ETV Bharat / bharat

અપૂરતા વળતરના કારણે વિશ્વાસ ગાયબ થયોઃ પાકને નુકસાન, દયનીય ખેડૂત

author img

By

Published : Feb 25, 2020, 2:44 AM IST

અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ, ભારતીય કૃષિ ક્ષેત્ર જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તે ખૂબ જ વધારે છે. કુદરતી આપત્તિઓ તેમની આશાઓનું બાષ્પીભવન જ નથી કરી રહી, પરંતુ દેશના અર્થતંત્રને પણ અસર રે છે. એક રાષ્ટ્રીય નમૂના સર્વે અભ્યાસ બતાવે છે કે દેશના ૫૦ ટકા કરતાં પણ વધુ ખેડૂતો દેવામાં છે. 'સેસ' અભ્યાસમાં અગાઉ જણાવાયું હતું કે આંધ્ર પ્રદેશમાં તે ૯૩ ટકા છે. આવનારાં પાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર સરકારનું લક્ષ્ય આદર્શ જ લાગી રહ્યું છે.

a
અપૂરતા વળતરના કારણે વિશ્વાસ ગાયબ થયો a

પાકને નુકસાનના કારણએ જે લોકો દેવાની જાળમાં ફસાઈ જાય છે તે છેવટે આત્મહત્યાનો માર્ગ પકડે છે. ૧૯૯૫-૨૦૧૫ના સમયગાળા દરમિયાન, ૩.૧૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. કૃષિ કટોકટીએ અનેક રાજ્યોમાં ખેડૂતોને દરિદ્રતામાં ધકેલી દીધા છે. ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે શાસકો વિવિધ પગલાં લઈ રહ્યાં છે, પરંતુ તેમની જિંદગીમાં કોઈ સુધારો નથી આવી રહ્યો. વડા પ્રધાન મોદીએ ચાર વર્ષ પહેલાં જાન્યુઆરી ૨૦૧૬માં નવી 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' લાવ્યા હતા જેણે તે સમયે પ્રવર્તમાન પાક વીમા યોજનાઓનું સ્થાન લીધું હતું. અગાઉની સરકારોની વીમા યોજનાઓ ખેડૂતોને મદદ કરવામાં નિષ્ફળ નિવડી હતી તેથી યોજના દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. અગાઉની પાક વીમા યોજનાઓમાં મર્યાદિત વળતર સાથે ખેડૂતો પાસેથી ઊંચું પ્રિમિયમ લેવામાં આવતું હતું. પ્રિમિયમમાં સરકારોનો હિસ્સો પણ ઓછો હતો. પરંતુ નવી યોજના સંપૂર્ણ અલગ અને નવી છે. ખેડૂતોને નુકસાનનું આકલન કરવા અને તેમને વળતર આપવા માટે, "રિમૉટ સેન્સિંગ સ્માર્ટ ફૉન' અને ડ્રૉન જેવાં ઉપકરણોનો ઉપયોગ કરાશે. યોજના ખેડૂતોની આવકમાં ચડાવઉતાર અટકાવવામાં મદદ કરે છે અને તે ખેતી છોડીને અન્ય રોજગારીની તકો તરફ વળતા પણ અટકાવે છે.

અકાર્યક્ષમ પ્રબંધન

આ યોજના હેઠળ, ૨૦૧૯ની ખરીફ સુધીમાં ખેડૂતોની અરજીઓની સંખ્યા ખૂબ જ વધી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં લગભગ ૫.૮૦ કરોડ, વર્ષ ૨૦૧૭-૧૮માં ૫.૨૫ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૫.૬૪ કરોડ ખેડૂતો આ યોજનામાં જોડાયા હતા. ત્રણ વર્ષ માટે સકળ પ્રિમિયમનું એકત્રીકરણ અનુક્રમે રૂ. ૨૨,૦૦૮ કરોડ, ૨૫,૪૮૧ કરોડ અને રૂ. ૨૯,૦૩૫ કરોડ હતી. એ દેખીતું છે કે ખેડૂતોની સંખ્યા ઘટી છે, પરંતુ પ્રિમિયમ વધ્યું છે. ખેડૂતોનો હિસ્સો અનુક્રમે રૂ. ૪,૨૨૭ કરોડ, રૂ. ૪,૪૩૧ કરોડ અને રૂ. ૪,૮૮૯ કરોડ હતો. એવો અંદાજ છે કે ૨૦૧૯-૨૦ ખરીફ દરમિયાન યોજનામાં અંદાજે ૩.૭૦ કરોડ લોકો નોંધાયા હતા અને તેમાંના મોટા ભાગના બૅન્કમાંથી ધિરાણ લેનારા નહોતા. વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવેલા વળતરની રકમ તેઓ જે પ્રિમિયમ લે છે તેની સરખામણીએ અલગ હતી. તફાવત વીમા કંપનીઓને નફાને કારણે ગણાય છે, તેમનો નફો પહેલા વર્ષમાં રૂ. ૫,૩૯૧ કરોડ હતો, બીજાં બે વર્ષમાં રૂ. ૩,૭૭૬ કરોડ અને રૂ. ૧૪,૭૮૯ કરોડ હતો. એવું લાગે છે કે વીમા કંપનીઓને આ યોજનાથી ઘણો ફાયદો થયો છે. પરિણામે, ખેડૂતોનાં સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે આ યોજના માત્ર વીમા કંપનીઓને લાભ આપવા જ દાખલ કરાઈ છે.

આ યોજના પ્રબંધનનો દોષ બની ગઈ છે. કૃષિ ખાતું પૂર્ણ ધ્યાન આપવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે વીમા કંપનીઓએ વાર્ષિક અબજો રૂપિયાની વીમા તરીકે ચુકવવામાં આંખ આડા કાન કર્યા. યોજનાનો બિનકાર્યક્ષમ અમલ એ હકીકતથી દેખીતો છે કે ડિસેમ્બર ૨૦૧૮માં પૂરી થતી ખરીફ ઋતુમાં વીમા કંપનીઓને ખેડૂતોને વળતર તરીકે પાંચ હજાર કરોડ રૂપિયા ચુકવવાના હતા. તે વર્ષે ખરીફ ઋતુમાં, ખેડૂતોએ યોજના હેઠળ રૂ. ૧૪,૮૧૩ કરોડ વળતર પેટે મેળવવાના થતા હતા તેની સામે જુલાઈ ૨૦૧૯ની સ્થિતિએ માત્ર રૂ. ૯,૭૯૯ કરોડ જ ચુકવાાયા. એ ઉલ્લેખનીય છે કે ૪૫ જિલ્લાઓમાં ખેડૂતોને હજુ પણ તેમના વીમાની રકમ તરીકે હજુ ૫૦ ટકા ચુકવવાના બાકી છે. યોજના હેઠળ, ખેડૂતોની લેણી રકમ ખરીફ અથવા રવી ઋતુના અંતના બે મહિનાની અંદર ચુકવી જ દેવા જોઈએ. ૨૦૧૮ની ખરીફ ઋતુ ડિસેમ્બરમાં પૂરી થઈ હતી. પરંતુ આગામી વર્ષના અંત સુધીમાં પણ ખેડૂતોને ચુકવણી થઈ નહીં જેનું કારણ વીમા કંપનીઓ વચ્ચે સંકલનનો અભાવ છે. બીજી તરફ, ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે કેટલાક પાકોનું વીમા પ્રિમિયમ ઊંચું છે. આની સાથે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦ની ખરીફ ઋતુના અંત સુધીમાં આ પાકોને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો અને તે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરી રહી છે. બીજી તરફ, વીમા કંપનીઓ ટૂંકી મુદ્દતના નિર્ણયો પ્રત્યે મુશ્કેલીઓ અનુભવી રહી છે. જ્યારે મરાઠાવાડા પ્રદેશના ખેડૂતોએ વર્ષ ૨૦૧૮-૧૯માં આત્મહત્યા કરી ત્યારે 'સહકારી' કાયદો સ્પષ્ટ કરે છે કે વીમા કંપનીઓએ આ યોજનામાંથી રૂ. ૧,૨૩૭ કરોડનો નફો કર્યો છે. તેનો અર્થ થાય છે કે વીમા કંપનીઓને એક આત્મહત્યામાંથી સરેરાશ રૂ. ૧ કરોડનો લાભ થયો છે. વળતરની ગણતરીમાં વીમા કંપનીઓમાં પૂરતી નિપુણતાનો અભાવ ખૂબ જ વ્યથિત કરનારો છે.

કેન્દ્ર કહે છે કે આ યોજના હેઠળ પાકને નુકસાનનું આકલન કરવામાં અનેક મુશ્કેલીઓ રહેલી છે. પરિણામે, વળતરની સમયસર ચુકવણી મુશ્કેલ બની ગઈ છે. આ યોજના હેઠળ, પાકનાં નિપજનો અંદાજ પાક કાપણીના અનુભવો પરથી લેવાય છે. અધિકારીઓ મુજબ, આ હેતુ માટે વપરાતી સૉફ્ટવેર ઍપ ૧૫ ટકા કાર્યક્ષમતા સાથે પણ નથી કામ કરતી. કેન્દ્ર વળતરની ચુકવણીમાં વિલંબ માટે રાજ્ય સરકારો દ્વારા અવગણનાને જવાબદાર ગણાવે છે. બીજી તરફ, ખેડૂતો ગુસ્સે છે કે બૅન્કો દ્વારા લૉન આપતી વખતે પણ વીમા પ્રિમિયમ કાપી લેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અન્ય ૧૦ રાજ્યોમાં છે.

વળતરની ગણતરી કરવા કોઈ નથી!

ફસલ બીમા યોજનામાં, ખરીફ પાક માટે ખાતરીબંધ (ઇન્સ્યૉર્ડ) બે ટકા રકમ, રવી પાક માટે ૧.૫ ટકા અને વ્યાવસાયિક પાક માટે પાંચ ટકા રકમ પ્રિમિયમ તરીકે નક્કી કરવામાં આવી છે. ખરેખર નીપજ અને છેલ્લાં સાત વર્ષની સરેરાશ નીપજ પાક નુકસાન તરીકે ગણાય છે. દાવા નક્કી કરતી વખતે સાત વર્ષમાં લેવાયેલ સરેરાશ પાક જેમાં કુદરતી આપત્તિનાં બે વર્ષને ખેડૂતની પસંદગી (ઇન્ડેમ્નિટી લેવલ)ની નુકસાન ટકાવારી વડે ગુણવામાં આવે છે. આ સ્તર ૭૦-૯૦ ટકા વચ્ચે છે. પ્રિમિયમ હપ્તા પણ તે મુજબ અલગ-અલગ હોય છે. દા.ત. એક ખેડૂતે સરેરાશ પાક ૬૦ ક્વિન્ટલ માટે વીમો લીધો છે અને ખરેખર નીપજ ૪૫ ક્વિન્ટલ છે. જો ખેડૂતે રૂ. ૬૦,૦૦૦નો વીમો લીધો હોય તો પાક નુકસાન માટે ૨૫ ટકા વળતર હોય તો વળતર રૂ. ૧૫,૦૦૦ જેટલું થાય છે. આ યોજના હેઠળ, ખેડૂતને કુદરતી આપત્તિઓ દ્વારા થયેલી તમામ નુકસાનીઓ માટે ચુકવણી થાય છે. ઝડપી રાહત તરીકે, એક તૃત્તીયાંશ વળતર કુદરતી આપત્તિ ભંડોળ અથવા કેન્દ્રીય ગૃહ ખાતા હેઠળ આપત્તિ ભંડોળમાંથી ચુકવવામાં આવે છે. ખેડૂતોનાં સંગઠનો આક્ષેપ રે છે કે તમામ ખાનગી વીમા કંપનીઓ હાથ મેળવી રહી છે અને પ્રિમિયમ ઊંચું રાખીને લાભ મેળવી રહી છે. એ નોંધવું જોઈે કે ખેડૂતોને અંદાજે ૫૦ ટકા વળતર દેશના ૪૦ જિલ્લામાં જ ચુકવાયું છે. આ તમામ જિલ્લાઓમાં કુદરતી આપત્તિ આવે તેવી શક્યતા હોય છે અને તેઓ મુખ્યત્વે દુષ્કાળની સંભાવનાવાળા વિસ્તારો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં અભૂતપૂર્વ વરસાદના કારણે, ડુંગળી, સોયાબીન, દાડમ વગેરે જેવા પાક જેને ખેડૂતોએ વાવ્યા હતા તેને ખૂબ જ નુકસાન થયું હતું. કેટલીક કંપનીઓ આ યોજનાથી દૂર થવા ગંભીર પ્રયાસો કરી રહી છે કારણકે અભૂતપૂર્વ વરસાદ અને દુષ્કાળ અનુભવતા વિસ્તારોને આવરી લેવું તેમના માટે ફાયદારૂપ નથી. યોજના અસરકારક બને તે માટે સરકારોએ ખેડૂતોના વીમા પ્રિમિયમનો કેટલોક ભાગ વહોરવો પડે. એ દુઃખદ વાત છે કે યોજના ખેડૂતોને બનાવટી બીજ દ્વારા થતા નુકસાનને તેમજ હાથી, જંગલી ભૂંડ અને રીંછ જેવાં પ્રાણીઓ દ્વારા થતા નુકસાનને આવરી લેતી નથી. ખાનગી વીમા કંપનીઓનું નિયંત્રણ કરવા માટે પ્રિમિયમ પર મહત્તમ મર્યાદા લાદવી જોઈએ, જેથી તેઓ ઓછા ભાવો ક્વૉટ કરે. પોતાની ઈચ્છા મુજબ, પ્રિમિયમ નક્કી કરતી ખાનગી કંપનીઓ દરેકને બોજારૂપ બની રહી છે. સરકારો હાલમાં સંબંધિત ખાનગી કંપનીઓને પ્રિમિયમ રકમ ચુકવે છે. તેના બદલે, સરકારી વીમા કંપનીના રક્ષણ હેઠળ અલગ ભંડોળ બનાવવાની શક્યતા અને તેમાંથી પ્રિમિયમ ચુકવવાની સંભાવના તપાસવી જોઈએ. તેનાથી ખાનગી વીમા કંપનીઓને અયોગ્ય ફાયદા લેતી અટકાવશે અને ખેડૂતને મહત્તમ લાભ સુનિશ્ચિત કરશે.

(તેલુગુ લેખક: પ્રા. પી. વેંકટેશ્વર (આંધ્ર યુનિવર્સિટી, કૉમર્સ વિભાગ)

પાકને નુકસાનના કારણએ જે લોકો દેવાની જાળમાં ફસાઈ જાય છે તે છેવટે આત્મહત્યાનો માર્ગ પકડે છે. ૧૯૯૫-૨૦૧૫ના સમયગાળા દરમિયાન, ૩.૧૦ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. કૃષિ કટોકટીએ અનેક રાજ્યોમાં ખેડૂતોને દરિદ્રતામાં ધકેલી દીધા છે. ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે શાસકો વિવિધ પગલાં લઈ રહ્યાં છે, પરંતુ તેમની જિંદગીમાં કોઈ સુધારો નથી આવી રહ્યો. વડા પ્રધાન મોદીએ ચાર વર્ષ પહેલાં જાન્યુઆરી ૨૦૧૬માં નવી 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' લાવ્યા હતા જેણે તે સમયે પ્રવર્તમાન પાક વીમા યોજનાઓનું સ્થાન લીધું હતું. અગાઉની સરકારોની વીમા યોજનાઓ ખેડૂતોને મદદ કરવામાં નિષ્ફળ નિવડી હતી તેથી યોજના દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. અગાઉની પાક વીમા યોજનાઓમાં મર્યાદિત વળતર સાથે ખેડૂતો પાસેથી ઊંચું પ્રિમિયમ લેવામાં આવતું હતું. પ્રિમિયમમાં સરકારોનો હિસ્સો પણ ઓછો હતો. પરંતુ નવી યોજના સંપૂર્ણ અલગ અને નવી છે. ખેડૂતોને નુકસાનનું આકલન કરવા અને તેમને વળતર આપવા માટે, "રિમૉટ સેન્સિંગ સ્માર્ટ ફૉન' અને ડ્રૉન જેવાં ઉપકરણોનો ઉપયોગ કરાશે. યોજના ખેડૂતોની આવકમાં ચડાવઉતાર અટકાવવામાં મદદ કરે છે અને તે ખેતી છોડીને અન્ય રોજગારીની તકો તરફ વળતા પણ અટકાવે છે.

અકાર્યક્ષમ પ્રબંધન

આ યોજના હેઠળ, ૨૦૧૯ની ખરીફ સુધીમાં ખેડૂતોની અરજીઓની સંખ્યા ખૂબ જ વધી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં લગભગ ૫.૮૦ કરોડ, વર્ષ ૨૦૧૭-૧૮માં ૫.૨૫ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૫.૬૪ કરોડ ખેડૂતો આ યોજનામાં જોડાયા હતા. ત્રણ વર્ષ માટે સકળ પ્રિમિયમનું એકત્રીકરણ અનુક્રમે રૂ. ૨૨,૦૦૮ કરોડ, ૨૫,૪૮૧ કરોડ અને રૂ. ૨૯,૦૩૫ કરોડ હતી. એ દેખીતું છે કે ખેડૂતોની સંખ્યા ઘટી છે, પરંતુ પ્રિમિયમ વધ્યું છે. ખેડૂતોનો હિસ્સો અનુક્રમે રૂ. ૪,૨૨૭ કરોડ, રૂ. ૪,૪૩૧ કરોડ અને રૂ. ૪,૮૮૯ કરોડ હતો. એવો અંદાજ છે કે ૨૦૧૯-૨૦ ખરીફ દરમિયાન યોજનામાં અંદાજે ૩.૭૦ કરોડ લોકો નોંધાયા હતા અને તેમાંના મોટા ભાગના બૅન્કમાંથી ધિરાણ લેનારા નહોતા. વીમા કંપનીઓએ ખેડૂતોને ચૂકવેલા વળતરની રકમ તેઓ જે પ્રિમિયમ લે છે તેની સરખામણીએ અલગ હતી. તફાવત વીમા કંપનીઓને નફાને કારણે ગણાય છે, તેમનો નફો પહેલા વર્ષમાં રૂ. ૫,૩૯૧ કરોડ હતો, બીજાં બે વર્ષમાં રૂ. ૩,૭૭૬ કરોડ અને રૂ. ૧૪,૭૮૯ કરોડ હતો. એવું લાગે છે કે વીમા કંપનીઓને આ યોજનાથી ઘણો ફાયદો થયો છે. પરિણામે, ખેડૂતોનાં સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે કે આ યોજના માત્ર વીમા કંપનીઓને લાભ આપવા જ દાખલ કરાઈ છે.

આ યોજના પ્રબંધનનો દોષ બની ગઈ છે. કૃષિ ખાતું પૂર્ણ ધ્યાન આપવામાં નિષ્ફળ ગયું છે, ત્યારે વીમા કંપનીઓએ વાર્ષિક અબજો રૂપિયાની વીમા તરીકે ચુકવવામાં આંખ આડા કાન કર્યા. યોજનાનો બિનકાર્યક્ષમ અમલ એ હકીકતથી દેખીતો છે કે ડિસેમ્બર ૨૦૧૮માં પૂરી થતી ખરીફ ઋતુમાં વીમા કંપનીઓને ખેડૂતોને વળતર તરીકે પાંચ હજાર કરોડ રૂપિયા ચુકવવાના હતા. તે વર્ષે ખરીફ ઋતુમાં, ખેડૂતોએ યોજના હેઠળ રૂ. ૧૪,૮૧૩ કરોડ વળતર પેટે મેળવવાના થતા હતા તેની સામે જુલાઈ ૨૦૧૯ની સ્થિતિએ માત્ર રૂ. ૯,૭૯૯ કરોડ જ ચુકવાાયા. એ ઉલ્લેખનીય છે કે ૪૫ જિલ્લાઓમાં ખેડૂતોને હજુ પણ તેમના વીમાની રકમ તરીકે હજુ ૫૦ ટકા ચુકવવાના બાકી છે. યોજના હેઠળ, ખેડૂતોની લેણી રકમ ખરીફ અથવા રવી ઋતુના અંતના બે મહિનાની અંદર ચુકવી જ દેવા જોઈએ. ૨૦૧૮ની ખરીફ ઋતુ ડિસેમ્બરમાં પૂરી થઈ હતી. પરંતુ આગામી વર્ષના અંત સુધીમાં પણ ખેડૂતોને ચુકવણી થઈ નહીં જેનું કારણ વીમા કંપનીઓ વચ્ચે સંકલનનો અભાવ છે. બીજી તરફ, ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે કેટલાક પાકોનું વીમા પ્રિમિયમ ઊંચું છે. આની સાથે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦ની ખરીફ ઋતુના અંત સુધીમાં આ પાકોને દૂર કરવાનો નિર્ણય કર્યો હતો અને તે રાજ્ય સરકારો સાથે પરામર્શ કરી રહી છે. બીજી તરફ, વીમા કંપનીઓ ટૂંકી મુદ્દતના નિર્ણયો પ્રત્યે મુશ્કેલીઓ અનુભવી રહી છે. જ્યારે મરાઠાવાડા પ્રદેશના ખેડૂતોએ વર્ષ ૨૦૧૮-૧૯માં આત્મહત્યા કરી ત્યારે 'સહકારી' કાયદો સ્પષ્ટ કરે છે કે વીમા કંપનીઓએ આ યોજનામાંથી રૂ. ૧,૨૩૭ કરોડનો નફો કર્યો છે. તેનો અર્થ થાય છે કે વીમા કંપનીઓને એક આત્મહત્યામાંથી સરેરાશ રૂ. ૧ કરોડનો લાભ થયો છે. વળતરની ગણતરીમાં વીમા કંપનીઓમાં પૂરતી નિપુણતાનો અભાવ ખૂબ જ વ્યથિત કરનારો છે.

કેન્દ્ર કહે છે કે આ યોજના હેઠળ પાકને નુકસાનનું આકલન કરવામાં અનેક મુશ્કેલીઓ રહેલી છે. પરિણામે, વળતરની સમયસર ચુકવણી મુશ્કેલ બની ગઈ છે. આ યોજના હેઠળ, પાકનાં નિપજનો અંદાજ પાક કાપણીના અનુભવો પરથી લેવાય છે. અધિકારીઓ મુજબ, આ હેતુ માટે વપરાતી સૉફ્ટવેર ઍપ ૧૫ ટકા કાર્યક્ષમતા સાથે પણ નથી કામ કરતી. કેન્દ્ર વળતરની ચુકવણીમાં વિલંબ માટે રાજ્ય સરકારો દ્વારા અવગણનાને જવાબદાર ગણાવે છે. બીજી તરફ, ખેડૂતો ગુસ્સે છે કે બૅન્કો દ્વારા લૉન આપતી વખતે પણ વીમા પ્રિમિયમ કાપી લેવામાં આવે છે. આ સમસ્યા ખાસ કરીને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને અન્ય ૧૦ રાજ્યોમાં છે.

વળતરની ગણતરી કરવા કોઈ નથી!

ફસલ બીમા યોજનામાં, ખરીફ પાક માટે ખાતરીબંધ (ઇન્સ્યૉર્ડ) બે ટકા રકમ, રવી પાક માટે ૧.૫ ટકા અને વ્યાવસાયિક પાક માટે પાંચ ટકા રકમ પ્રિમિયમ તરીકે નક્કી કરવામાં આવી છે. ખરેખર નીપજ અને છેલ્લાં સાત વર્ષની સરેરાશ નીપજ પાક નુકસાન તરીકે ગણાય છે. દાવા નક્કી કરતી વખતે સાત વર્ષમાં લેવાયેલ સરેરાશ પાક જેમાં કુદરતી આપત્તિનાં બે વર્ષને ખેડૂતની પસંદગી (ઇન્ડેમ્નિટી લેવલ)ની નુકસાન ટકાવારી વડે ગુણવામાં આવે છે. આ સ્તર ૭૦-૯૦ ટકા વચ્ચે છે. પ્રિમિયમ હપ્તા પણ તે મુજબ અલગ-અલગ હોય છે. દા.ત. એક ખેડૂતે સરેરાશ પાક ૬૦ ક્વિન્ટલ માટે વીમો લીધો છે અને ખરેખર નીપજ ૪૫ ક્વિન્ટલ છે. જો ખેડૂતે રૂ. ૬૦,૦૦૦નો વીમો લીધો હોય તો પાક નુકસાન માટે ૨૫ ટકા વળતર હોય તો વળતર રૂ. ૧૫,૦૦૦ જેટલું થાય છે. આ યોજના હેઠળ, ખેડૂતને કુદરતી આપત્તિઓ દ્વારા થયેલી તમામ નુકસાનીઓ માટે ચુકવણી થાય છે. ઝડપી રાહત તરીકે, એક તૃત્તીયાંશ વળતર કુદરતી આપત્તિ ભંડોળ અથવા કેન્દ્રીય ગૃહ ખાતા હેઠળ આપત્તિ ભંડોળમાંથી ચુકવવામાં આવે છે. ખેડૂતોનાં સંગઠનો આક્ષેપ રે છે કે તમામ ખાનગી વીમા કંપનીઓ હાથ મેળવી રહી છે અને પ્રિમિયમ ઊંચું રાખીને લાભ મેળવી રહી છે. એ નોંધવું જોઈે કે ખેડૂતોને અંદાજે ૫૦ ટકા વળતર દેશના ૪૦ જિલ્લામાં જ ચુકવાયું છે. આ તમામ જિલ્લાઓમાં કુદરતી આપત્તિ આવે તેવી શક્યતા હોય છે અને તેઓ મુખ્યત્વે દુષ્કાળની સંભાવનાવાળા વિસ્તારો છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં અભૂતપૂર્વ વરસાદના કારણે, ડુંગળી, સોયાબીન, દાડમ વગેરે જેવા પાક જેને ખેડૂતોએ વાવ્યા હતા તેને ખૂબ જ નુકસાન થયું હતું. કેટલીક કંપનીઓ આ યોજનાથી દૂર થવા ગંભીર પ્રયાસો કરી રહી છે કારણકે અભૂતપૂર્વ વરસાદ અને દુષ્કાળ અનુભવતા વિસ્તારોને આવરી લેવું તેમના માટે ફાયદારૂપ નથી. યોજના અસરકારક બને તે માટે સરકારોએ ખેડૂતોના વીમા પ્રિમિયમનો કેટલોક ભાગ વહોરવો પડે. એ દુઃખદ વાત છે કે યોજના ખેડૂતોને બનાવટી બીજ દ્વારા થતા નુકસાનને તેમજ હાથી, જંગલી ભૂંડ અને રીંછ જેવાં પ્રાણીઓ દ્વારા થતા નુકસાનને આવરી લેતી નથી. ખાનગી વીમા કંપનીઓનું નિયંત્રણ કરવા માટે પ્રિમિયમ પર મહત્તમ મર્યાદા લાદવી જોઈએ, જેથી તેઓ ઓછા ભાવો ક્વૉટ કરે. પોતાની ઈચ્છા મુજબ, પ્રિમિયમ નક્કી કરતી ખાનગી કંપનીઓ દરેકને બોજારૂપ બની રહી છે. સરકારો હાલમાં સંબંધિત ખાનગી કંપનીઓને પ્રિમિયમ રકમ ચુકવે છે. તેના બદલે, સરકારી વીમા કંપનીના રક્ષણ હેઠળ અલગ ભંડોળ બનાવવાની શક્યતા અને તેમાંથી પ્રિમિયમ ચુકવવાની સંભાવના તપાસવી જોઈએ. તેનાથી ખાનગી વીમા કંપનીઓને અયોગ્ય ફાયદા લેતી અટકાવશે અને ખેડૂતને મહત્તમ લાભ સુનિશ્ચિત કરશે.

(તેલુગુ લેખક: પ્રા. પી. વેંકટેશ્વર (આંધ્ર યુનિવર્સિટી, કૉમર્સ વિભાગ)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.