં આવી છે.

Last Updated : Mar 15, 2020, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.