ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 2 જવાન ઘાયલ, 1 આતંકી ઠાર

author img

By

Published : Jul 7, 2020, 7:12 AM IST

Updated : Jul 7, 2020, 8:37 AM IST

જમ્મુ-કાશ્મીરના પુલવામાના ગુસૂમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન અને એક આર્મી જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, હાલ પોલીસ અને સેનાની 53 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમ ગુસૂમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેથી સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.

jammu kashmir
jammu kashmir

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામાના ગુસૂમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન અને એક આર્મી જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, હાલ પોલીસ અને સેનાની 53 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમ ગુસૂમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેથી સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વહેલી સવારે સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અને સેનાના જવાનોએ આ વિસ્તારને ઘેરી લેતાંની સાથે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આતંકીઓની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીએ સંયુક્ત ટીમ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયાની પુષ્ટિ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી છે. જેથી હાલ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે.

મહત્વનું છે કે, આ પહેલા 5 જુલાઈએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) પર પુલમામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આઈઆરઈડી બ્લાસ્ટ દ્વારા સીઆરપીએફના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ પછી આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. જો કે, કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ બે આંતકવાદીઓ ઠાર મરાયા હતાં.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામાના ગુસૂમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન અને એક આર્મી જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, હાલ પોલીસ અને સેનાની 53 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમ ગુસૂમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જેથી સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વહેલી સવારે સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અને સેનાના જવાનોએ આ વિસ્તારને ઘેરી લેતાંની સાથે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આતંકીઓની ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

હાલ વરિષ્ઠ પોલીસ અધિકારીએ સંયુક્ત ટીમ અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થયાની પુષ્ટિ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી છે. જેથી હાલ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે.

મહત્વનું છે કે, આ પહેલા 5 જુલાઈએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) પર પુલમામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આઈઆરઈડી બ્લાસ્ટ દ્વારા સીઆરપીએફના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ પછી આતંકીઓએ સીઆરપીએફના કાફલા પર ફાયરિંગ કર્યું હતું. જો કે, કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ બે આંતકવાદીઓ ઠાર મરાયા હતાં.

Last Updated : Jul 7, 2020, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.