નવી દિલ્હી: કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય આજે એક નવી યોજનાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ યોજના 'સપનો કી ઉડાન 'નામ આપવામાં આવ્યું છે. સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગને ઔપચારિક રુપ આપવા માટે મંત્રાલય તરફથી આ પગલું લેવામાં આવ્યુ છે.
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ પ્રધાન હરસિમરત કૌર બાદલ અને રાજ્યપ્રધાન રામેશ્વર તેલી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 'સપનો કી ઉડાન ' યોજનાનો શુભારંભ કરશે.આ સિવાય માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ માટે એક નવી યોજના શરુ કરવાની સાથે ઓનલાઈન કૌશલ કાર્યક્રમ પણ લૉન્ચ કરશે.