નવી દિલ્હી: કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોકપ્રિય સાયકલ ઉત્પાદક એટલાસ કંપનીનું કારખાનું બંધ થવા પર ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.
પ્રિયંકાએ એક ટ્વીટમાં યુપી સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે એટલાસ ફેક્ટરી બંધ થવાને કારણે એક જ જાટકે એક હજારથી વધુ લોકો બેરોજગાર થઈ ગયા છે.
કોંગ્રેસ મહાચિવે ટ્વીટ કરીને કહ્યું કે સરકારે પ્રચાર કર્યો હતો કે આટલા પેકેજ, આટલા બધા એમઓયુ, આટલી બધી નોકરીઓ જાહેર કરી રહી છે, પરંતુ હકીકતમાં નોકરીઓનો અંત આવી રહ્યો છે, કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. લોકોની નોકરી બચાવવા માટે સરકારે પોતાની નીતિઓ અને યોજનાઓની સ્પષ્ટતા કરવી પડશે.